1. Home
  2. Tag "Gujarati news"

સરખેજ-બાવળા રોડ પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત

અમદાવાદ, 15 જુલાઈ, 2026 : Accident between two trucks on Sarkhej-Bavla Road.  સરખેજ-ધોળકા રોડ પર આજે વહેલી સવારે બાકરોલ નજીક  એક લોડેડ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંને વાહનો વચ્ચેની ટક્કર એટલી ભયંકર હતી કે આઇસર ટ્રકના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ફાયર વિભાગ અને પોલીસની મદદથી […]

ભાવનગરના મહુવા પંથકમાં તરખાટ મચાવતા 6 દીપડા પાંજરે પુરાયા

ભાવનગર, 15 જુલાઈ, 2026 : Six leopards caged in the Mahuva region. જિલ્લાના મહુવા પંથકમાં દીપડાના હુમલાના બનાવો વધી રહ્યા છે. વાડી-ખેતરે જતા એકલ-દોકલ વ્યક્તિઓ પર દીપડાઓ દ્વારા હુમલો કરવાના બનાવો બનતા વન વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું. અને વન વિભાગ દ્વારા ઠેર ઠેર પાંજરા મુકીને સઘન ઝુંબેશ હાથ ધરાતા ચાર દિવસમાં છ દીપડા પકડવામાં […]

ગીરના જંગલ નજીક ગેરકાયદે રિસોર્ટ અને હોટલો તોડી પડાશે, નવો એક્શન પ્લાન તૈયાર

ગાંધીનગર, 15 જુલાઈ, 2026 : Illegal resorts and hotels near Gir forest to be demolished  ગીરના જંગલ અને તેના આજુબાજુના વિસ્તારોમાં સિંહ દ્વારા હુમલાના બનાવો વધતા જાય છે. તાજેતરમાં ગિરનારના પગથિયા પરથી એક બાળકને ખેંચી જઈને સિંહે શિકાર કર્યો હતો. ગીર આસપાસના ભાગોમાં છેલ્લા દોઢ મહિનામાં સિંહ-માનવ વચ્ચે સંઘર્ષના 10 કેસ નોંધાતા વન વિભાગમાં દોડધામ […]

બાવળા નજીક હાઈવે સાઈડ પર કાદવ-કીચડને લીધે સર્જાયો ત્રિપલ અકસ્માત

અમદાવાદ, 15 જુલાઈ, 2026 : Triple accident caused by mud and slush on the highway  જિલ્લાના બાવળા-સરખેજ હાઇવે પર બાવળા નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. હાઈવેની સાઈડ પર કાદવ-કીચડના લીધે વાહનો સ્લીપ થતા હોવાથી અકસ્માતોના બનાવો બની રહ્યા છે. આજે સવારે હાઈવે પર  કાદવ-કીચડના કારણે એક્ટિવા સ્લીપ થતાં એકટિવાચાલકને બચાવવા બ્રેક મારતા ડમ્પર અને લગ્ઝરી […]

પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરના ઉદ્ધત વર્તન સામે કોંગ્રેસ કોર્પોરેટરોએ કર્યા ધરણા

પાટણ, 15 જુલાઈ, 2026 :  Congress councilors stage a sit-in protest પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરના ઉદ્ધતાઈભર્યા વર્તન તેમજ શહેરના વોર્ડ નંબર 8 માં છેલ્લા ત્રણ મહિનાથી ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાના વિરોધમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ નગરપાલિકામાં ચીફ ઓફિસરની ચેમ્બર બહાર ધરણાં કર્યા હતા. સ્થાનિક લોકોની વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકાના તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી […]

ડીસા-ભીલડી હાઈવે પર એક જ દિવસમાં ચાર અકસ્માતો સર્જાયા, એકનું મોત

ડીસા, 15 જુલાઈ, 2026 : Four accidents occurred on the Deesa-Bhildi highway in a single day  રાજ્યમાં નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ભીલડી-ડીસા હાઈવે પર એક જ દિવસમાં ચાર અલગ-અલગ અકસ્માતો સર્જાયા હતા. એક જ દિવસમાં હાઈવે પર જુદા જુદા સ્થળોએ સર્જાયોલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે […]

જ્ઞાનપીઠ દ્વારા જ્યોતિષ, વાસ્તુ અને હસ્તરેખા શીખવવા માટે મફત વર્ગો શરૂ કરાશે

પાલનપુર, 15 જુલાઈ, 2026 : Free classes on astrology, Vastu, and palmistry will be started by Gyanpith શહેરમાં જ્યોતિષ પુનર્જાગરણ અભિયાનને સફળતા મળ્યા બાદ હવે  જ્ઞાનપીઠ દ્વારા રાજ્યભરમાં જ્યોતિષ, વાસ્તુ અને હસ્તરેખાના નિ:શુલ્ક વર્ગો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારતની હજારો વર્ષ જૂની વૈદિક જ્ઞાનપરંપરા અને સંસ્કૃતિના સંવર્ધન માટે સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત દ્વારા […]

સુરેન્દ્રનગરની સબ જેલમાં રાત્રે ચેકિંગ કરાતા શૌચાલયમાંથી બે મોબાઈલ ફોન મળ્યા

સુરેન્દ્રનગર, 15 જુલાઈ, 2026 : Two mobile phones were found during a search of the Surendranagar sub-jail ગુજરાતમાં સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત જેલોમાં કેદીઓ પાસેથી મોબાઈલ ફોન પકડાતા હોય છે. નિરીક્ષકો દ્વારા અવાર-નવાર જેલોમાં ચેકીંગ કરવામાં આવતું હોય છે. ત્યારે રાજકોટ પ્રિઝન વિભાગના અધિકારીઓએ રાત્રે સુરેન્દ્રનગરની સબ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં સબ […]

સૌરાષ્ટ્ર યુનિ.માં જીકાસ દ્વારા પ્રવેશના અંતે UGમાં 46.321 બેઠકો ખાલી રહી

રાજકોટ, 15 જુલાઈ, 2026 : 46,321 seats remain vacant after admissions at Saurashtra University.  ગુજરાતમાં તમામ સરકારી યુવિનર્સિટીઓની વિવિધ વિદ્યાશાખાઓમાં ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ ( જીકાસ) દ્વારા ઓનલાઈન પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. જેમાં મોટાભાગની યુનિવર્સિટીઓમાં બેઠકો ખાલી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંડર ગ્રેજ્યુએશન (યુજી)માં પ્રવેશ માટેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 87,292 સીટ સામે 40,971 […]

રાજકોટમાં કાલે ગુરૂવારે જગન્નાથજીની રથયાત્રામાં ભાવિકો ઉમટી પડશે

રાજકોટ, 15 જુલાઈ, 2026 : Jagannathji Rath Yatra tomorrow શહેરમાં આવતીકાલે અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી નગરજનોને દર્શન આપવા માટે પરિક્રમાએ નીકળશે. આજે રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કાલે અષાઢી બીજના પાવન અવસરે સવારે 8 વાગ્યે જગન્નાથ મંદિરેથી આ ઐતિહાસિક રથયાત્રાનો મંગલ પ્રારંભ થશે. રથયાત્રાની પવિત્ર પહિંદ વિધિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code