1. Home
  2. Tag "In Gujarat"

ગુજરાતમાં બે વર્ષમાં 55,575 આવાસો પ્રધાનમંત્રી આવાસ શહેરી યોજના હેઠળ પૂર્ણ કરાયા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ખાતે પ્રશ્નોત્તરી કાળમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગ તરફથી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં 55,575 આવાસો પ્રધાનમંત્રી આવાસ શહેરી યોજના હેઠળ પૂર્ણ કરાયા છે. જેમાં રૂપિયા ૧,૯૫૨ કરોડની સહાય રાજ્ય સરકારે ચૂકવી છે. રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી અંગેની સ્થિતિના પ્રત્યુતરમાં મંત્રી ઋષિકેશ પટેલે આપ્યો જવાબ. મંત્રી ઋષિકેશ પટેલે […]

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું : 26 જિલ્લાના 97 તાલુકામાં વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેનાથી ક્યાંક વરસાદનો કેર તો ક્યાંક મહેર જેવી સ્થિતિ સર્જાઇ છે. રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 74 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં તાપીના ઉચ્છલમાં 2.5 ઈંચ તો કુકરમુંડામાં સવા ઈંચ, નિઝરમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. તો રાજ્ય પર બે સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે […]

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે પૂણેની વૈજ્ઞાનિકોની ટીમ પંચમહાલ પહોંચી

અમદાવાદઃ પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 14 શંકાસ્પદ અને પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી પાંચ બાળકોના મોત થયા છે. ગુજરાતમાં ચિંતાનો વિષય બનેલા ચાંદીપુરા વાયરસને લઈને પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)ની પાંચ સભ્યોની ટીમ પંચમહાલ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં સમીક્ષા કરવા પહોંચી હતી, પંચમહાલ જિલ્લામાં આ વાયરસના 14 શંકાસ્પદ અને પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી […]

ગુજરાતમાં જળાશયોમાં નવા પાણીની આવક, 206 ડેમમાં 36 ટકા પાણીનો સંગ્રહ

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન ગઈકાલે પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. દરમિયાન ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં અત્યાર સુધીમાં 55 ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો છે. ભારે વરસાદની આગાહી મુજબ સચેત પોર્ટલ દ્વારા સંબંધિત જિલ્લાના નાગરિકોને એસ.એમ.એસ. […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં આશરે પાંચ કરોડ મતદારો કરી શકશે મતાધિકારનો ઉપયોગ

ગાંધીનગરઃ લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની વિગતો આપતા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે 15 માર્ચ 2024 સુધીમાં અરજી કરનાર તમામ નાગરિકોને EPIC કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. જો EPIC […]

ગુજરાતમાં ગૃહ મંત્રીના આદેશ બાદ છેલ્લા 4 દિવસમાં પોલીસે 2406 હોટલ અને સ્પામાં દરોડા પાડ્યાં

અમદાવાદઃ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી રાજ્યભરની હોટલ અને સ્પા સેન્ટર પર ગુજરાત પોલીસે ઘોંસ બોલાવી છે. છેલ્લા ત્રણ દિવસમાં 279 આરોપીઓ સામે ગુના દાખલ કરી 204 એફઆઈઆર નોંધવામાં આવી છે. 183 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી ચાલતી આ સ્પેશિયલ ડ્રાઇવમાં ત્રણ દિવસમાં અલગ અલગ 2 હજારથી વધુ સ્થળો ઉપર રાજ્યવ્યાપી […]

ગુજરાતમાં બે દિવસ તાપમાન 42 ડિગ્રીને વટાવી જશે, ત્યારબાદ કેટલાક વિસ્તારમાં માવઠું પણ પડશે

અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે પણ અસહ્ય ગરમી સાથે માવઠાંનો અનુભવ કરવો પડી રહ્યો છે. ફાગણ મહિનો અને ત્યારબાદ ચૈત્ર મહિનામાં પણ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં સમયાંતરે કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા.અને વાદળછાંયા વાતાવરણને કારણે અસહ્ય તાપમાનમાં થોડી રાહત પણ મળી હતી. છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાન વધતું જાય છે. એટલે અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં મહત્તમ તાપમાન […]

ગુજરાતમાં શીતલહેરઃ બેટદ્વારકા ખાતે ફેરી બોટ સેવા બંધ કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો જામ્યો છે. ઉત્તરભારતમાં પહેલી હીમ વર્ષાને પગલે સમગ્ર રાજ્યમાં શીતલહેરનું મોજુ ફરી વળ્યું છે. આજે દિવસ દરમિયાન શહેરમાં ઠંડો પવન ફુંકાયો હતો જોથી લોકોએ ઠંડી અનુભવી હતી. દરમિયાન ખરાબ હવામાન ને કારણે ઓખા બેટ દ્ધારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સવિઁસ બંધ રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે. રાજ્યમાં ઠંડા પવન ફુંકાતા હોવાથી […]

ગુજરાતમાં 46 સંસ્કૃત પાઠશાળાઓનું સશક્તિકરણ કરીને છાત્રાલયના ફુડ બીલમાં પણ વધારો કરાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ત્રણ સરકારી,34 અર્ધ સરકારી અને 9 ગ્રાન્ટેડ સંસ્કૃત પાઠ શાળાઓ આવેલી છે. જેમાં વિદ્યાર્થીઓને સંસ્કૃતનું શિક્ષણ આપવામાં આવે છે. ઘણા વિદ્યાર્થીઓને કર્મકાંડનું શિક્ષણ પણ આપવામાં આવે છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને સર્ટીફિકેટ પણ આપવામાં આવે છે. સંસ્કૃત પાઠ શાળાના સંચાલકો દ્વારા સ્ટાફની નિમણૂંક કરવા, અનુદાનમાં વધારો કરવા સહિતની માગણીઓ સરકાર સમક્ષ કરવામાં […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29મી મેએ ગુજરાતના પ્રવાસે આવશે, આટકોટમાં હોસ્પિટલનું લોકાર્પણ કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે તમામ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓની ગુજરાતની મુલાકાતમાં વધારો થઈ રહ્યો છે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આમ આદમી પારટીના અરવિંદ કેજરિવાલ, ત્યારબાદ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. હવે કેજરિવાલ ફરીવાર રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. ત્યાર બાદ આગમી તા. 29મી મેના રોજ વડાપ્રધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code