1. Home
  2. Tag "india"

ઓલિમ્પિક માટે ભારતની કોઈ પણ દાવેદારીને ફ્રાન્સ સમર્થન આપશે

નવી દિલ્હીઃ ભારતના ગણતંત્ર દિવસની પરેડમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને મુખ્ય મહેમાન બન્યાં હતા. દરમિયાન તેમણે ભારતને ખાતરી આપી છે કે, નજીકના ભવિષ્યમાં ભારતમાં ઓલિમ્પિક ગેમ્સના આયોજનમાં ફ્રાન્સ તેમને સમર્થન આપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત ભોજન સમારંભ દરમિયાન તેમના સંબોધનમાં, મેક્રોને જણાવ્યું હતું કે, તેઓ ઓલિમ્પિક રમતોમાં ભારત સાથે વધુ મજબૂત સહયોગ બનાવવા માટે […]

માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુ કહ્યું, ભારત સાથે સદીઓ જુની મિત્રતા છે, PM મોદીને પાઠવી શુભેચ્છા

નવી દિલ્હીઃ ભારતના પાડોશી ગણાતા દેશ માલદીવ સાથેના સંબંધમાં ખટરાગ આવ્યો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે લક્ષદ્વીપના દરિયાકિનારાની મુલાકાત લીધી હતી. અને મોદીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લક્ષદ્વીપ પ્રવાસના સુંદર વીડિયો અને તસવીરો શેર કર્યા હતા. આ પ્રવાસ બાદ માલદીવ સરકારનું ટેન્શન વધી ગયું […]

75મા ગણતંત્ર દિવસે કર્તવ્યપથ પર નારીશક્તિનો જલવો, રાફેલ-સુખોઈએ દેખાડયો ફ્લાઈપાસ્ટમાં દમ

નવી દિલ્હી: આખા દેશમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ છે. 2024માં ઉજવવામાં આવેલો ગણતંત્ર દિવસ ઘણી રીતે અલગ છે. આના સંદર્ભે કર્તવ્યપથ પર વિવિધતાની ઝાંખીઓની સાથે દેશના શૌર્યની ઝલક પણ જોવા મળી. આ વર્ષે ગણતંત્ર દિવસના સમારંભમાં ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રોં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. ગણતંત્ર દિવસ સમારંભ દરમિયાન 6 રાફેલ યુદ્ધવિમાનોએ મારુત […]

75મો ગણતંત્ર દિવસ: કર્તવ્યપથ પર પહેલીવાર નારીશક્તિએ ઢોલ-નગારા સાથે સમારંભનો કર્યો પ્રારંભ, 13 હજાર વિશેષ અતિથિ હાજર

નવી દિલ્હી: આખું ભારત આજે પોતાનો 75મો ગણતંત્ર દિવસ માનવી રહ્યું છે. કર્તવ્ય પથ પર વિકસિત ભારત અને ભારત લોકતંત્રની જનની છે, થીમ પર કાર્યક્રમ આયોજીત થયો છે. મુખ્ય અતિથિ તરીકે ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રોં સામેલ થયા છે. આ સિવાય 13 હજાર જેટલા વિશેષ અતિથિઓ પણ સમારંભમાં સામેલ થયા છે. પરેડની શરૂઆત મિલિટ્રી બેન્ડના સ્થાને […]

ઈન્ડિયા ગઠબંધનને લઈને કોંગ્રેસના નેતાની ભવિષ્યવાણી, કેટલાક અન્ય પક્ષ પણ છોડશે દલદલ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એકલાહાથે ચૂંટણી લડવાની ઘોષણા કર્યા બાદ કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ મોડમાં છે. ટીએમસીની ગેરહાજરી વિપક્ષી ગઠબંધનમાં મોટું ગાબડું છે. પરંતુ ટીએમસીએ કોંગ્રેસ સાથે સીટ શેયરિંગમાં સંમતિ નહીં સધાવાને કારણે આ પગલું ભર્યું છે. ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના નિકટવર્તી ગણાતા આચાર્ય પ્રમોદ કૃષ્ણે કોઈપણ પાર્ટીનું નામ લીધા વગર […]

મમતા બેનર્જી કોંગ્રેસ સામે ઝુકવા નથી તૈયાર, “વિપક્ષી ઈન્ડિયા” ગઠબંધનમાં ડખ્ખાના એંધાણ

કોલકત્તા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીએ કોંગ્રેસને મોટો રાજકીય આંચકો આપવાની તૈયારી કરી લધી છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસી તમામ 42 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. આને લઈને સત્તાવાર રીતે ટીએમસીએ કંઈ કહ્યું નથી. પરંતુ ટીએમસી બેઠક વહેંચણીમાં થઈ રહેલા વિલંબથી નારાજ અને આક્રોશિત છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, […]

ન્યૂઝ જે છે ખાસ : ચીનની અકળામણ, ઈરાન-માલદીવમાં ચાલબાજી, પાકિસ્તાનની પળોજણ, મસ્કે ક્યાં મુદ્દે આપ્યું ભારતને સમર્થન

તાઈવાનની સરકારને શુભેચ્છા ચીનની અકળામણ ભારત અને ચીન વચ્ચે 2020થી ચાલી રહેલા સૈન્ય અને કૂટનીતિક તણાવ વચ્ચે નવો ફણગો ફૂટયો છે. તાઈવાનની નવી સરકારે ભારતને શુભેચ્છા પાઠવી છે. આને લઈને ચીનના પેટમાં નિશ્ચિતપણે તેલ રેડાવાનું છે. ન્યૂઝ એજન્સી ફોકસ તાઈવનના અહેવાલ મુજબ, તાઈવાનમાં ભારતના પ્રતિનિધિ મનહરસિંહ લક્ષ્મણભાઈ યાદવે નવનિર્વાચિત નેતાઓને અભિનંદન આપ્યા છે. ન્યૂઝ એજન્સી […]

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદને લઈ એલોન મસ્કે સમર્થન આપ્યું

નવી દિલ્હીઃ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લા તથા સ્પેસએક્સ જેવી કંપનીઓના વડા એલોન મસ્કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સભ્યપદની વકાલત કરી છે. તેમણે કહ્યું છે કે, વિશ્વના સૌથી મોટા સંગઠન સંયુક્ત રાષ્ટ્રમાં કેટલાક મુદ્દાઓ પર ફેરફાર કરવાની જરૂર છે. ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવાને કારણે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કાયમી […]

ચીની સૈનિકો બોલ્યા જય શ્રીરામ, LACનો વીડિયો સોશયલ મીડિયા પર વાયરલ

નવી દિલ્હી: રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સમારંભ બાદ હવે પટ સામાન્ય જનતા માટે પણ ખુલી ચુક્યા છે. આખા દેશમાં સોમવારે દિવાળી જેવો માહોલ હતો. ખાસ વાત એ છે કે ભારત જ નહીં અમેરિકા, મેક્સિકો, જાપાન સહીત દુનિયાના ઘણાં દેશોમાં રામના નામની ગુંજ સંભળાય રહી છે. આ દરમિયાન વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં લાઈન ઓફ […]

મ્યાંમાર બોર્ડર પર કેન્દ્ર સરકારનું ફેન્સિંગ કરવાનું એલાન, સમાપ્ત થશે મુક્ત આવાગમન

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ભારત-મ્યાંમાર સાથેની બોર્ડર પર ફેન્સિંગ લગાવવાનું એલાન કર્યું છે અને આ સિવાય મુક્ત આવાગમનને પણ રોકવાનો નિર્ણય કર્યો છે. આ ઘોષણા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કરી છે. એનડીટીવીના રિપોર્ટ પ્રમાણે, મ્યાંમારની સાથેની સીમા પર ફેન્સિંગ અને મુક્ત આવાગમન પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code