પાકિસ્તાને આતંકવાદી મસૂદ અઝહર વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએઃ ભારત
નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનને જૈશ-એ-મોહમ્મદ (JeM)ના વડા મસૂદ અઝહર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. અઝહર 2001માં ભારતીય સંસદ પર હુમલા અને 2019માં પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે પાકિસ્તાનના બહાવલપુરમાં એક સભાને સંબોધી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “મસૂદ અઝહર યુએન દ્વારા નિયુક્ત કરાયેલો આતંકવાદી છે. અમે માંગ કરીએ છીએ […]


