1. Home
  2. Tag "isro"

23 ઓગસ્ટને “રાષ્ટ્રીય અવકાશ દિવસ” તરીકે જાહેર કરાયો

નવી દિલ્હીઃ વિક્રમ લેન્ડરનું સલામત અને નરમ ઉતરાણ કરનાર અને દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન રોવરને તૈનાત કરનાર ચંદ્રયાન-3 મિશનની નોંધપાત્ર સફળતાની ઉજવણી કરવા માટે ભારત સરકારે 23 ઓગસ્ટને “રાષ્ટ્રીય અવકાશ દિવસ” તરીકે જાહેર કર્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિએ ભારતને અવકાશમાં પ્રવાસ કરતા રાષ્ટ્રોના ચુનંદા જૂથમાં સ્થાન આપ્યું છે, જેના કારણે ભારત ચંદ્ર પર ઉતરનાર ચોથો દેશ છે અને ચંદ્રના […]

ISRO: સૌર મિશન આદિત્ય એલ-1એ સૂર્યની સપાટી ઉપર ઉદભવેલુ વાવાઝોડુ કેમેરામાં કેદ થયું

નવી દિલ્હીઃ ISROના સૌર મિશન આદિત્ય L1 એ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આદિત્ય L1 પર લગાવેલા બે ઉપકરણોએ સૂર્યની સપાટી પરથી ઉભા થતા સૌર તોફાનની ઘટનાને કેમેરામાં કેદ કરી છે. આ સૌર તોફાનો પૃથ્વી પર પણ અસર કરે છે. જો કે, અત્યાર સુધી વૈજ્ઞાનિકો એ શોધી શક્યા નથી કે સૂર્યની સપાટીથી ઉભા થતા આ […]

ISRO: તમિલનાડુમાં નવા લિક્વિડ રોકેટ એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ

બેંગ્લોરઃ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા, ISROએ એડિટિવ મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજી દ્વારા ઉત્પાદિત નવા લિક્વિડ રોકેટ એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. તમિલનાડુના મહેન્દ્રગિરીમાં ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સ ખાતે 9મી મેના રોજ સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નવા પુનઃડિઝાઇન કરેલ PS4 એન્જિને ભાગોની સંખ્યા 14થી ઘટાડીને એક ભાગ પર લાવી છે અને 19 વેલ્ડ સાંધાને દૂર કર્યા છે. આનાથી […]

ઇસરોએ કરી કમાલ, ભારતના પહેલા રિયુઝેબલ રોકેટ પુષ્પકનું કર્યું સફળ પરીક્ષણ

નવી દિલ્હી: ઈસરોએ પુષ્પક નામના પોતાના પહેલા રિયુઝેબલ લોન્ચ વ્હીકલના લેન્ડિંગ મિશનને સફળતાપૂર્વક પાર પાડયું છે. આ પરીક્ષણ શુક્રવારે ચિત્રદુર્ગની પાસે ચલ્લકેરેમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જમાં સવારા સાત વાગ્યે અને 10 મિનિટે કરવામાં આવ્યું. આ એ શ્રૃંખલાનું બીજું પરીક્ષણ છે. પ્રક્ષેપણ સ્થળ પર ઈસરો અધ્યક્ષ એસ. સોમનાથ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. આ પરીક્ષણ […]

સમુદ્રયાને સફળતાપૂર્વક પસાર કર્યો ટેસ્ટ, જાણો ક્યારે લોન્ચ થશે?

નવી દિલ્હી: ચંદ્રયાન બાદ હવે ઈસરો પોતાની મહત્વકાંક્ષી સમુદ્રયાનની યોજનાની તૈયારીમાં લાગી ગયું છે. ઈસરોએ સમુદ્રયાન મિશનમાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે. રવિવારે બંગાળની ખાડીમાં સમુદ્રની અંદર કેટલાક ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. તેના પછી પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરેન રિજિજૂએ કહ્યુ છે કે સમુદ્રયાન મિશનને 2025ના આખર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. તેમણે કહ્યુ છે […]

ઈસરો ચીફ એસ. સોમનાથને થયું કેન્સર, ચંદ્રયાન-3 સમયે બગડવા લાગી હતી તબિયત

બેંગલુરુ: ઈસરો એટલેકે ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનના ચીફ એસ. સોમનાથ કેન્સર પીડિત છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં ખુદ તેમણે જ પોતાની ગંભીર બીમારીનો ખુલાસો કર્યો છે. તેમણે જાણકારી આપી છે કે આદિત્ય-એલ-1 મિશનના લોન્ચિંગ દરમિયાન જ તેમને કેન્સર બાબતે ખબર પડી ગઈ હતી. એટલું જ નહીં કહેવામાં આવે છે કે ઐતિહાસિક ચંદ્રયાન-3 મિશન દરમિયાન જ તેમને […]

ગગનયાન મિશન માટે પસંદ કરાયેલા 4 અવકાશયાત્રીના નામ જાહેર

બેંગ્લુરુઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) ની મુલાકાત લીધી હતી અને લગભગ 1,800 કરોડ રૂપિયાના ત્રણ મહત્વપૂર્ણ અવકાશ માળખાકીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરિકોટા ખાતે PSLV ઈન્ટિગ્રેશન ફેસિલિટીનો સમાવેશ થાય છે; મહેન્દ્રગિરિ ખાતે ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સમાં નવું ‘સેમી-ક્રાયોજેનિક્સ ઈન્ટિગ્રેટેડ એન્જિન અને સ્ટેજ ટેસ્ટ ફેસિલિટી’ […]

ઈસરો શનિવારે INSAT-3DS ઉપગ્રહ અવકાશમાં જીઓસ્ટેશનરી ઓર્બિટમાં મૂકશે

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઈસરો આવતીકાલે સાંજે 5.30 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી INSAT-3DS લોન્ચ કરશે. લોન્ચ વ્હીકલ GSLV-F14 આ ઉપગ્રહને અવકાશમાં જીઓસ્ટેશનરી ઓર્બિટમાં મૂકશે. GSLV-F14ની આ 16મી અને સ્વદેશી ક્રાયો સ્ટેજ સાથેની 10મી ઉડાન હશે. INSAT-3DS સેટેલાઇટ એ જીઓસ્ટેશનરી ઓર્બિટમાંથી ત્રીજી પેઢીના હવામાન શાસ્ત્રીય ઉપગ્રહનું ફોલો-ઓન મિશન છે. ઉપગ્રહ એક વિશિષ્ટ […]

ISRO 17 ફેબ્રુઆરીએ INSAT-3DS લોન્ચ કરશે

મુંબઈઃ ISRO 17 ફેબ્રુઆરીના રોજ ઉપગ્રહ INSAT-3DS લોન્ચ કરશે. આ ઉપગ્રહ હવામાન આગાહી અને આપત્તિના આગમનની ચેતવણી આપશે. ઈસરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, ઉપગ્રહ INSAT-3DSને GSLV F-14 પર લોન્ચ કરવામાં આવશે. શનિવારે 17 ફેબ્રુઆરીના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી સાંજે 5:30 વાગ્યે ઉપગ્રહ INSAT-3DS લોન્ચ કરવામાં આવશે. ઈસરોએ […]

સૌર મિશન આદિત્ય L1ને અંતિમ ભ્રમણકક્ષામાં મૂકાશે

આદિત્ય L1 લેન્ગ્રેજ 1 બિંદુ પર હેલો ઓર્બિટ ભ્રમણકક્ષામાંથી સૂર્યનો અભ્યાસ કરશે આદિત્ય L1 એ 2 સપ્ટેમ્બરથી આ અંતર કાપ્યું લેન્ગ્રેજ બિંદુ L1, પૃથ્વીથી  લગભગ 15 લાખ કિલોમીટર દૂર નવી દિલ્હીઃ સૂર્યનો અભ્યાસ કરવા માટેના ભારતના પ્રથમ મિશન આદિત્ય L1ને આજે અંતિમ ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. આ સાથે ભારત સૂર્યની ગતિવિધિઓનો અભ્યાસ કરવામાં રસ ધરાવતા ટોચના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code