1. Home
  2. Tag "jammu and kashmir"

જમ્મુ-કાશ્મીરની જનતાને વંશવાદની રાજનીતિથી આઝાદી મળીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુના એમએ સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે રૂ. 32 હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, પાછલી સરકારોએ ક્યારેય આપણા સૈનિકોનું સન્માન કર્યું નથી. વન રેન્ક, વન પેન્શનને લઈને કોંગ્રેસ સરકાર છેલ્લા 40 વર્ષથી જવાનો સાથે જુઠ્ઠુ બોલતી […]

ફારુખ અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરમાં એકલા હાથ ચૂંટણી લડવાની કરી જાહેરાત

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના જ બાકી રહ્યાં છે બીજી તરફ ભાજપને પરાસ્ત કરવા માટે એકઠા થયેલા વિપક્ષ દળોનું ઈન્ડી સંગઠન તુટી રહ્યાંના ભણકારા વાગી રહ્યાં છે. નીતિશ કુમારે વિપક્ષનો સાથ છોડીને એનડીએ સાથે જોડાણ કરીને બિહારમાં સરકાર બનાવી છે. જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી […]

આતંકવાદી ભંડોળ કેસમાં NIAના જમ્મુ-કાશ્મીરમાં દરોડા

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદી પ્રવૃતિઓને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરુ કર્યું છે. દરમિયાન આજે એનઆઈએની ટીમે આતંકવાદી ભંડોળ કેસમાં પ્રતિબંધિત જમાત-એ ઈસ્લામી જમ્મુ-કાશ્મીરના વિવિધ સ્થળ ઉપર દરોડા પાડ્યાં હતા. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ કાશ્મીરના કેટલાક ભાગોમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ જમાત-એ-ઇસ્લામી જમ્મુ અને કાશ્મીર દ્વારા આતંકવાદી ભંડોળના કેસના સંબંધમાં સર્ચ હાથ ધર્યું હતું, […]

મની લોન્ડરિંગ કેસમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાને ઈડીએ સમન્સ પાઠવ્યું

નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ એજન્સી EDએ નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાને મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. રિપોર્ટ અનુસાર, તેમને ગુરુવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ED એ જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA) ના મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, EDએ વર્ષ […]

ગૃહ મંત્રાલયે ‘તહેરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર (TeH)’ને ‘ગેરકાયદેસર સંગઠન’ તરીકે જાહેર કર્યું

દિલ્હી: ભારત સરકારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) 1967ની કલમ 3(1) હેઠળ ‘તહેરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર (TeH)’ને ‘ગેરકાનૂની સંગઠન’ તરીકે જાહેર કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે ‘X’ પરની તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે “આ સંગઠન J&K ને ભારતથી અલગ કરવા અને ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ છે. […]

નવા વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવવાની સંભાવના

શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરના વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ ગુલમર્ગમાં શિયાળામાં ભારે ભીડ જોવા મળે છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ખાસ કરીને નવા વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની ધારણા છે. આ તકને ધ્યાનમાં રાખીને ગુલમર્ગ ડેવલપમેન્ટ ઓથોરિટી (GDA) અન્ય વહીવટી પાંખો અને પ્રવાસન ખેલાડીઓ સાથે સફળ શિયાળુ પ્રવાસન સીઝન માટે યોગ્ય તૈયારીઓ કરી રહી છે. […]

પુંછમાં સેનાના વાહન ઉપર થયેલા હુમલા નજીક 3 વ્યક્તિઓના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં સેનાના વાહન ઉપર આતંકવાદીઓ દ્વારા ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના સ્થળ નજીકથી શંકાસ્પદ હાલતમાં 3 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા હતા. પુંછમાં સેનાના વાહન ઉપર આતંકવાદીઓ કરેલા હુમલામાં પાંચ જવાન શહીદ થયાં હતા જ્યારે બે વ્યક્તિઓને ઈજા થઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પોલીસે આઠ વ્યક્તિઓની શંકાના આધારે પૂછપરછ […]

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા:કારગિલ અને લદ્દાખની ધરતી ધ્રૂજી ઉઠી

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી છે. છેલ્લા 24 કલાકમાં 11 વખત ભૂકંપના કારણે અહીં ધરતી ધ્રૂજી ગઈ છે. સતત આવતા ભૂકંપના કારણે હિમાલયના ક્ષેત્રમાં મોટો ભૂકંપ આવે તેવી દહેશત છે. મંગળવારે સવારે 10.31 વાગ્યે ફરી એકવાર કાશ્મીર ઘાટીમાં ભૂકંપ આવ્યો. ભૂકંપના કારણે કારગિલ અને લદ્દાખની ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપ જમીનથી 10 કિલોમીટરની ઉંડાઈએ […]

જમ્મુ-કાશ્મીરની જનતા વિકાસ ઈચ્છે છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ટીકલ 370 અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારતા બ્લોગમાં લખ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લાં ચાર વર્ષ પાયાની લોકશાહીમાં નવેસરથી વિશ્વાસનું પ્રતીક છે અને વિકાસ, લોકશાહી અને ગૌરવ દ્વારા નિરાશા, નિરાશા અને હતાશાનું સ્થાન લીધું છે. આ મુદ્દે કેટલાક દસકોથી ભાજપાના સભ્યના રૂપથી હું જોડાયેલો છું અને તેમાં જોડાયેલી […]

જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે તેની કોઈ આંતરિક સાર્વભૌમત્વ નથી: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દુર કરવાના મામલે મોદી સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાત મળી છે. આર્ટીકલ 370 હટાવવાના નિર્ણયને યોગ્ય ઠરાવ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે તેની કોઈ આંતરિક સાર્વભૌમત્વ નથી. 5મી ઓગસ્ટ 2019ના રોજ મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370ના પ્રભાવને ખત્મ કર્યો હતો, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code