ગુજરાતમાં મહેસુલી વિભાગે સર્વેની કામગીરી પૂર્ણ કરતા હવે જંત્રીના નવા દર જાહેર કરાશે
ગાંધીનગરઃ રાજ્યના તમામ વિસ્તારોમાં જંત્રીના દર નક્કી કરેલા છે. અને જંત્રી મુજબ દસ્તાવેજો કરવા પડે છે. દરમિયાન ગુજરાત સરકારે ગત એપ્રિલ મહિનામાં એકાએક જંત્રીના ભાવ ડબલ કરી નાંખ્યા હતા. વૈજ્ઞાનિક રીતે સર્વે કર્યા વગર જ આ જાહેરાત કરી દેતા તત્કાલિન સમયે અનેક ફરિયાદો થઈ હતી અને બિલ્ડરોએ જોરદાર વિરોધ કર્યો હતો. ત્યારબાદ રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેકટરો અને […]