1. Home
  2. Tag "jharkhand"

સંતોષ ગંગવારે ઝારખંડના 12મા રાજ્યપાલ તરીકે શપથ લીધા

નવી દિલ્હીઃ સંતોષ ગંગવારે બુધવારે સવારે ઝારખંડના 12મા રાજ્યપાલ તરીકે શપથ લીધા. ઝારખંડ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સુજીત નારાયણ પ્રસાદે રાંચીમાં રાજભવનના બિરસા પેવેલિયનમાં આયોજિત એક સમારોહમાં તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથ લીધા બાદ મુખ્યમંત્રી હેમંત સોરેને તેમને શુભેચ્છા પાઠવી હતી. શપથ ગ્રહણ પ્રસંગે ઝારખંડ વિધાનસભાના અધ્યક્ષ રવિન્દ્રનાથ મહતો, રાજ્ય સરકારના અનેક […]

ઝારખંડના ચક્રધરપુર નજીક હાવડા-મુંબઈ મેલ પાટા પરથી ઉતરતા 2 મોત, 50 ઘાયલ

નવી દિલ્હીઃ ઝારખંડના ચક્રધરપુર રેલવે ડિવિઝનમાં મંગળવારે સવારે 4 વાગ્યે એક મોટી ટ્રેન દુર્ઘટના ઘટી. હાવડાથી મુંબઈ જતી 12810 મુંબઈ મેલને રાજખારસાવન-બડાબામ્બો સ્ટેશન વચ્ચે અકસ્માત નડ્યો. ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં બે મુસાફરોના મોત થયા છે, જ્યારે 50 મુસાફરો ઘાયલ થયા છે. રેલવેની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. […]

હેમંત સોરેને વિશ્વાસનો મત જીત્યો, મતદાન દરમ્યાન ભાજપના ધારાસભ્યોએ કર્યુ વિધાનસભામાંથી વોકઆઉટ

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને સોમવારે આજે વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો. વિશ્વાસ મતની તરફેણમાં 45 મત પડ્યા હતા જ્યારે વિરોધમાં શૂન્ય મત પડ્યા હતા. મતદાન દરમિયાન ભાજપના ધારાસભ્યોએ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું. મતદાન પહેલા વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા હેમંત સોરેને ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો. હેમંત […]

ઝારખંડમાં હેમંત સોરેને ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા

નવી દિલ્હીઃ ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને રાજભવનમાં હેમંત સોરેનને મુખ્યમંત્રી પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. હેમંત સોરેન ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે. બુધવારે ચંપાઈ સોરેને સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તાજેતરમાં જ હાઈકોર્ટે તેમને જમીન સંબંધિત મની […]

ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું, હેમંત સોરેને સરકાર બનાવવાનો દાવો કર્યો

નવી દિલ્હીઃ ઝારખંડમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી ચંપાઈ સોરેન અને પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન બુધવારે સાંજે રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા હતા . આ દરમિયાન મુખ્યમંત્રી ચંપાઈ સોરેને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. હેમંત સોરેન જેલમાંથી બહાર આવ્યા બાદ બુધવારે ભારતની બેઠક યોજાઈ હતી, જેમાં સર્વસંમતિથી હેમંત સોરેનને ફરીથી ઝારખંડના મુખ્યમંત્રી […]

જમીન કૌભાંડ મામલે ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનને મોટી રાહત, હાઈકોર્ટમાંથી મળ્યાં જામીન

નવી દિલ્હીઃ ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનને હાઈકોર્ટે મોટી રાહત આવી છે. કોર્ટે કથિત જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં જામીન મંજુર કર્યાં છે. કોર્ટે સોરેનની જામન અરજી ઉપર ચુકાદો 13મી જૂને અનામત રાખ્યો હતો. સોરેનના સિનિયર વકીલ અરુણાભ ચૌધરીએ જણાવ્યું હતું કે, સોરેનને જામીન મળી ગયા છે. ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના કાર્યકારી પ્રમુખ […]

ઝારખંડમાં દેશનો પ્રથમ ભૂગર્ભ કોલ ગેસિફિકેશન પ્રોજેક્ટ કેન્દ્ર સરકારે શરૂ કર્યો

નવી દિલ્હીઃ કોલસા મંત્રાલયે ઝારખંડમાં ભૂગર્ભ કોલ ગેસિફિકેશન માટે ભારતનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પહેલનો હેતુ કોલ ગેસિફિકેશનના ઉપયોગ દ્વારા ઔદ્યોગિક ઉપયોગ માટે મિથેન, હાઇડ્રોજન, કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ જેવા મૂલ્યવાન વાયુઓમાં રૂપાંતરિત કરવાનો છે.  આ પાયલોટ પ્રોજેક્ટ કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) અને તેની પેટાકંપનીઓ માટે નોંધપાત્ર સિદ્ધિ છે. અમે તમને જણાવી […]

ઝારખંડના ધનબાદમાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચાર વ્યક્તિના મોત

ધનબાદ: ઝારખંડમાં ગમખ્વાર માર્ગ અકસ્માત ઘટના બની છે. ધનબાદ નજીક ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે એક વ્યક્તિને ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયાં હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. મૃતદેહોને પીએમ […]

સાપ્તાહિક રજા મામલે ટીકા કરનાર પીએમ મોદીને કોંગ્રેસનો જવાબ, ભાજપની માનસિકતા અંગ્રેજો કરતા વધુ ખતરનાક

PM નરેન્દ્ર મોદીએ દુમકામાં ચૂંટણી રેલી દરમિયાન ‘શુક્રવારે સાપ્તાહિક રજા’નો મુદ્દો ઉઠાવતા ઝારખંડની વર્તમાન સરકાર પર પ્રહારો કર્યા હતા. આના પર ઝારખંડની ગઠબંધન સરકારના ઘટકપક્ષ કોંગ્રેસે જવાબ આપ્યો છે. કોંગ્રેસના નેતા ઈરફાન અંસારીએ દાવો કર્યો છે કે જ્યારે ભાજપ સત્તામાં હતી ત્યારે પણ આ સિસ્ટમ હતી, પરંતુ તે સમયે પીએમ મોદીએ તેમના સીએમ અને મંત્રીઓને […]

લોકસભા ચૂંટણીઃ ઝારખંડમાં PM મોદીના કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા ઉપર આકરા પ્રહાર

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તેઓ લોકોને લૂંટી રહ્યા છે. રાજ્યમાં ઘણા સુંદર પહાડો છે, પરંતુ ઝારખંડની ચર્ચાઓ ચલણી નોટોના પહાડો મામલે થઈ રહી છે. આ દરમિયાન તેમણે દાવો કર્યો કે, કોંગ્રેસ અને જેએમએમને માત્ર તેમની વોટ બેંકની ચિંતા છે. ઝારખંડના દુમકામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code