લોકપાલ જસ્ટિસ પિનાકીચંદ્ર ઘોષે લોકપાલના નવનિયુક્ત તમામ આઠ સદસ્યોને ગ્રહણ કરાવ્યા શપથ
ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા લોકપાલના નવનિયુક્ત તમામ આઠ સદસ્યોએ બુધવારે શપથગ્રહણ કર્યા છે. અધિકારીઓએ કહ્યુ છે કે લોકપાલ અધ્યક્ષ જસ્ટિસ પિનાકીચંદ્ર ઘોષે તેમને શપથ અપાવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે દેશના પ્રથમ લોકપાલ તરીકે જસ્ટિસ પિનાકીચંદ્ર ઘોષને શપથગ્રહણ કરાવ્યા હતા. વિભિન્ન હાઈકોર્ટ્સના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશો- જસ્ટિસ દિલીપ બી. ભોંસલે, જસ્ટિસ પ્રદીપ કુમાર મોહંતી, જસ્ટિસ અભિલાષા કુમારી […]