1. Home
  2. Tag "Kankerage"

કાંકરેજ નજીક ટ્રકની ટક્કરથી ખિલખિલાટ વેનના ચાલકનું મોત, સગર્ભા મહિલાને ગંભીર ઈજા

પાલનપુરઃ બનાસકાંઠામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં કાંકરેજ-દિયાદર રોડ પર મેડકોલ ગામના પાટિયા નજીક આઈસર ટ્રક અને ખીલખિલાટવેન વચ્ચે અકસ્માત સર્જાતા વેનચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે વાનમાં બેસેલા સગર્ભા મહિલા ગંભીર રીતે ઘાયલ થતા સ્થાનિક લોકોની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અકસ્માતને લીધે રોડ પર […]

બનાસકાંઠાના કાંકરેજમાં બનાસ નદીમાં ખાણ માફિયાઓ ઉપર ખાણ ખનીજ વિભાગના દરોડા

પોલીસ સાથે મળીને પાડ્યાં દરોડા દરોડા દરમિયાન 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો તંત્રની કાર્યવાહીને પગલે ખાણ માફિયાઓમાં ફફડાટ અમદાવાદઃ બનાસકાંઠામાં ખનીજ માફિયાઓ સામે ખાણ-ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન કાંકરેજના મોટા જામપુરની બનાસ નદીમાં ખાણ ખનીજ વિભાગ અને શિહોરી પોલીસે દરોડો પાડતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસે સ્થળ પરથી 15 જેટલા […]

કાંકરેજ તાલુકાના શિરવાડાનો તલાટી કમ મંત્રી 50 હજારની લાંચ લેતા રંગે હાથ પકડાયો

અમદાવાદઃ ગુજરાતમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. હવે તો કોઈનો ય ડર ન હોય તેમ લાંચિયા કર્મચારીઓ બિન્દાસ્તથી લાંચ માગતા હોય છે. મોટાભાગના લાંચ માગવાના કિસ્સામાં લોકો એસીબીને ફરિયાદ કરવાનું ટાળતા હોય છે. એટલે લાંચના કેસ પકડાતા નથી. દરમિયાન બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિરવાડા ગામના તલાટીને રૂપિયા 50 હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ પકડી […]

કાંકરેજ તાલુકાની સુજલામ્ સુફલામ્ કેનાલમાં પાણી ન છોડાતા ખેડુતોને મુશ્કેલી

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખેડૂતો માત્ર ખેતી અને પશુપાલન પર નિર્ભય છે. ત્યારે ગત વર્ષે ઉપરવાસમાં સારો વરસાદ થતાં દાંતીવાડા જળાશય ભરાયો હતો અને ઓવરફ્લો થતા બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું પરંતુ પાણી માત્ર કાંકરેજ તાલુકાના ઉંબરી-કંબોઇ પાસે આવ્યું અને જળાશયના દરવાજા બંધ કરી દેવાતા ખેડૂતો નારાજ થયાં હતા. દાંતીવાડા ડેમમાં હાલ પુરતું […]

બનાસકાંઠાના કાંકરેજમાં યુરિયા ખાતરની તંગી, ખેડુતોએ મામલતદારને આપ્યુ આવેદનપત્ર

પાલનપુરઃ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં રવિ સીઝનના ટાણે જ યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડુતો પરેશાન થઈ રહ્યા છે. દરમિયાન કૃષિમંત્રીએ દાવો કર્યો હતો કે, રાજ્યમાં યુરિયાની કોઈ અછત નથી, ખેડુતોને પુરતા પ્રમાણમાં ખાતર મળશે. જ્યારે કૃષિ વિભાગ દ્વારા એવી ટિપણી કરવામાં આવી છે કે, યુરિયાની અછતના ભયને લીધે ખેડુતો બીન જરૂરી સ્ટોક કરી રહ્યા છે. દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code