1. Home
  2. Tag "Kolkata"

કોલકાતાઃ સુરક્ષા સાથે જોડાયેલી ગુપ્ત વિગતો પાક. એજન્સીને પહોંચનાર જાસૂસ ઝડપાયો

કોલકાતા, 21 મે 2026: રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ દેશની સુરક્ષા સામે મોટો ખતરો ઉભો કરનાર પાકિસ્તાન સમર્થિત એક જાસૂસની ધરપકડ કરી છે. આ જાસૂસ પર ભારત વિરોધી આતંકી ષડયંત્રના ભાગરૂપે દેશની સુરક્ષા સંબંધિત અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ માહિતીઓ છૂપી રીતે પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સુધી પહોંચાડવાનો ગંભીર આરોપ છે. મળતી માહિતી મુજબ, કોલકાતાના રહેવાસી ઝફર […]

કોલકાતામાં મંચ ઉપર પીએમ મોદીએ માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા

કોલકાતા, 9 મે, 2026 – કોલકાતામાં ભાજપની પ્રથમ સરકારના શપથ સમારંભમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંચ ઉપર પહોંચ્યા બાદ ત્યાં ઉપસ્થિતિ માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા હતા. વડાપ્રધાને સૌપ્રથમ શ્રી માખનલાલને શાલ ઓઢાડી હતી અને ત્યારબાદ તેમના ચરણસ્પર્શ કરીને ઘણા લાંબા સમય સુધી તેમને ભેટી રહ્યા હતા. વડાપ્રધાન મોદીના આ જેશ્ચરથી સૌના મનમાં એક સવાલ ઊભો […]

અમે ચૂંટણી હાર્યા નથી, હું રાજીનામું નહીં આપુંઃ મમતા બેનરજી

કોલકાતા, 5 મે, 2026 – અમે ચૂંટણી હાર્યા નથી અને એટલે લોકભવન જઈને મારું રાજીનામું નહીં આપું તે મમતા બેનરજીએ આજે જણાવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામના એક દિવસ પછી આજે મંગળવારે મમતા બેનરજીએ ગંભીર આક્ષેપોનો મારો ચલાવ્યો છે. કોલકાતામાં પત્રકાર પરિષદને સંબોધતા તેમણે ચૂંટણીપંચ અને ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. મમતા બેનરજીએ ભારતના ચૂંટણીપંચને આ […]

કોલકાતામાં ભાજપ-ટીએમસી કાર્યકરો વચ્ચે થયેલી અથડામણ દરમિયાન ચૂંટણી પંચે પોલીસ પાસેથી રિપોર્ટ માંગ્યો  

કોલકાતા, 15 માર્ચ 2026: ગિરીશ પાર્ક ખાતે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ગઈકાલે થયેલી અથડામણ દરમિયાન કેન્દ્રીય દળોનો ઉપયોગ ન કરવા અંગે ચૂંટણી પંચે કોલકાતા પોલીસ કમિશનર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં હાજરી આપવા માટે ભાજપના સમર્થકો જઈ રહ્યા હતા ત્યારે આ અથડામણ થઈ હતી. આ […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

કોલકાતા, 14 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં આશરે 18,680 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આશરે 16,990 કરોડના ખર્ચે 420 કિમીથી વધુના અનેક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સમાં પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 19 અને પશ્ચિમ બંગાળમાં નેશનલ હાઈવે 114 ના ભાગોનો સમાવેશ થાય છે. […]

ચૂંટણી પંચે કોલકાતામાં પશ્ચિમ બંગાળના અધિકારીઓ સાથે ચૂંટણી તૈયારીઓ અંગે બેઠક યોજી

કોલકાતા, 10 માર્ચ 2026: ચૂંટણી પંચે કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી, રાજ્ય પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી તૈયારીઓ અંગે બેઠક યોજી હતી. કમિશન હવે રાજ્યના મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યું છે. બૂથ-સ્તરના અધિકારીઓ સાથેની વાતચીત પછી એક પત્રકાર પરિષદ યોજાશે. મુખ્ય ચૂંટણી […]

પૂર્વ ભારત અને બાંગ્લાદેશમાં ભૂકંપના જોરદાર આંચકા, કોલકાતામાં લોકોમાં ભારે ગભરાટ

કોલકાતા, 27 ફેબ્રુઆરી 2026: પૂર્વ ભારત અને પાડોશી દેશ બાંગ્લાદેશમાં શુક્રવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાતા સામાન્ય જનજીવન હચમચી ગયું હતું. કોલકાતા સહિતના પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાં મધ્યમ તીવ્રતાના ભૂકંપને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. શુક્રવારે બપોરે અંદાજે 1:22 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 થી 5.5 નોંધાઈ હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ ભૂકંપનું […]

કોલકત્તાઃ ઇન્ડિગોની ફ્લાઇટમાંથી મળી બોમ્બની ધમકીભરી ચિઠ્ઠી

કોલકાતા, 14 ફેબ્રુઆરી 2026: નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે તે સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે કોલકાતાથી શિલોંગ જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ ધમકી વિમાનના શૌચાલયમાંથી એક હસ્તલિખિત નોંધ (ચિઠ્ઠી) સ્વરૂપે મળી આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, ઇન્ડિગોની ફ્લાઇટ 6E-7304 કોલકાતાથી શિલોંગ માટે ઉડાન […]

નેપાળ-ઇસ્તાંબુલ ફ્લાઇટના એન્જિનમાં ટેકનિકલ ખામીને કારણે કોલકાતામાં કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

કોલકાતા, 04 ફેબ્રુઆરી 2026: કાઠમંડુથી ઇસ્તંબુલ જતી ટર્કિશ એરલાઇન્સની ફ્લાઇટ THY-727 ને ટેકનિકલ સમસ્યાને કારણે કોલકાતા વાળવામાં આવી હતી. ટેકઓફ કર્યા પછી તરત જ એન્જિનમાં ગંભીર ખામી જોવા મળી હતી. પાઇલટ્સની સતર્કતાને કારણે, વિમાનમાં સવાર તમામ 236 મુસાફરો અને 11 ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે બચી ગયા. વિમાનનું કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર […]

અમિત શાહે કોલકાતાના આનંદપુરમાં મોમો ફેક્ટરીમાં લાગેલી આગને ભ્રષ્ટાચારનું પરિણામ ગણાવ્યું

કોલકાતા, 31 જાન્યુઆરી 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોલકાતાના આનંદપુર વિસ્તારમાં વો મોમો ફેક્ટરી અને વેરહાઉસમાં તાજેતરમાં લાગેલી ભીષણ આગ અંગે મમતા બેનર્જી સરકાર પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે આ આગ કોઈ સામાન્ય અકસ્માત નથી, પરંતુ રાજ્ય પ્રશાશનમાં ફેલાયેલા ભ્રષ્ટાચારનું પરિણામ છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા બંગાળની મુલાકાતે આવેલા શાહે કોલકાતાને અડીને આવેલા ઉત્તર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code