1. Home
  2. Tag "Lashkar-E-Taiba"

લાહોરમાં લશ્કર-એ-તૈયબાના સ્થાપક આમીર હમઝા પર અંધાધૂંધ ફાયરિંગ

ઈસ્લામાબાદ, 16 એપ્રિલ 2026: પાકિસ્તાનના લાહોરમાં ગુરુવારે સવારે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને કુખ્યાત મૌલાના આમીર હમઝા પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. લાહોરના વ્યસ્ત ગણાતા પેકો રોડ પર પિંડી સ્ટોપ પાસે અજાણ્યા બાઇક સવાર બંદૂકધારીઓએ હમઝાની ગાડી પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં આમીર હમઝા ગંભીર રીતે ઘાયલ થયો હોવાના […]

દિલ્હી પોલીસે લશ્કર-એ-તૈયબાના કમાન્ડર શબ્બીર લોનની કરી ધરપકડ

નવી દિલ્હી, 30 માર્ચ 2026: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આતંકવાદ વિરુદ્ધ એક ઓપરેશનમાં મોટી સફળતા મેળવી છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) ના ટોચના કમાન્ડર શબ્બીર અહેમદ લોનની બાંગ્લાદેશ સરહદ નજીકથી ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પોલીસના જણાવ્યા અનુસાર, લોન ઢાકા (બાંગ્લાદેશ) નજીક છુપાઈને લશ્કરના એક સક્રિય મોડ્યુલનું સંચાલન કરી રહ્યો હતો. સૂત્રોના […]

ભારતમાં અસ્થિરતા ફેલાવવા માંગતા 15 આતંકી સંગઠનો હજુ પાકિસ્તાનમાં સુરક્ષિત, અમેરિકી રિપોર્ટમાં ઘટસ્ફોટ

નવી દિલ્હી, 28 માર્ચ 2026: પાકિસ્તાન આતંકવાદનું ‘એપીસેન્ટર’ હોવાના ભારતના દાવા પર વધુ એક વખત આંતરરાષ્ટ્રીય મહોર વાગી છે. અમેરિકાની પ્રતિષ્ઠિત ‘કોંગ્રેસ રિસર્ચ સર્વિસ’ (CRS)એ જાહેર કરેલા તેના ‘ઇન ફોકસ’ રિપોર્ટમાં પાકિસ્તાનનો અસલી ચહેરો ખુલ્લો પાડ્યો છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન આજે પણ ભારત વિરોધી આતંકવાદી સંગઠનો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બનેલું છે, જ્યાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ […]

રાજૌરી જિલ્લામાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ લશ્કર-એ-તૈયબાના સભ્ય તરીકે થઈ

જમ્મુ અને કાશ્મીર, 12 માર્ચ 2026: જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંકળાયેલી હોવાનું જાણવા મળ્યું છે. રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરના ઝાંગર વિસ્તારમાં આ આતંકવાદી તેના સાથી સાથે સરહદ પારથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેને ઠાર મારવામાં આવ્યો હતો. […]

દિલ્હીઃ લશ્કરના મોડ્યુલની તપાસમાં ચોંકાવનારો ખુલાસો, બાંગ્લાદેશમાં બેઠો હતો આકા

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી 2026: દિલ્હીમાં પકડાયેલા લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકી મોડ્યુલને લઈને સુરક્ષા એજન્સીઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આ મોડ્યુલનો કથિત હેન્ડલર શબ્બીર અહેમદ લોન છે, જેણે બાંગ્લાદેશને પોતાનું સુરક્ષિત ઠેકાણું બનાવ્યું હતું અને ત્યાંથી જ ભારતમાં આતંકી ગતિવિધિઓનું સંચાલન કરી રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, શબ્બીર સીધો જ લશ્કરના […]

હાફિઝના આતંકીએ ભારતને ફરીથી આપી ધમકી, સુરક્ષા એજન્સીઓ સાબદી બની

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પો ધમધમી રહ્યાં છે અને પાકિસ્તાનમાં બેઠાલા આતંકવાદીઓ ભારતમાં ભાંગફોડ કરવાની મેલી મુરાદ ધરાવે છે અને અવાર-નવાર ભારતને ધમકીઓ આપે છે. દરમિયાન પાકિસ્તાનને ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓંક્યું છે. હાફિઝ સઈદના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના કમાન્ડર આમિર જીયાએ ઓપન મંચ ઉપર કાશ્મીરમાં આતંક ફેલાવવા અને ભારતમાં તબાહી મચાવવાની […]

ISIનું નવું ષડયંત્ર: પાકિસ્તાની આતંકી સંગઠનો અને હમાસ વચ્ચે ગઠબંધન

નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI હવે કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા માટે ખતરનાક રમત રમી રહી છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, ISI પેલેસ્ટાઈન સંગઠન ‘હમાસ’ ને પાકિસ્તાની આતંકી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સાથે એક મંચ પર લાવવાના પ્રયાસો કરી રહી છે. તાજેતરમાં હમાસના પ્રતિનિધિઓએ પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (PoK) માં આતંકી કાર્યક્રમોમાં હાજરી […]

પાકિસ્તાનમાં ભારતનો વધુ એક દુશ્મન ઠાર, લશ્કરના આતંકવાદી હંજલા અદનાનની હત્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભારતના વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની હત્યા થઈ છે. લશ્કર-એ-તૈયબાના આતંકી નેતા અદનાન અહમદ ઉર્ફે હંજલા અદનાનની કરાચીમાં અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી. હંજલા વર્ષ 2016માં પંપોર ખાતે સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. આ હુમલામાં આઠ ભારતીય જવાનો શહીદ થયાં હતા. જ્યારે 22 જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયાં હતા. સુત્રોના […]

ભારતનો વધુ એક દુશ્મન પાકિસ્તાનમાં ખલાસ,લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી અકરમ ગાઝી ઠાર મરાયો

દિલ્હી: ભારતના દુશ્મનોને દેશની બહારથી સતત ખતમ કરવામાં આવી રહ્યા છે. ભારત વિરુદ્ધ અવારનવાર ઝેર ઓકનાર લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીને ઠાર કરવામાં આવ્યો છે. અકરમ ગાઝીની ગુરુવારે પાકિસ્તાનના બાજૌરમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. તેઓ 2018 થી 2020 સુધી ભરતી સેલના વડા પણ હતો. તે ભારત વિરુદ્ધ ઉગ્રવાદી ગતિવિધિઓમાં સામેલ […]

કાશ્મીર ઉપરાંત પંજાબમાં અરાજકતા ફેલાવવાના કાવતરાનો પર્દાફાશ

નવી દિલ્હીઃ પંજાબ પોલીસના સ્ટેટ ઓપરેશન સેલે આતંકવાદીઓ સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા બે આતંકવાદીઓને ઝડપી લીધા હતા. તેમની પાસેથી મોટી સંખ્યામાં મારક હથિયારો જપ્ત કર્યાં હતા. પ્રાથમિક તપાસમાં આતંકવાદીઓએ કબુલાત કરી હતી કે, તેઓ રાજ્યમાં અશાંતિ ફેલાવવાના ઈરાદાથી આવ્યાં હતા. પંજાબ પોલીસે જણાવ્યું હતું કે, કેન્દ્રીય એજન્સીઓ સાથે ચાલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code