1. Home
  2. Tag "lk advani"

૬ એપ્રિલ, ભાજપાનો સ્થાપના દિવસ : વૈચારિક સંઘર્ષથી ‘વિકસિત ભારત’ના સંકલ્પ સુધીની ભાજપાની વિકાસયાત્રાની એક ઝલક

૨૦૨૪ લોકસભાની ચૂંટણીના પરિણામોએ ભારતની રાજનીતિમાં નવો ઈતિહાસ રચ્યો હતો. કોઈ બિનકોંગ્રેસી સરકાર સતત ત્રીજી વખત પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવી હોય તેવું દેશના રાજકીય ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું હતું. ૨૦૧૪ – ૨૦૧૯ અને ૨૦૨૪માં ભારતીય જનતા પાર્ટીને મળેલું પ્રચંડ જનસમર્થન એ વાતની સાબિતી છે કે દેશની જનતાને ભાજપા પર પૂર્ણ ભરોસો છે. રાષ્ટ્રવાદી […]

લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી છે. શનિવારે તેમને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અડવાણીની સારવાર ન્યુરોલોજી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. વિનીત સૂરીની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. લાલકૃષ્ણ અડવાણી 97 વર્ષના છે. છેલ્લા 4-5 મહિનામાં લગભગ ચોથી વખત તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમને […]

ભાજપના સિનિયર નેતા અડવાણીની તબિયત લથડી, AIIMS માં દાખલ કરાયાં

નવી દિલ્હીઃ બીજેપીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને મોડી રાત્રે દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે. વૃદ્ધાવસ્થા સંબંધિત કેટલીક તકલીફોને પગલે તેમને દાખલ કરવામાં આવ્યા હતા. AIIMSના અધિકારીઓએ જણાવ્યું હતું કે નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત સ્થિર છે અને ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. 96 વર્ષીય નેતાને AIIMSના જેરિયાટ્રિક વિભાગના ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં […]

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ લાલકૃષ્ણ અડવાણી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ રવિવારે ભારત રત્ન અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત લીધી હતી. આ દરમિયાન અડવાણીની પુત્રી પ્રતિભા અડવાણી પણ હાજર હતી. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના NDA નેતા નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે નવી દિલ્હીમાં છે. મોદી આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં […]

૬ એપ્રિલ, ભાજપાનો સ્થાપના દિવસ : ૨ થી ૩૦૩ બેઠકો સુધીની ભાજપાની વિકાસયાત્રાની એક ઝલક

પ્રશાંત વાળા, પૂર્વ પ્રદેશ કન્વીનર – ભાજપ મીડિયા સેલ- ગુજરાત ૨૦૧૯ લોકસભાની ચૂંટણીના પરિણામોએ ભારતની રાજનીતિમાં નવો ઈતિહાસ રચ્યો હતો. કોઈ બિનકોંગ્રેસી સરકાર સતત બીજી વખત પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવી હોય તેવું દેશના રાજકીય ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું હતું.૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટીને મળેલું પ્રચંડ જનસમર્થન એ વાતની સાબિતી છે કે દેશની જનતાને ભાજપા […]

આઝાદ ભારતની ત્રણ ભૂલોમાં સૌથી મોટી ભૂલ કઈ?

નવી દિલ્હી: રાજીવ ગાંધીની ભૂલ તેમના માતા ઈન્દિરા ગાંધીની ભૂલ કરતા વધુ મોટી હતી. તેનું કારણ છે. કટોકટીમાં આરએસએસની કેડરને નિશાન બનાવીને તેને છંછેડયા બાદ પણ 1984 સુધી ઈન્દિરા ગાંધી આ સંગઠનને હાંસિયામાં રાખવામાં સફળ રહ્યા હતા. રાજીવ ગાંધીએ સિમ્પથી વેવમાં 1984માં ભાજપને માત્ર બે બેઠકોમાં સમેટયું હતું. 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા થઈ હતી અને […]

આઝાદ ભારતની ત્રીજી ભૂલ : 2004માં ફીલ ગુડ અને શાઈનિંગ ઈન્ડિયાએ ભાજપનો રાજકીય રંગ ઝાંખો પાડયો

નવી દિલ્હી:  જાન્યુઆરી, 2004 સુધીમાં ત્રણ મહત્વના હિંદી બેલ્ટના રાજ્યોની ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી હતી. જેના કારણે આની અસર અન્ય રાજ્યોમાં થવાની ગણતરીઓ થવા લાગી હતી. પ્રમોદ મહાજનના નેતૃત્વમાં પાર્ટીના વ્યૂહરચનાકારો અને અડવાણી સમર્થકોએ નિર્ણય કર્યો હતો કે ચૂંટણી સમયથી પહેલા યોજવી જોઈએ અને લહેરનો લાભ ઉઠાવવો જોઈએ. આમા શંકા જાહેર કરનારા એકમાત્ર વ્યક્તિ […]

આઝાદ ભારતની પહેલી ભૂલ: કટોકટી નહીં, પણ તેમાં આરએસએસની કેડરને નિશાન બનાવવી ઈન્દિરા ગાંધીની ભૂલ કેમ હતી?

નવી દિલ્હી:  કટોકટી લાગુ કરવી ભારતીય લોકશાહીના ઈતિહાસમાં કલંકીત ઘટના છે. પરંતુ કટોકટી કરતા પણ મોટી ભૂલ તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ કરી હતી. આ ભૂલ હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કેડરને નિશાન બનાવવી અને તેમને જેલમાં પુરી દેવા. ઈન્દિરા ગાંધી 1977માં કટોકટી ઉઠાવાયા બાદ જનતા મોરચાની સામે હારી ગયા. પણ ત્રણ વર્ષની અંદર જનતા મોરચો તૂટયો […]

આઝાદ ભારતની રાજનીતિને બદલનારી ત્રણ ભૂલો, જાણો ઈન્દિરા, રાજીવ, અટલ-અડવાણીએ શું કરી હતી ભૂલ?

નવી દિલ્હી: મોટા માણસોની નાની ભૂલો પણ ઘણી મોટી સાબિત થતી હોય છે. આવી જ કેટલીક ભૂલોની વાત કરવી છે. આ ભૂલો ભારતના વડાપ્રધાન રહી ચુકેલા વ્યક્તિઓ દ્વારા થઈ છે. જેના કારણે સ્વતંત્ર ભારતની રાજનીતિમાં ધડમૂળથી પરિવર્તનો પણ જોવા મળ્યા છે. આ એવા પરિવર્તનો હતા કે જેણે ભારતની રાજનીતિને ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ લઈ […]

કર્પૂરી ઠાકુર, અડવાણી બાદ ચરણસિંહ, નરસિંહરાવ, સ્વામીનાથનને ભારતરત્ન, ચૂંટણી વર્ષમાં ક્યાં સાધ્યા રાજકીય સમીકરણ?

નવી દિલ્હી: 9મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કિસાન નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ, કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન પી. વી. નરસિંહરાવ અને કૃષિ વૈજ્ઞાનિક એમ. એસ. સ્વામીનાથનને ભારતરત્ન આપવાનું એલાન કર્યું છે. આ પહેલા 23 જાન્યુઆરીએ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર અને 3 ફેબ્રુઆરીએ દેશના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન એલ. કે. અડવાણીને ભારતરત્ન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code