1. Home
  2. Tag "nia"

ટ્રેનોને ઉથલાવવાના કાવતરા કરનારાઓની હવે ખેર નથી,  રેલવે હવે NIAની મદદ લેશે

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રેનોને ઉથલાવવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે, જેને લઈને કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી છે, હવે આવુ કાવતરુ કરનારાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, રેલવે પ્રશાસન એલર્ટ મોડમાં છે, તેમજ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) સાથે પણ આ સંબંધમાં વાતચીત કરવામાં આવી […]

તમિલનાડુમાં ISIS મામલે NIAના 11 સ્થળો ઉપર દરોડા

નવી દિલ્હીઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમે મંગળવારે તમિલનાડુમાં 11 સ્થળોએ દરોડા પાડ્યા હતા. તેમજ એનઆઈએ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આ દરોડા ISISના આતંકવાદ અને આતંકી ફંડિંગ અને ભરતીને લઈને પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ રવિવારે હૈદરાબાદના સૈદાબાદના શંખેશ્વર બજારમાં રહેણાંક એપાર્ટમેન્ટમાં દરોડા પાડીને મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ […]

બિહાર: NIAએ મુખ્ય માઓવાદી નેતા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી

વિશેષ અદાલતમાં એનઆઈએ ફાઈલ કરી ચાર્જશીટ માઓવાદી પ્રવૃતિ સામે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું પટના: દેશમાં આતંકવાદ અને નક્સલવાદી પ્રવૃતિઓને ડામવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન એનઆઈએ દ્વારા પટનાની વિશેષ અદાલતમાં મુખ્ય માઓવાદી નેતાની સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. વિનોદ મુશ્રા નામના આરોપી દ્વારા પ્રતિબંધિત માઓવાદી સંગઠનને ફરીથી બેઠુ […]

કર્ણાટક ભાજપાનું કાર્યાલય ઉડાવવાના આતંકીઓના કાવતરાનો પર્દાફાશ

બેંગ્લોર રામેશ્વર કેફે બ્લાસ્ટ કેસમાં એનઆઈએ આરોપીઓ સામે કરી ચાર્જશીટ એનઆઈએની તપાસમાં થયા હતા ચોંકાવનારા ખુલાસા બેંગ્લોરઃ બેંગ્લોરમાં હાઈપ્રોફાઈલ રામેશ્વર કેફે બ્લાસ્ટ કેસમાં એનઆઈએએ ચાર આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી. તપાસનીશ એજન્સી દ્વારા આ કેસમાં મુસાવિર હુસેન શાજિબ, અબ્દુલ મથીન અહમદ તાહા, માજ મુનીર અહમદ અને મુઝમમ્મિલ શરીફની સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. […]

દિલ્હીઃ ISIS નો આતંકવાદી ઝડપાયો, આરોપી પાસેથી હથિયાર જપ્ત કરાયાં

નવી દિલ્હીઃ દેશમાં તા. 15મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. આઈએસઆઈએસ મોડ્યુઅલના આતંકવાદીને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ આરંભી છે. તપાસનીશ એજન્સી એનઆઈએએ આ આતંકવાદી ઉપર અગાઉ રૂ. 3 લાખનું ઈનામ જાહેર કર્યું છે. આતંકવાદી રિઝવાન દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં રહેતો હતો. પોલીસે આતંકવાદીના અન્ય […]

ખાલિસ્તાની આતંકી લખબીરના મુખ્ય સહયોગીને NIA એ ઝડપી લીધો

નવી દિલ્હીઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ કેનેડા સ્થિત ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ સંધુ ઉર્ફે લંડાના એક મુખ્ય સહયોગીની આતંકવાદી નેટવર્ક સંબંધિત એક મોટા કેસમાં ધરપકડ કરી છે. આ કેસ ઉદ્યોગપતિઓ સહિત અન્ય લોકો પાસેથી ખંડણી ઉઘરાવવી અને ઘાતક હથિયારો સપ્લાય કરવાનો છે. NIAએ એક નિવેદનમાં જણાવ્યું કે મધ્યપ્રદેશના બરવાની જિલ્લાના રહેવાસી બલજીત સિંહ ઉર્ફે […]

કુખ્યાત ડોન છોટા શકીલના સાળા આરિફ શેખનું મોત, ટેરર ફંડિંગ કેસમાં NIAએ ધરપકડ કરી હતી

મુંબઈઃ અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના સાળા આરીફ શેખનું હાર્ટ એટેકથી મોત થયાનું જાણવા મળે છે. દાઉદ ઈબ્રાહિમની ડી ગેંગને મદદ કરવાના આરોપનો સામનો કરતા આરીફની સામે ટેરર ફિંડિગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના સંબંધી આરીફ શેખ ઉર્ફે આરીફ ભાઈજાનનું મુંબઈમાં હાર્ટ એટેકથી નિધન થયું છે. ટેરર ફંડિંગ કેસમાં પકડાયેલો આરીફ શેખ […]

કર્ણાટકઃ રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં NIA એ 11 સ્થળો ઉપર દરોડા પાડ્યાં

બેંગ્લોરઃ રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ મંગળવારે બેંગ્લોર અને કોઈમ્બતુર સહિત લગભગ 11 સ્થળોએ દરોડા પાડ્યા હતા. NIAએ કુમારસ્વામી લેઆઉટ અને બનાશંકરીમાં દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીએ કોઈમ્બતુરમાં જાફર ઈકબાલ અને નયન સાદિક નામના ડોક્ટરોના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હોવાનું જાણવા મળે છે. આ કેસમાં બ્લાસ્ટ કરનાર બે આરોપીઓની પશ્ચિમ બંગાળમાંથી […]

અટારી ડ્રગ્સ કેસમાં NIAએ વધુ એક આરોપીની ધરપકડ કરી

નવી દિલ્હીઃ અટારીમાંથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં એનઆઈએની ટીમ દ્વારા સમગ્ર નેટવર્કમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન દિલ્હીમાંથી એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ પ્રકરણમાં અત્યાર સુધીમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ તેના રિમાન્ડ મેળવાની […]

રામેશ્વરમ કેફે બ્લાસ્ટ કેસમાં ‘NIA’એ બે આતંકીઓને ઝડપ્યાં

બેંગ્લોરઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ શુક્રવારે રામેશ્વરમ કેફે બ્લાસ્ટ કેસમાં પશ્ચિમ બંગાળમાં કોલકાતા નજીકથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. 1 માર્ચના રોજ બેંગલુરુના એક કેફેમાં થયેલા વિસ્ફોટમાં નવ લોકો ઘાયલ થયા હતા. આ આતંકવાદીઓની ઓળખ મુસાવીર હુસૈન શાજીબ અને અબ્દુલ મદીન તાહા તરીકે થઈ છે. NIAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code