1. Home
  2. Tag "Nitin Patel"

કોરોનાના કેસો વધતા હવે ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 50 ટકા પથારી સરકાર હસ્તક રહેશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો બીજો રાઉન્ડ ચિંતાજનક બની રહ્યો છે. દરરોજ 2000થી વધુ કેસ તેમજ 20થી વધુ લોકોના મોત નિપજ્યાં છે.  હાલમાં અમદાવાદ સિવિલ સહિત મોટાભાગની ખાનગી કોવિડ હોસ્પિટલો હાઉસફૂલ થઈ રહી છે. ત્યારે હવે સરકારે ખાનગી કોવિડ હોસ્પિટલની 50 ટકા પથારીઓ પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે. જેની જાહેરાત  નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કરી હતી. […]

ગુજરાતમાં ભાજપે 2022ની વિધાનસભાની ચૂંટણીની શરૂ કરી તૈયારીઓઃ કારોબારીની જાહેરાત

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ આગામી વિધાનસભા ચૂંટણી ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. જેથી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ભાજપના સંગઠનને વધારે મજબુત બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. ભાજપના પ્રદેશ મહામંત્રીઓને વિવિધ ઝોનની જવાબદારી સોંપ્યા બાદ વિવિધ મોરચાના પ્રમુખોની ગઈકાલે જ નિમણુંક કરી હતી. હવે ભાજપના કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. […]

અમદાવાદ સહિત ચાર શહેરોમાં રાત્રિ કર્ફ્યુ તા. 15મી એપ્રિલ સુધી લંબાવાયો

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય રાતના 9થી સવારે 6 કલાક સુધી કર્ફ્યુનો અમલ માસ્ક સહિતના નિયમોનું પાલન કરવા સરકારની અપીલ અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વોઝિટિવ કેસમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. જેથી સંક્રમણ વધારે ન ફેલાય તે માટે રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. હવે આ કરફ્યુની સમય મર્યાદા તા. 15મી એપ્રિલ સુધી […]

ઐતિહાસિક મહત્વ ધરાવતી જૂની શાળાઓનું હેરિટેજ સ્કૂલ તરીકે નવીનીકરણ કરાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલે રજૂ કરેલા બજેટમાં શિક્ષણ વિભાગ માટે રૂ. 32919 કરોડની જોગવાઈ કરી છે. બાળકોના સર્વગ્રાહી વિકાસ સાથે ઉત્તમ શિક્ષણ પ્રદાન કરવા માટે 3400 શાળાઓમાં જરૂરી તમામ સુવિધાઓ વિકસાવવા પાંચ વર્ષ માટે રૂ. 1207 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ઐતિહાસિક મહત્વ અને વિશેષ પ્રકારના વારસાગત સ્થાપત્ય ધરાવતી ખૂબ જૂની […]

ગુજરાતની 20 સિવિલ હોસ્પિટલમાં પંચકર્મ સારવાર અપાશે, ગોધરા-મોરબીમાં નવી મેડિકલ કોલેજ બનશે

અમદાવાદઃ ગુજરાતમાં લોકોને આરોગ્ય લક્ષી સુવિધાઓ મળી રહે તે માટે બજેટમાં વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. સરકારે બજેટમાં આરોગ્ય ક્ષેત્રે 11323 કરોડની ફાળવણી કરી છે. અમદાવાદ સહિતની સિવિલ હોસ્પિટલને અપગ્રેડ કરવામાં આવશે. એટલું જ નહીં 108 સેવામાં નવી એમ્બ્યુલન્સ ઉમેરવામાં આવશે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં જ આર્યુવેદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર મળી રહે તેવુ આયોજન કરવામાં […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રજાએ ભાજપના વિકાસ કાર્યોને આપ્યુ ટ્રિપલ-એ સર્ટિફિકેટઃ નીતિન પટેલ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. વિધાનસભાના બજેટ સત્રમાં નાયબ મુખ્યમંત્રીએ ભાજપની જીતનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ પ્રજાની યુનિવર્સિટીએ ભાજપના વિકાસ કાર્યોને ધ્યાનમાં આપીને ટ્રીપલ એ સર્ટીફિકેટ આપ્યું છે. લોકડાઉન દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે કામગીરીને ધ્યાનમાં રાખીને મતદારોએ જિલ્લા અને તાલુકા પંચાયતમાં પ્રજાએ ભાજપને વિજયી બનાવી છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું […]

ગુજરાત બજેટ 2021- ડાંગ જિલ્લાના ખેડૂતોને રસાયણ મુક્ત ખેતી તરફ વાળવા માટે સરકારની તૈયારી

અમદાવાદઃ નાયબમુખ્ય મંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલે રૂ. 2.27 લાખ કરોડનું અંદાજપત્રી વિધાનસભામાં રજૂ કર્યું છે. આ બજેટમાં ખેડૂતો માટે વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આદિવાસી વિસ્તાર ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાની નેમ રાજ્ય સરકારે વ્યક્ત કરી છે. નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી […]

નીતિન પટેલના ગઢ કડી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

અમદાવાદઃ ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનો ગઢ મનાતા કડી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ફરીથી વિજય થયો છે. રાજ્યમાં નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપે પહેલી નગરપાલિકા કબજે કરી હતી. કડી પાલિકામાં 9 વોર્ડની 36 બેઠકો પૈકી 35 બેઠકો ઉપર ભાજપની જીત થઈ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર કડી નગરપાલિકાના કુલ 9 વોર્ડની 36 બેઠકો પૈકી 26 […]

નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં નવમી વાર બજેટ રજૂ કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આવતીકાલે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી હોવાથી વિધાનસભાની કાર્યવાહી મુલત્વી રાખવામાં આવી છે. એટલે તા. 3 માર્ચના રોજ નાણામંત્રી નીતિન પટેલ નવમી વાર રાજ્યનું બજેટ રજૂ કરશે. નાણાકીય વર્ષમાં બજેટનું કદ રૂ. 2.17 લાખ કરોડનું હતું, પરંતુ આ વખતે કોરોના રોગચાળાને કારણે વર્ષ 2021 -22ના […]

ગુજરાતમાં 2500 હોસ્પિટલમાં વિનામૂલ્યે રસીકરણની કરાઈ વ્યવસ્થાઃ નીતિન પટેલ

અમદાવાદઃ ગુજરાતમાં આજથી ત્રીજા તબક્કાના કોરોના રસીકરણનો શુભારંભ થયો છે. ત્યારે રાજ્યમાં 60 વર્ષથી વધુના લોકોને કોરોનાની રસી વિના મૂલ્યે મળી રહે તે માટે 2500 જેટલી હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. તેમજ તેમણે આવતીકાલે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મતગણતરીમાં પણ ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નાયબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code