1. Home
  2. Tag "Organ donation"

અંગદાન પ્રત્યેની જાગૃતિના સંદેશ સાથે આજે રાષ્ટ્રીય અંગદાન દિવસની ઉજવણી

આજે ત્રીજી ઑગસ્ટને રાષ્ટ્રીય અંગદાન દિવસ તરીકે મનાવાશે. અંગદાન ક્ષેત્રે અગ્રેસર ગુજરાતે અનેક સિદ્ધિ હાંસલ કરી છે. ગત સાત વર્ષમાં રાજ્યમાં 657 અંગદાતા તરફથી કુલ બે હજાર 39 અંગના દાન પ્રાપ્ત થયા છે. રાજ્યમાં અંગદાનથી એક હજાર 130 કિડની, 566 યકૃત, 147 હૃદય, 136 ફેફસાં, 31 હાથ, 19 સ્વાદુપિંડ અને 10 નાના આંતરડા પ્રાપ્ત થયા […]

અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાતને ત્રણ એવોર્ડ

ગાંધીનગરઃ શનિવાર 2 ઓગષ્ટે દિલ્હી ખાતે અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાતને ત્રણ એવોર્ડ મળશે. જેમાં ગુજરાત સરકારને “એક્સલન્સ ઇન પ્રમોશન ઓફ ઓર્ગન ડોનેશન”. ન્યુ સુરત સિવિલ હોસ્પિટલને “બેસ્ટ નોન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન રીટ્રાઇવલ સેન્ટર” અને કિડની ઇન્સ્ટીટ્યુટને “ ટ્રાન્સપ્લાન્ટ કરતી દેશની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ” કેટેગરીમાં એવોર્ડ અપાશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 197માં અંગદાનને કારણે અન્ય લોકોને નવજીવન મળશે

અમદાવાદ: સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ૧૯૭ મું અંગદાન થયું છે.અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ત્રંબકપુર ગામના વતની એવા પરસોત્તમભાઇ વેકરોયાના રસ્તામાં પડી જવાથી મગજમાં હેમરેજ થતા પ્રથમ તેમને ધારી સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ અમરેલી હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ લાવવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.તેમના અંગદાનને […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 196મું અંગદાન

બનાસકાંઠાના નરેશભાઇ ટાકરવાડાના અંગદાનથી એક લીવર, બે કીડની અને હ્રદય મળીને કુલ ૪ અંગોનુ દાન મળ્યુ, હૃદયને સિવિલ મેડીસીટી કેમ્પસની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં આજે 196મું અંગદાન થયું છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના મોટી ભાખર ગામના વતની નરેશભાઇ ટાકરવાડાને તારીખ 03.06.2025ના રોજ પાલનપુર નજીક રોડ અકસ્માત નળ્યો. આ માર્ગ અકસ્માતમાં […]

સુરતમાં અંગદાનને જાગૃતિ ફેલાવવા માટે ‘પતંગોત્સવ ઓર્ગન ડોનર પરિવાર સંગ’ આયોજન

અમદાવાદઃ અંગદાનની જનજાગૃતિ માટે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન અને ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (SGCCI) ના સહકારથી રવિવાર ૧૨ જાન્યુઆરીના રોજ “પતંગોત્સવ ઓર્ગન ડોનર પરિવારને સંગ” નું આયોજન કરવામાં આવ્યું છે. ડોનેટ લાઇફ સંસ્થા સમાજમાં અંગદાનની જનજાગૃતિ ફેલાવવાનું અને બ્રેઇનડેડ વ્યક્તિના પરિવારજનોને સમજાવી બ્રેઇનડેડ વ્યક્તિનું અંગદાન કરવી અંગ […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 2024માં કુલ 124 અંગોનું દાન

ગાંધીનગરઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન અને સ્કિન ડોનેશન ક્ષેત્રે શ્રેષ્ઠત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2024માં એક વર્ષ દરમિયાન કુલ 36 અંગદાન થયા જેણે 124 જેટલા જરૂરિયાતમંદોને નવજીવન બક્ષ્યું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મળેલા 124 અંગોમાં 72 કિડની, 32 લીવર, 13 હ્રદય, એક સ્વાદુપિંડ, 06 ફેફસાનો સમાવેશ થાય છે. વધુમાં આ 36 […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 175મું અંગદાન થયું, 3 વ્યક્તિને મળ્યું નવુજીવન

અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 175મું અંગદાન થયું છે. જાન્યુઆરી 2024 થી ડિસેમ્બર 03 સુધીમાં એટલે કે 11 મહિનામાં થયેલ આ 36 મું અંગદાન છે. 175 માં અંગદાનની વિગતો જોઈએ તો, અમદાવાદ ના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા સતિષ ચૌહાણને બ્લડ પ્રેસરની બિમારીને કારણે મગજની નસ ફાટી જતા બ્રેઈન હેમરેજ થયું. તા.27/11/2024 ના રોજ સઘન સારવાર અર્થે સિવિલ […]

સુરેન્દ્રનગરઃ બ્રેઈનડેડ દર્દીના અંગોનું પરિવારજનોએ દાન કર્યું, ચારને મળ્યું નવજીવન

બાઈક સ્લીપખાતે ચાલકને થઈ હતી ગંભીર ઈજા હોસ્પિટલમાં તબીબોએ બ્રેઈનડેડ જાહેર કર્યાં હતા પરિવારજનોએ અંગદાનની ઈચ્છા જાહેર કરી હતી અમદાવાદઃ બહેનોની રક્ષા કરવા ભાઇ સંકલ્પબધ્ધ હોય છે. બહેનના જીવનમાં ગમે તેવી ક્ષણ આવે, મુશકેલી આવે, પડકાર આવે ભાઇ તેની પડખે રહી બહેનની રક્ષા કરવા તૈયાર જ હોય છે. બહેન ભાઇના આ અતૂટ બંધનને અકબંધ રાખવા જ […]

સિવિલ હોસ્પિટલમાં બ્રેઈન ડેડ યુવાનના અંગોનું દાન, 3 વ્યક્તિને મળશે નવુ જીવન

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ ખાતે થયેલ 158માં અંગદાનની વાત કરીએ તો મજુરી કામ કરતા  ૪૩ વર્ષીય હરિસિંહ ચૌહાણને ઉદયપુર નજીક બાઇક પર એક્સિડેન્ટ થતા પ્રથમ ઉદયપુર ખાતે અને ત્યારબાદ વધુ સઘન સારવાર અર્થે તારીખ 17.6.24 ના રોજ સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા.  સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ 26 જૂનના રોજ ડૉક્ટરોએ હરિસિંહને બ્રેઈન ડેડ જાહેર […]

સુરતમાં ડોનેટ લાઈફ દ્વારા વધુ એક અંગદાનથી પાંચ વ્યક્તિઓને મળ્યું નવુ જીવન

અમદાવાદઃ સુરતમાં માર્ગ અકસમાતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા હિરાના વ્યવસાયીને તબીબોએ બ્રેઈનડેડ જાહેર કરતા તેમના પરિવારજનોએ અંગદાનની જાહેરાત કરી હતી. જેથી સુરતની જાણીતી સામાજીક સંસ્થા ડોનેટ લાઈફ દ્વારા અંગદાનની કાર્યવાહી કરવામાં આવી હતી. પરિવારજનોએ લીવર, કીડની અને ચક્ષુદાન કરીને પાંચ વ્યક્તિઓને નવુ જીવન આપ્યું છે. સુરતના પાસોદરા પાટીયા નજીક રહેતા કિરણકુમાર રમેશભાઈ વેકરીયા (ઉ.વ 46) (મૂળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code