1. Home
  2. Tag "palanpur"

પાલનપુરઃ અકસ્માતમાં બ્રેઈન-ડેડ થયેલા યુવાનના અંગોનું દાન, 3 વ્યક્તિઓને મળ્યું નવજીવન

અમદાવાદઃ ઉત્તરગુજરાતના પાલનપુરમાં વીજ થાંભલા ઉપર ચડીને કામ કરતો યુજીવીસીએલનો ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ ઉપરથી નીચે પડકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તબીબોએ બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. જેથી તેના પરિવારજનોએ યુવાનના અંગોના દાનની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી આરોગ્ય અધિકારીઓએ તેની બે કીડની અને લીવરનું દાન મેળવ્યું હતું. તેમજ અન્ય 3 દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટની કવાયત તેજ કરી હતી. […]

પાલનપુરના ગોળા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા મહિલાનું મોત

પાલનપુરઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. પુર ઝડપે દોડતા વાહનો ઓવરટેક સમયે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માતો સર્જાતા હોય છે. પાલનપુર નજીક ગોળ ગામ પાસે પૂરફાટ ઝડપે આવતી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર મહિવાનું મોત નિપજ્યું હતું, પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. […]

પાલનપુર પાલિકાએ 32 કરોડના ખર્ચે બનાવેલી ગરીબો માટેની આવાસ યોજના 7 વર્ષથી ધૂળ ખાય છે

પાલનપુરઃ સરકાર દ્વારા પ્રજાના ટેક્સના ટેક્સના રૂપિયે અનેક યોજનાઓ બનાવવામાં આવતા હોય છે. જેમાં ઘણી યોજનાઓ તો અધિકારીઓ કે પદાધિકારીની લાપરવાહીથી નિષ્ફલ જતી હોય છે. અને પ્રજાના ટેક્સના પૈસા બરબાદ થતાં હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરીબોને ઘરનું ઘર મળી રહે તે માટે અનેક યોજના અમલમાં મુકી રહ્યા છે. પરંતુ કેટલાક સ્થળોએ તંત્રની બેદરકારીથી ગરીબોને આવાસનો […]

પાલનપુરને અપાતા ધરોઈ ડેમના પાણીમાં 50 ટકાનો કાપ મુકાયો, હવે એકાંતરે 30 મિનિટ જ પાણી મળશે

પાલનપુરઃ બનાસકાંઠામાં ગત ચોમાસા દરમિયાન સારા વરસાદને કારણે આ વખતે પીવાના પાણીની વિકટ સમસ્યા જોવા મળી ન હતી. જોકે જિલ્લાના કેટલાક ગામોમાં ટેન્કરથી પાણી પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે. જ્યારે જિલ્લાનું મથક એવા પાલનપુર શહેરને ધરોઈ ડેમનું પાણી આપવામાં આવે છે. પરંતુ ધરોઈના અપાતા પાણીમાં 50 ટકાનો કાપ મૂકાતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી અપૂરતું પહોંચી […]

પાલનપુરમાં બાઈક કે સ્કુટર પર આવતા કર્મચારીઓને હલ્મેટ વિના ઓફિસમાં નો-એન્ટ્રી

પાલનપુરઃ ગુજરાતમાં દ્વીચક્રી મોટરવાહનો માટે એટલે કે બાઈક અને સ્કુટરના ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત હોવા છતાં મોટાભાગના સ્કુટર કે બાઈકચાલકો હેલ્મેટ પહેરતા નથી. કાયદો વાહનચાલકોની સુરક્ષા માટેનો છે. પણ વાહનચાલકોમાં હજુ આ નિયમ પાળવા માટે જાગૃતતા નથી. ત્યારે બનાસકાંઠામાં પોલીસ દ્વારા હેલ્મેટ માટેનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે સૌ પ્રથમ સરકારી કર્મચારીઓ હેલ્મેટના […]

કોંગ્રેસ દ્વારા પાલનપુરમાં યોજાયેલા જનમંચ કાર્યક્રમમાં સરકાર પર આકરા પ્રહારો કરાયાં

પાલનપુરઃ લોકસભાની ચૂંટણીની કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં મે મહિના દરમિયાન કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમો યોજાશે જેમાં પાલનપુરમાં કોંગ્રેસ દ્વારા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠોકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં જનમંચ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિપક્ષ નેતા અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આ સરકારમાં […]

પાલનપુરમાં લાકડાં ભરીને જતી ટ્રક વીજ વાયર સાથે અથડાતા લાગી આગ, માલ-સામાન ભસ્મીભૂત

પાલનપુરઃ શહેરમાં ટ્રક ડ્રાઈવરની બેદરકારીને કારણે ટ્રકમાં આગ ફાટી નિકળી હતી.  પાલનપુર-ડીસા હાઈવે પર લાકડાં ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન વીજળીનો વાયર ટ્રકમાં ભરેલા લાકડાં સાથે અથડાયો હતો. તેના લીધે લાકડાંમાં આગ લાગી હતી. જોતજોતામાં ટ્રકમાં લાકડાં સહિત માલ-સામાન ભસ્મીભૂત બન્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુર ડીસા હાઇવે પર જલારામ મંદિર નજીક […]

પાલનપુરમાં બાળકોમાં ઓરી-અછબડાંનો વાવર, અંધશ્રદ્ધાને લીધે બાળકોને હોસ્પિટલ લઈ જવાતા નથી

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા પાલનપુર શહેરમાં આજકાલ બાળકોમાં ઓરી, અછબડાનો વાવર જોવા મળી રહ્યો છે. શહેરના કોટ વિસ્તારમાં તો  છેલ્લા બે માસથી 600 જેટલા બાળકો ઓરી,અછબડાના રોગચાળાના ભરડામાં સપડાયા છે. જોકે, મોટાભાગના બાળકોને પરિવારજનો ધાર્મિક માન્યતાના કારણે હોસ્પિટલ નહી પરંતુ નવ દિવસ ઘરે જ રાખી અંતિમ દિવસે માતાજીને નમાડવાની વિધી કરી રહ્યા છે. […]

પાલનપુરમાં RTO સર્કલ ઓવરબ્રિજના કામ દરમિયાન પસાર થતાં વાહનોને લીધે અકસ્માતનો ભય

પાલનપુરઃ શહેરમાં  થ્રી લેગ એલિવેટેડ આરટીઓ સર્કલ ઓવરબ્રિજનું કામ અત્યંત જોખમી રીતે થઈ રહ્યું છે. નીચેથી વાહનો પસાર થાય છે અને હેવી ક્રેન દ્વારા સ્ટિલની ગડર, ખિલાસરી, સ્ટિલના ટકા સહિતની ચીજ વસ્તુઓ ઉપાડવાની કામગીરી ચાલુ ટ્રાફિક દરમિયાન કરવામાં આવી રહી છે. એટલે અકસ્માતનું જોખમ છે. આ સંદર્ભે એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું કે વાહન ચાલકોને અગવડ […]

પાલનપુરમાં આદિવાસીઓએની મૌન રેલી, જંગલની જમીનના હક્ક આપવા માગણી

પાલનપુરઃ જંગલ જમીનના અધિકારને લઈને પાલનપુરમાં આદિવાસી સમાજના હજારો લોકો ભેગા થઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા   હાથમાં બેનરો લઈને આદિવાસી બહેનોએ શહેરના રામપુરા ચોકડીથી 5 કિલોમીટર પગપાળા મૌન રેલી કાઢીને  જંગલ જમીન અધિનિયમ 2006 ના પ્રમાણે જંગલ જમીનની માગણી કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠાના અમીરગઢ અને દાંતા તાલુકામાં વર્ષોથી આદિવાસી લોકો જંગલની જમીનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code