1. Home
  2. Tag "palanpur"

પાલનપુરને અપાતા ધરોઈ ડેમના પાણીમાં 50 ટકાનો કાપ મુકાયો, હવે એકાંતરે 30 મિનિટ જ પાણી મળશે

પાલનપુરઃ બનાસકાંઠામાં ગત ચોમાસા દરમિયાન સારા વરસાદને કારણે આ વખતે પીવાના પાણીની વિકટ સમસ્યા જોવા મળી ન હતી. જોકે જિલ્લાના કેટલાક ગામોમાં ટેન્કરથી પાણી પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે. જ્યારે જિલ્લાનું મથક એવા પાલનપુર શહેરને ધરોઈ ડેમનું પાણી આપવામાં આવે છે. પરંતુ ધરોઈના અપાતા પાણીમાં 50 ટકાનો કાપ મૂકાતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી અપૂરતું પહોંચી […]

પાલનપુરમાં બાઈક કે સ્કુટર પર આવતા કર્મચારીઓને હલ્મેટ વિના ઓફિસમાં નો-એન્ટ્રી

પાલનપુરઃ ગુજરાતમાં દ્વીચક્રી મોટરવાહનો માટે એટલે કે બાઈક અને સ્કુટરના ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત હોવા છતાં મોટાભાગના સ્કુટર કે બાઈકચાલકો હેલ્મેટ પહેરતા નથી. કાયદો વાહનચાલકોની સુરક્ષા માટેનો છે. પણ વાહનચાલકોમાં હજુ આ નિયમ પાળવા માટે જાગૃતતા નથી. ત્યારે બનાસકાંઠામાં પોલીસ દ્વારા હેલ્મેટ માટેનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે સૌ પ્રથમ સરકારી કર્મચારીઓ હેલ્મેટના […]

કોંગ્રેસ દ્વારા પાલનપુરમાં યોજાયેલા જનમંચ કાર્યક્રમમાં સરકાર પર આકરા પ્રહારો કરાયાં

પાલનપુરઃ લોકસભાની ચૂંટણીની કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં મે મહિના દરમિયાન કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમો યોજાશે જેમાં પાલનપુરમાં કોંગ્રેસ દ્વારા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠોકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં જનમંચ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિપક્ષ નેતા અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આ સરકારમાં […]

પાલનપુરમાં લાકડાં ભરીને જતી ટ્રક વીજ વાયર સાથે અથડાતા લાગી આગ, માલ-સામાન ભસ્મીભૂત

પાલનપુરઃ શહેરમાં ટ્રક ડ્રાઈવરની બેદરકારીને કારણે ટ્રકમાં આગ ફાટી નિકળી હતી.  પાલનપુર-ડીસા હાઈવે પર લાકડાં ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન વીજળીનો વાયર ટ્રકમાં ભરેલા લાકડાં સાથે અથડાયો હતો. તેના લીધે લાકડાંમાં આગ લાગી હતી. જોતજોતામાં ટ્રકમાં લાકડાં સહિત માલ-સામાન ભસ્મીભૂત બન્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુર ડીસા હાઇવે પર જલારામ મંદિર નજીક […]

પાલનપુરમાં બાળકોમાં ઓરી-અછબડાંનો વાવર, અંધશ્રદ્ધાને લીધે બાળકોને હોસ્પિટલ લઈ જવાતા નથી

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા પાલનપુર શહેરમાં આજકાલ બાળકોમાં ઓરી, અછબડાનો વાવર જોવા મળી રહ્યો છે. શહેરના કોટ વિસ્તારમાં તો  છેલ્લા બે માસથી 600 જેટલા બાળકો ઓરી,અછબડાના રોગચાળાના ભરડામાં સપડાયા છે. જોકે, મોટાભાગના બાળકોને પરિવારજનો ધાર્મિક માન્યતાના કારણે હોસ્પિટલ નહી પરંતુ નવ દિવસ ઘરે જ રાખી અંતિમ દિવસે માતાજીને નમાડવાની વિધી કરી રહ્યા છે. […]

પાલનપુરમાં RTO સર્કલ ઓવરબ્રિજના કામ દરમિયાન પસાર થતાં વાહનોને લીધે અકસ્માતનો ભય

પાલનપુરઃ શહેરમાં  થ્રી લેગ એલિવેટેડ આરટીઓ સર્કલ ઓવરબ્રિજનું કામ અત્યંત જોખમી રીતે થઈ રહ્યું છે. નીચેથી વાહનો પસાર થાય છે અને હેવી ક્રેન દ્વારા સ્ટિલની ગડર, ખિલાસરી, સ્ટિલના ટકા સહિતની ચીજ વસ્તુઓ ઉપાડવાની કામગીરી ચાલુ ટ્રાફિક દરમિયાન કરવામાં આવી રહી છે. એટલે અકસ્માતનું જોખમ છે. આ સંદર્ભે એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું કે વાહન ચાલકોને અગવડ […]

પાલનપુરમાં આદિવાસીઓએની મૌન રેલી, જંગલની જમીનના હક્ક આપવા માગણી

પાલનપુરઃ જંગલ જમીનના અધિકારને લઈને પાલનપુરમાં આદિવાસી સમાજના હજારો લોકો ભેગા થઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા   હાથમાં બેનરો લઈને આદિવાસી બહેનોએ શહેરના રામપુરા ચોકડીથી 5 કિલોમીટર પગપાળા મૌન રેલી કાઢીને  જંગલ જમીન અધિનિયમ 2006 ના પ્રમાણે જંગલ જમીનની માગણી કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠાના અમીરગઢ અને દાંતા તાલુકામાં વર્ષોથી આદિવાસી લોકો જંગલની જમીનમાં […]

પાલનપુરમાં શનિવારે નેશનલ લોક અદાલત, મહેસુલી અને દીવાની દાવા સમાધાન માટે મુકી શકાશે

પાલનપુરઃ  બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની અને જિલ્લાની તમામ કોર્ટમાં આગામી 11 ફેબ્રુઆરી-2023 ના રોજ  લોકઅદાલત યોજાશે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુર તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ, પાલનપુરના ઉપકમે પાલનપુરની કોર્ટોમાં તથા બનાસકાંઠા જિલ્લાની તમામ કોર્ટોમાં સને-2023 ની પ્રથમ […]

પાલનપુરમાં અર્બુદા માતાજી મંદિરના રજત જ્યંતિ મહોત્સવમાં 10 લાખ લોકો ઉમટી પડશે

પાલનપુરઃ શહેરના  આદર્શ વિદ્યાલય ખાતે આવેલા મા અર્બુદા માતાજીના મંદિરના 25 વર્ષ પૂર્ણ થતાં  આવતીકાલ તા. 3જી થી 5મી ફેબ્રુઆરી દરમિયાન રજત જયંતી મહોત્સવ ઉજવાશે. આ રજત જયંતી મહોત્સવમાં 108 કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 45 દિવસથી કામ કરતાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મહિલાઓએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. […]

જાણીતા ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણીએ વતન પાલનપુરની મુલાકાત લીધી, જુની યાદો કરી તાજી

અમદાવાદઃ ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણીએ પોતાના વતન પાલનપુરની મુલાકાત લીધી હતી. તેમજ તેઓ જે સ્કૂલમાં ભણ્યા હતા તે પાલનપુરમાં વિદ્યાનગર સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓ સમક્ષ બનાસકાંઠા જિલ્લા સાથે જોડાયેલી પોતાની યાદોને તાજી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે,  વંદનીય શિક્ષણગણ, આદરણીય મહાજનો, મારા વડીલો, સ્નેહીજનો, મિત્રો અને મારા વ્હાલા વિદ્યાર્થીઓ મને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code