1. Home
  2. Tag "palitana"

પાલિતાણામાં ડોળી કામદારોની હડતાળનો આવ્યો અંત

અસામાજિક તત્વોના ત્રાસને લીધે ડોળી કામદારોએ હડતાળ પાડી હતી ડોળા કામદારો હડતાળ પર જતા યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા હતા પોલીસે પુરતા બંદોબસ્તની ખાતરી આપતા હડતાળનો સુખદ અંત આવ્યો ભાવનગરઃ  જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણામાં ચાલી રહેલી ડોળી કામદારોની અચોક્કસ મુદ્દતની હડતાલનો સુખદ અંત આવ્યો છે. ધૂળેટીના પર્વે મળેલી બેઠકમાં સમાધાન થતાં ડોળી કામદારો, તેડાગર બહેનો અને સામાન […]

પાલિતાણામાં બીજા દિવસે ડોળી કામદારોની હડતાળ ચાલુ રહેતા યાત્રિકો બન્યા પરેશાન

હડતાળમાં તેડાગર બહેનો અને શ્રમિકો પણ જોડાયા માથાભારે શખસોના ત્રાસ સામે ડોળી કામદારોની હડતાળ પોલીસ ડોળી કામદારોને મનાવી રહી છે પાલિતાણાઃ  શેત્રુંજય ગિરિરાજ ઉપર યાત્રિકોને ડોળીમાં લઈ જતા 2000 જેટલા ડોળી કામદારો અને તેડાગરો દ્વારા શરૂ કરાયેલ હડતાલ આજે બીજા દિવસે યથાવત રહી હતી. સોમવારે પણ એક પણ ડોળી ગીરીરાજ ઉપર ગઈ નથી તેમજ તેડાગર […]

જૈનોના તિર્થસ્થાન પાલિતાણામાં રખડતા ઢોરોના ત્રાસથી નાગરિકો પરેશાન

પાલિતાણાની બજારોમાં ઢોર અડ્ડો જમાવીને બેઠા રહે છે આખલાં દોડાદોડી કરતા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ ભયભીત બને છે, નગરપાલિકાના નિષ્ક્રિય તંત્ર સામે લોકોમાં રોષ પાલિતાણાઃ જૈનોના તિર્થસ્થાન પાલિતાણામાં રોજબરોજ અનેક યાત્રિકો આવતા હોય છે. પાલિતાણા શહેર વિકાસની દોડમાં પાછળ છે. કારણ કે શહેરના વિકાસમાં નગરપાલિકાના સત્તાધિશોને જ કોઈ રસ નથી. એવું લાગી રહ્યુ છે. શહેરમાં […]

જૈનોના તિર્થસ્થાન પાલિતાણાના શેત્રુંજ્ય ગિરિરાજની મહાયાત્રાનો કાલે શુક્રવારથી પ્રારંભ

000 વધુ શ્રાવકો અને 10.000થી વધુ સાધુ-સાધ્વીજી યાત્રાનો પ્રારંભ કરશે, ચાતુર્માસના ચાર માસના વિરામ બાદ યાત્રાનો પ્રારંભ, કાલે જય તળેટીથી ચૈત્યવંદન કરી યાત્રિકો યાત્રાનો આરંભ કરશે  પાલિતાણાઃ જૈનોના પવિત્ર તીર્થ શંત્રુજય ગિરિરાજ પાલીતાણા ખાતે ચોમાસાના સાડા પાચ માસ બંધ રહ્યા બાદ કારતક સુદ-15 તા.15મી નવેમ્બરથી એટલે કે આવતી કાલ શુક્રવારથી યાત્રા માટે ડુંગર ખુલશે. 20000થી […]

જૈનોના તિર્થ સ્થાન પાલિતાણામાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની

શહેરના મુખ્ય માર્ગો પર બન્ને સાઈડમાં પાર્ક કરાતા વાહનો પાર્ક, પોલીસ દ્વારા રોડ પર પાર્ક કરેલા વાહનો સામે ઝૂંબેશ શરૂ કરાશે, યાત્રાળુઓ માટે પણ પાર્કિંગની કોઈ સુવિધા જ નથી પાલિતાણાઃ જૈનના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા પાલિતાણા શહેરમાં રોજબરોજ ટ્રાપિકની સમસ્યા માથાના દુખાવારૂપ બનતી જાય છે. પાલિતાણા તાલુકા મથક હોવાથી ગામડાંના લોકો ખરીદી કરવા માટે આવતા હોય […]

જૈનોના તિર્થસ્થાન પાલિતાણામાં વિકટ બનતી જતી ટ્રાફિકની સમસ્યા

અગાઉ ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીનો માર્ગ એકમાર્ગી હતો, કોઈ કારણોસર સત્તાધિશોએ એક માર્ગીય રસ્તાને દ્વીમાર્ગી કર્યો, રોજ પીકઅપ અવર્સમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે પાલિતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન એવા પાલિતાણા શહેરમાં ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. શહેરના ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીનો માર્ગ અગાઉ એક માર્ગીય હતો. જે અકળ કારણોસર દ્વિમાગીય કરાતા આ […]

પાલિતાણા તાલુકાના જામવાળી ગામે પ્રાથમિક શાળાના 23 બાળકોને ફુડ પોઈઝનિંગ

એક બાળકનો જન્મદિ હોવાથી શાળામાં ભોજન સમારોહનું આયોજન કરાયુ હતું, 120 બાળકોએ ભોજન લીધું હતુ જેમાં 23ને ઝાડા-ઊલટી થતાં હોસ્પિટલ ખસેડાયા, તમામ બાળકો ભયમુક્ત, હોસ્પિટલમાંથી રજા અપાઈ ભાવનગરઃ જિલ્લાના પાલીતાણા તાલુકાના જામવાળી ગામે શાળામાં ભોજન લીધા બાદ 23 બાળકોને ફુડ પોઈઝનિંગની અસર થતાં તેમને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.બનાવને પગલે મોડી રાત્રે આરોગ્યની ટીમ […]

પાલિતાણામાં ચારેબાજુ ગંદકી અને કાદવ-કીચડને લીધે મચ્છરોનો ઉપદ્રવ, પાલિકાની નિષ્ક્રિયતા

પાલિતાણાઃ  જૈનોના યાત્રાધામ પાલિતાણા શહેરમાં નગરપાલિકાની નિષ્ક્રિયતાને કારણે રોડ-રસ્તાઓ પર ગંદકી અને કાદવ-કીચડના થર જામ્યા છે. તેના લીધે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. ત્યારે નગરપાલિકાના સત્તાધિશો સક્રિય બનીને ગંદકી અને કાદવ-કીચડ દુર કરે તેવી માગ ઊઠી છે. ચોમાસાના પ્રારંભે જ પાલિતાણા શહેરમાં ચોતરફ ગંદકીના ગંજ જામ્યા છે. અને કાદવ […]

જૈનોના યાત્રાધામ પાલિતાણામાં જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરથી લોકો પરેશાન

પાલિતાણાઃ જૈનોના યાત્રાધામ પાલિતાણાની મુખ્ય બજારમાં દબાણો ખડકાયેલા છે. ઉપરાત રખડતા ઢોર રોડ પર અડ્ડો જમાવીને બેસતા હોવાથી નાગરિકોને ભારે પરેશાની ભોગવવી પડે છે. શહેરની નગરપાલિકાના સત્તાધિશો રખડતા ઢોર પકડવા અને રોડ પરના દબાણો દુર કરવામાં નિષ્ક્રિયતા દાખવી રહ્યા છે. જાહેર રોડ પર રખડતા ઢોરના અડિંગાથી વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. પાલીતાણા શહેરમાં ઘણા […]

પાલિતાણાના નાની રાજસ્થળી ગામમાં પાણીના ખાડાંમાં ડૂબી જતાં બે બાળકોના મોત

ભાવનગરઃ જિલ્લામાં વરસાદને લીધે નદી, નાળાં અને તળાવોમાં નવા નીર આવ્યા છે. ત્યારે ડુબી જવાના બનાવો પણ બની રહ્યા છે. જિલ્લાના પાલિતાણા તાલુકાના નાના રાજસ્થળી ગામમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા બે બાળકોના મોત નિપજતા નાના એવા ગામમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામના સીમ વિસ્તારમાં જાંબુ લેવા બે બાળકો ગયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code