1. Home
  2. Tag "Passed away"

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય પૂજારી લક્ષ્મીકાંત દીક્ષિતનું નિધન, CM યોગીએ શોક વ્યક્ત કર્યો

લખનૌઃ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક દરમિયાન 121 વૈદિક બ્રાહ્મણોનું નેતૃત્વ કરનાર મુખ્ય પૂજારી કાશીના પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતનું શનિવારે સવારે વારાણસીમાં તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. તેઓ લગભગ 86 વર્ષના હતા અને ઘણા સમયથી બીમાર હતા. આચાર્યના નિધનના સમાચાર મળતાં જ કાશીના લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતની ગણતરી કાશીના વરિષ્ઠ વિદ્વાનોમાં થાય […]

રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું 87 વર્ષની ઉંમરે નિધન

બેંગ્લોરઃ રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું આજે સવારે 4:50 વાગ્યે નિધન થયું છે. 5 જૂનના રોજ શ્વાસ લેવામાં તકલીફને કારણે તેમને હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના ફિલ્મસિટી સ્થિત નિવાસસ્થાને રાખવામાં આવશે. પરિવારના સભ્યો, મિત્રો […]

ભાવનગરના મહારાજા કૃષ્ણકૂમારસિંહજીના પુત્ર શિવભદ્રસિંહજીનું નિધન, રાજવી પરિવારમાં શોક

અમદાવાદઃ ભાવનગરના પ્રજા વત્સલ મહારાજ કૃષ્ણકુમારસિંહજીના પૂત્ર શિવભદ્રસિંહજીનું 91 વર્ષની વયે નિધન થયું છે. શિવભદ્રસિંહજીના નિધનથી ભાવનગર સહિત દેશના તમામ રાજવી પરિવારોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.શિવભદ્રસિંહજી મહારાજકુંવર તરીકે ઓળખતા હતા. સ્વર્ગસ્થના પાર્થિવદેહને નિવાસસ્થાને દર્શન માટે રાખવામાં આવ્યો છે. દેશ અને દુનિયાભરના અલગ અલગ સ્થળોએ રહેતાં તેમના સ્વજનો તેમના અંતિમ દર્શન માટે ભાવનગર આવી […]

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજયસભાના સાંસદ સુશીલ કુમાર મોદીનું નિધન

નવી દિલ્હીઃ ભાજપના વરિષ્ઠ નેતા અને રાજયસભા સાંસદ સુશીલ કુમાર મોદીનું  72 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી કેન્સરની બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમના પાર્થિવ દેહને વિશેષ વિમાન દ્વારા  દિલ્લીથી પટના લઈ જવામાં આવશે. તેમજ રાજેન્દ્રનગર સ્થિત તેમના આવાસ ઉપર લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે.  સુશીલ મોદીના અંતિમ સંસ્કાર પટનાના ગુલાબી […]

તમિલનાડુઃ અભિનેતા અને DMDKના સંસ્થાપક કેપ્ટન વિજ્યકાંતનું નિધન

બેંગ્લોરઃ તમિલનાડુના દેસિયા મુરપોક્કુ દ્રવિડ કડગમ (ડીએમડીકે) નેતા વિજયકાંતનું ગુરુવારે ચેન્નઈમાં નિધન થયું હતું. જેઓ કોરોની ઝપટમાં આવ્યા હતા. અભિનેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડીએમડીકેએ જણાવ્યું હતું કે, શ્વાસ લેવામાં તકલિફને કારણે વિજ્યકાંતને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ આર્પણ કરી હતી. સુત્રોના જણાવ્યા […]

પ્રખ્યાત અભિનેતા જુનિયર મેહમૂદનું નિધન, 67 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

મુંબઈ: બોલિવૂડમાંથી વહેલી સવાર-સવારમાં એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા જુનિયર મેહમૂદનું નિધન થયું હોવાના અહેવાલ છે. જુનિયર મહમૂદ સ્ટેજ 4 લીવર અને ફેફસાના કેન્સરથી પીડિત હતા અને તેમની હાલત ઘણી નાજુક હતી. આવી સ્થિતિમાં હવે અભિનેતા જીવન સાથેની લડાઈ હારી ગયા છે અને તેણે 67 વર્ષની વયે દુનિયાને અલવિદા […]

ગુજરાતના ખ્યાતનામ ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલા મહેતાનું 96 વર્ષની વયે નિધન, રાષ્ટ્રપતિ, PM, અને CMએ આપી શ્રદ્ધાંજલિ

અમદાવાદઃ ગુજરાતના ખ્યાતનામ  ફોટા જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાનું  96 વર્ષની ઉંમરે  નિધન થયું છે. જાણીતા અખબાર ગુજરાત સમાચાર સાથે વર્ષોથી જોડાયેલા હતા. અને તેમની કારકિર્દી દરમિયાન ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા. સ્વર્ગસ્થને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો અને રાજકીય નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી, […]

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પિતા લગધીર બાપાનું નિધન

ગાંધીનગરઃ રાધનપુર તાલુકાના વડનગર ગામના વતની અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પિતા લગધીરભાઈ ભગવાનભાઇ ચૌધરીનું 102 વર્ષની જૈફવયે અવસાન થયું છે.પૂજ્ય લગધીર બાપાનું 102 વર્ષની જૈફ વયે અવસાન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી છે. પૂજ્ય લગધીર બાપાએ સમગ્ર જીવન સેવાકીય પ્રવૃત્તિમાં વ્યતિત કર્યું હતું. સ્વર્ગસ્થની અંતિમવિધિ વડનગર ખાતે કરવામાં આવી હતી. લગધીર બાપાની અંતિમવિધિમાં […]

જાણીતા ગીતા પ્રેસના ટ્રસ્ટી બૈજનાથ અગ્રવાલજીનું નિધન

ગોરખપુરઃ ગોરખપુરના ગીતા પ્રેસના ટ્રસ્ટી બૈજનાથ અગ્રવાલનું 90 વર્ષની વયે નિધન થયું છે. તેઓ 1950માં ગીતા પ્રેસ ટ્રસ્ટમાં જોડાયા હતા. શહેરના સિવિલ લાઈન્સ સ્થિત હરિઓમનગર ખાતે રાત્રે 90 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમનું ટ્રસ્ટી તરીકે સન્માન કર્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે […]

અમદાવાદમાં જાણીતી ગુજરાત ન્યૂઝના ચેનલ હેડ દેવાંગભાઈ ભટ્ટના પિતા ભાનુશંકર ભટ્ટનું નિધન

અમદાવાદઃ રાજ્યમાં જાણીતા જીટીપીએલ ગ્રુપના ગુજરાત ન્યૂઝના ચેનલ હેડ દેવાંગભાઈ ભટ્ટના પિતાશ્રી ભાનુશંકર લક્ષ્મીશંકર ભટ્ટનું આજે નિધન થયું હતું. સ્વ. ભાનુશંકર ભટ્ટની અંતિમ ઈચ્છા અનુસાર પરિવારજનોએ તેમના નેત્રના દાનની સાથે દેહદાન કરીને લોકોને દેહદાન કરવા માટે પ્રેરણા પુરી પાડી હતી. જાણીતા ગુજરાતી ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે સ્વ. ભાનુશંકર ભટ્ટને શ્રદ્ધાજંલી પાઠવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code