1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પિતા લગધીર બાપાનું નિધન
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પિતા લગધીર બાપાનું નિધન

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પિતા લગધીર બાપાનું નિધન

0
Social Share

ગાંધીનગરઃ રાધનપુર તાલુકાના વડનગર ગામના વતની અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પિતા લગધીરભાઈ ભગવાનભાઇ ચૌધરીનું 102 વર્ષની જૈફવયે અવસાન થયું છે.પૂજ્ય લગધીર બાપાનું 102 વર્ષની જૈફ વયે અવસાન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી છે. પૂજ્ય લગધીર બાપાએ સમગ્ર જીવન સેવાકીય પ્રવૃત્તિમાં વ્યતિત કર્યું હતું. સ્વર્ગસ્થની અંતિમવિધિ વડનગર ખાતે કરવામાં આવી હતી. લગધીર બાપાની અંતિમવિધિમાં મોટી સંખ્યામાં રાજકીય અને સામાજીક આગેવાનો જોડાયાં હતા. રાજકીય મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. ગુજરાતના જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે લગધીર બાપાના નિધન અંગે દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. સ્વર્ગસ્થનું  બેસણું તા. 30મી નવેમ્બરના રોજ સવારે 9 કલાકે તેમના વતન વડનગર (તાલુકો- રાધનપુર) ખાતે રાખવામાં આવ્યું છે.

લગધીર બાપાના નિધનથી સમગ્ર બનાસકાંઠામાં  શોકની લાગણી વ્યાપી છે. લગધીર બાપાએ પૂજ્ય રવિશંકર મહારાજની સાથે ભૂદાન યજ્ઞ સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં સિંહફાળો આપ્યો હતો.  પૂજ્ય લગધીર બાપાએ સમગ્ર જીવન સેવાકીય પ્રવૃત્તિમાં વ્યતિત કર્યું હતું. તેમનું ઘર આ પંથકમાં આવતા સાધુ સંતોના ઉતારાનું સ્થાન રહેતું હતું. પૂજ્ય લગધીર બાપાનો પંથકના સંતો અને મહંતો સાથે સહવાસ રહેતો હતો. પૂજ્ય દત્તશરણાનંદજી, પૂજ્ય સદારામ બાપાજી, ઉજ્જનવાડા મંદિરના મહંત, સણાદર મંદિરના પૂજ્ય ક્રિષ્નાનંદજી જેવા સંતો થી આધ્યાત્મિકતા નો નાતો ધરાવતા હતા. બાપાએ પોતાની ખેતીની 10 વીઘા જેટલી જમીન તેમણે વાદીઓને વસાહત માટે એન.એ કરાવી દાનમાં આપી હતી. જેમાં આજે 250 થી વધારે વાદી પરિવારો આજે નિવાસ કરે છે. દુષ્કાળના સમયમાં આ પંથકમાં બોરવેલ બનાવડાવી લોકોને પીવાના પાણીની સગવડ કરી આપી હતી.

વડનગર ગામના બાળકોને પ્રાથમિક શિક્ષણ મળે તે માટે પોતાના ઘરમાં જ પ્રાથમિક શાળા તેમણે શરૂ કરાવી હતી. જીવન દરમિયાન પોતાની ભક્તિ અને શક્તિ મુજબ ગરીબોને જરૂરિયાત મુજબ મદદ કરી હતી. પૂજ્ય લગધીરબાપા આજીવન ગૌવ્રતિ હતા. સૂર્યદેવને જળ અર્પણ કર્યા પછી જ તેઓ ભોજન લેતા હતા. પરંતુ જ્યારે ચોમાસામાં વાદળો ના કારણે સૂર્યદેવના દર્શન ન થાય તો એ બે ત્રણ દિવસ સુધી ભોજન લેતા ન હતા. પંખીઓને ચણ તથા કીડિયારુ પૂરવાનો તેમનો નિત્યક્રમ આજીવન રહ્યો.

સ્વર્ગસ્થની અંતિમયાત્રામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને તેમના પુત્ર શંકરભાઈ ચૌધરી, તેમના પરિવારજનો, ધારાસભ્યઓ, સામાજિક અને સહકારી આગેવાનો અને આ પંથકના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code