1. Home
  2. Tag "police personnel"

પટનામાં સ્કોર્પિયો ગાડીએ ત્રણ પોલીસકર્મીઓને કચડ્યા, મહિલા કોન્સ્ટેબલનું મોત

પટનામાં, એક ઝડપી સ્કોર્પિયોએ વાહનોની તપાસ કરી રહેલા ત્રણ પોલીસકર્મીઓને કચડી નાખ્યા. આમાં એક મહિલા કોન્સ્ટેબલનું મોત નીપજ્યું. એક સબ-ઇન્સ્પેક્ટર અને એક ASIની હાલત ગંભીર છે. આ ઘટના એસકેપુરી પોલીસ સ્ટેશન વિસ્તારના અટલ પથ પર બની હતી. આ અકસ્માત બાદ વિસ્તારમાં હંગામો મચી ગયો હતો. ટૂંક સમયમાં, પટના એસએસપી નજીકના પોલીસ સ્ટેશનની પોલીસ સાથે ઘટનાસ્થળે […]

ગુજરાતમાં એક વર્ષમાં 6770 પોલીસ કર્મચારીઓને બઢતી અપાઈ

ગાંધીનગરઃ ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતાં પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે વધુ 261 એએસઆઈને પીએસઆઇ તરીકે બઢતી આપવામાં આવી હતી. છેલ્લા 15 મહિનામાં પી.એસ.આઈથી લઈને ક્લેરિકલ સ્ટાફ મળીને કુલ 7031 કર્મચારીઓને બઢતી અપાતાં પોલીસ કર્મચારીગણમાં […]

ગાંધીનગરમાં ધારાસભ્યો માટે કરોડોના લકઝરી ફ્લેટ્સ પણ કર્મચારીઓ પ્રતિક્ષા યાદીમાં

પાટનગરમાં હજારો કર્મચારીઓ રહેવા માટે ક્વાટર્સ મળે તેની રાહ જોઈ રહ્યા છે, 6181 જેટલા પોલીસ કર્મચારીઓ પણ ક્વાર્ટર્સના વેઈટિંગલિસ્ટમાં, MLA માટે લકઝરી ફ્લેટ્સ ત્વરિત બની જતા હોય તો કર્મચારીઓ માટે કેમ નહીં? ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે, એના કર્મચારીઓનું ક્વાટર્સ માટેનું વેઈટિંગ લિસ્ટ વધતું જાય છે. ત્યારે શહેરમાં પોલીસ વિભાગના કર્મચારીઓનું ક્વાટર્સ […]

લાંચમાં પકડાયેલા પોલીસ કર્મચારીઓને હવે બે નહીં એક વર્ષે નોકરી પર પુનઃ લેવાશે

• છેલ્લા 20 વર્ષથી લાંચ કેસના નિયમોમાં ગૃહ વિભાગે ફેરફાર કર્યો, • લાંચ માગવાના કેસમાં ગૃહ વિભાગ બીજા સ્થાને છે, • લાંચ કેસમાં પકડાયેલા પોલીસ કર્મીઓને મહત્વની જગ્યાઓ પર પોસ્ટિંગ નહીં અપાય ગાંધીનગરઃ ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં મહેસુલ વિભાગ બાદ પોલીસ વિભાગ બીજા સ્થાને છે. પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારની બદી ફુલીફાલી છે. એસીબી દ્વારા પોલીસ વિભાગમાં લાંચના કેસ […]

પ્રયાગરાજ મહાકુંભમાં મદીરાપાન અને માંસાહાર કરનાર પોલીસ કર્મચારીઓને ફરજ નહીં સોપાય

લખનૌઃ આગામી દિવસોમાં પ્રયાગરાજમાં યોજનાર મહાકુંભ મેળાને લઈને તંત્ર દ્વારા તડમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન આ વખતે દારૂ પીનારા અને માંસાહારી ખોરાક લેતા પોલીસકર્મીઓને પ્રયાગરાજ મહાકુંભમાં ફરજ પર મૂકવામાં આવશે નહીં. ડીજીપી હેડક્વાર્ટરએ તમામ કમિશ્નરેટ અને રેન્જને પ્રયાગરાજ મોકલવામાં આવતા પોલીસ દળને લઈને આના પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું છે. એવું પણ […]

ગાંધીનગરમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટ 2024 માટે પોલીસ કર્મચારીઓનો ડ્રેસ કોડ નક્કી કરાયો

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં આગામી જાન્યુઆરી-2024માં યોજાનારા વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના મહાત્મા મંદિર ખાતે યોજાનારી વાઈબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશના અનેક ઉદ્યોગકારો ભાગ લેશે. તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક વીવીઆઈપી ભાગ લેશે. વાઈબ્રન્ટ સમિટ દરમિયાન 1200 જેટલા પોલીસ કર્મચારીઓ ખડેપગે તૈનાત રહેશે. પોલીસ અલગ લુકમાં જોવા મળે એ માટે ખાખીની જગ્યાએ […]

ગુજરાતમાં 55 હજારથી વધારે પોલીસ કર્મચારીઓને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન તાલીમ અપાશે

અમદાવાદઃ રાજ્યના લોકોને સમયસર સ્વાસ્થ્ય અને સલામતીને ભાગરૂપે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યના પોલીસ જવાનોને CPR ની તાલીમ આપવામાં આવશે. રાજ્યમાં 35 મેડિકલ કોલેજો તથા અન્ય 14 સ્થળો ઉપર 2500થી વધારે ડોકટરો અને તબીબી વ્યવસાયિકો લગભગ 55 હજારથી વધારે પોલીસ જવાનોને સીપીઆર એટલે કે કોર્ડિયો પલ્મનરી રિસસિટેશનની તાલીમ આપશે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેકના […]

પોલીસ કર્મચારીઓ હવે સોશ્યલ મીડિયામાં પોતાની રિલ્સ, કે વિડિયો મુકી શકશે નહીં,

ગાંધીનગર :  ગુજરાત પોલીસના કર્મચારીઓમાં શિસ્ત જળવાઈ રહે તે જરૂરી છે. પોલીસ મેન્યુઅલમાં સમયાંતરે ફેરફારો કરવામાં આવતા હોય છે. ત્યારે રાજ્ય પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ માટે સોશિયલ મીડિયાના ઉપયોગ માટેની પોલિસી જાહેર થઈ છે. પોલીસ અધિકારી કર્મચારીઓ વર્દી પહેરીને રિલ્સ, વીડિયો કે અન્ય કોઈ પ્રવૃત્તિ સોશિયલ મીડિયામાં કરવા પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે. પોલીસે સોશિયલ […]

નોઈડામાં પોલીસ કર્મચારીઓની માનવતા, નાણા એકત્ર કરીને સફાઈ કર્મચારીની દીકરીના ધામધૂમથી કરાવ્યાં લગ્ન

નવી દિલ્હીઃ આપણે સામાન્ય રીતે પોલીસને ગુનેગારો આકરુ વલણ અપનાવતા જોયાં છે, તેમજ આપણા મગજમાં પોલીસને લઈને વિવિધ માન્યતા છે પરંતુ પોલીસ પણ સામાન્ય માણસની જેમ લાગણીશીલ હોય છે, તેનું ઉદાહરણ નોઈડામાં જોવા મળ્યું હતું. નોઈડા પોલીસ સ્ટેશનના સફાઈ કામદારની દીકરીના લગ્ન માટે પોલીસ કર્મચારીઓએ નાણા એકત્ર કરીને ધામધૂમથી લગ્ન સંપન્ન કર્યાં હતા. સફાઈ કર્મચારીની […]

ગ્રેડ-પેના મામલે પોલીસ કર્મચારીઓને ઈન્સેન્ટિવ બાદ એફિડેવિટનો આગ્રહ રખાતા નારાજગી

અમદાવાદઃ ગુજરાત પોલીસના કર્મચારીઓને પે-ગ્રેડ આપવાની ઘમા સમયથી માગ થઈ રહી હતી. અને પોલીસ પરિવારોએ આ મામલે લડત પણ આપી હતી. ત્યારબાદ સરકારે પે-ગ્રેડના સ્થાને ઈન્સેન્ટિવ જાહેર કર્યું હતુ. અને પોલીસ કર્મચારીઓ પાસેથી હવે બાયેધરી પત્ર લેવામાં આવી રહ્યા છે. લેખિત નહીં માત્ર મૌખિક આદેશથી બાંયેધરી પત્ર લેવામાં આવતા પોલીસ કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code