1. Home
  2. Tag "Politics"

મહારાષ્ટ્રના રાજકારણમાં નવા જૂનીના એંધાણઃ ભાજપ-શિવસેના ફરી એકસાથે આવે તેવી શકયતા

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં કંઈ નવા-જૂની થવાના એંધાણ જોવા મળી રહ્યાં છે. જૂના મિત્રો હવે એકસાથે ફરીથી આવવાની તૈયારી કરી રહ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભાજપથી અલગ થઈને કોંગ્રેસ અને એનસીપીની મદદથી સરકાર બનાવનારી શિવસેનાનું વલણ પોતાના જૂના મિત્ર ભાજપ તરફ નરમ પડી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જે વાતના સંકેત બંને તરફથી જોવા મળી રહ્યાં […]

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશિલ કુમાર સિંદેએ કોંગ્રેસથી નારાજગી વ્યક્ત કરી, કહ્યું કે “કોંગ્રેસ પોતાની વિચારધારા ગુમાવી રહી છે”

કોંગ્રેસના વરિષ્ઠ નેતાનું કોંગ્રેસને લઈને નિવેદન સુશિલ કુમાર સિંદેએ કહી મોટી વાત કહ્યું કે કોંગ્રેસ પોતાની વિચારધારા ગુમાવી રહી છે દિલ્હી : વર્ષ 2014 પછી દેશની રાજનીતિ અને રાજકારણ બંન્ને બદલાઈ ગયું છે. દેશમાં હાલમાં જે સરકાર સત્તામાં છે તેના દ્વારા આજે પણ કેટલાક મહત્વના અને તે કાર્યો કરવામાં આવે છે પરંતુ બીજી તરફ એક વર્ગ […]

ભાજપના દિગ્ગજ નેતાના નિવેદનથી મહારાષ્ટ્રમાં હલચલ, કહ્યું, રાજકારણ છોડી દઇશ

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની સાથે ઓબીસી અનામતનો મુદ્દો પણ ધીમે ધીમે ઠાકરે સરકાર માટે માથાનો દુખાવો બની રહ્યો છે. સુપ્રિમ કોર્ટ દ્વારા સ્થાનિક ચૂંટણીમાં ઓબીસી અનામતને રદ કરવાને મુદ્દે હવે ભાજપે શિવસેનાને ઘેરવાનો પ્લાન બનાવ્યો છે. જેમાં મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલની જાહેરાત બાદ શનિવારે ભાજપ કાર્યકરો ઓબીસી અનામતના મુદ્દે રાજ્યભરમાં 1000 જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન […]

રાજકારણના દિગજ્જ ખેલાડી શંકરસિંહ વાઘેલાનું કોંગ્રેસમાં પુનઃરાગમન ક્યારે થશે ?

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે એટલે કે 2022માં યોજાવાની છે, ત્યારે ભાજપ સહિત તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ ત્રીજા મોરચા તરીકે મેદાનમાં આવશે. અને આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યારે કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ, વિધાનસભા વિપક્ષના નેતા સહિતના પદાધિકારીઓ બદલવા પક્ષનું […]

પ.બંગાળના રાજકારણમાં રાજકીય ભૂકંપના ભણકારાઃ BJPના કેટલાક MLA તૃણમૂલના સંપર્કમાં

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસનો વિજય થયો હતો અને મમતા બેનરજી ફરીથી મુખ્યમંત્રી બન્યાં છે. જો કે, આ ચૂંટણીમાં ભાજપ અને ટીએમસી(તૃણમૂલ કોંગ્રેસ) વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. વિધાનસભાની ચૂંટણી પહેલા કેટલાક તૃણમૂલના નેતાઓ મમતા બેનર્જીનો સાથ છોડીને ભાજપમાં જોડાયાં હતા. જો કે, વિધાનસભાની ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ખળભળાટ જોવા […]

ઓક્સિજનને લઈને શરૂ થયું રાજકારણઃ મધ્યપ્રદેશના CMએ કર્યાં ગંભીર આક્ષેપ

અમદાવાદઃ ભારતમાં કોરોનાની બીજી લહેરમાં મોટાભાગની હોસ્પિટલો હાઉસ ફુલ થઈ ગઈ છે. એટલું જ નહીં દર્દીઓ ઓક્સિજનની અછતનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારો ઓક્સિજનની સમસ્યાના નિરાકરણ માટે કામગીરી કરી રહી છે. ત્યારે હવે ઓક્સિજનને લઈને રાજકારણ ગરમાયું છે. મખ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કેટલાક રાજ્યોમાં ઓક્સિજન ટેન્કર રોકવામાં આવ્યા હોવાનો આક્ષેપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code