1. Home
  2. Tag "postponed"

ગુજરાત હાઈકોર્ટમાં રિટ દાખલ થતાં પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર બદલીઓનો કાર્યક્રમ સ્થગિત

અમદાવાદઃ  રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા શિક્ષકો માટે જિલ્લા આંતરિક બદલીઓ કરવા માટેનો પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. જેમાં તા. 9 જૂનથી 28 જૂન સુધી ઓનલાઇન શિક્ષકોની બદલી માટે કાર્યક્રમનો પ્રથમ તબક્કો યોજવાની સૂચનાઓ આપવામાં આવી હતી પરંતુ શિક્ષણ વિભાગનો પરિપત્ર  પ્રસિદ્ધ થયા બાદ પ્રાથમિક શિક્ષકો દ્વારા હાઇકોર્ટમાં માટે શાળાની સિનિયોરીટી ગણવા સંદર્ભે કેસ […]

માલધારી સમાજના વિરોધ બાદ આખરે સરકાર ઝૂકી, ઢોર નિયંત્રણ બિલ સ્થગિત કરાયું

ગાંધીનગરઃ ગુજરાતના તમામ મહાનગરોમાં રખડતા ઢોરના ત્રાસ અંગે અવાર-નવાર ફરિયાદો ઊઠતી હતી. જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરે અત્યાર સુધી ઘણા લોકોના જીવ પણ લઈ લીધા છે. ત્યારે રાજ્ય સરકાર વિધાનસભામાં રખડતા પશુઓ અંગે કડક કાયદો બનાવ્યો હતો. પરંતુ આ કાયદો આવવાની સાથે રાજ્યભરના માલધારી સમાજે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. માલધારી સમાજ દ્વારા આ કાયદો પરત લેવાની […]

ગાંધીનગરઃ સંરક્ષણ પ્રદર્શન ડિફેન્સ એક્સપો-2022 મોકુફ રખાયો

અમદાવાદઃ ગુજરાતના ગાંધીનગરમાં આગામી તા. 10મી માર્ચથી સંરક્ષણ પ્રદર્શન ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. રશિયા અને યુક્રેન સહિતના દેશોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. હાલ બંને દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન સમક્ષણ મંત્રાલય દ્વારા હાલના સમયમાં સંરક્ષણ પ્રદર્શન ડિફેન્સ એક્સપોને પાછો ઠેલવાનો નિર્ણય લેવાયો છે અને આગામી દિવસોમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે. […]

ગુજરાત ટેકનોલોજી યુનિ.ની 20મી જાન્યુઆરીથી લેવાનારી પરીક્ષા મોકુફ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના વધાતા જતાં કેસને લીધે શિક્ષણને માઠી અસર પડી રહી છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શાળાઓની આંતરિક પરીક્ષાઓ પણ મોકુફ રાખવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટીમાં 20 જાન્યુઆરીથી યોજાનારી ઓફલાઈન પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ  કોરોનાના કેસો વધવાથી જીટીયુની ઓફલાઈન […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવક મહોત્સવને પણ લાગ્યુ કોરોનાનું ગ્રહણ, પદવીદાન પણ મુલત્વી રખાશે

રાજકોટઃ રાજયમાં કોરોનાના કેસમાં વધારો થતાં વાઈબ્રન્ટ સમિટ સહિતના સરકારી કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિ.ને પણ કોરોનાનું ગ્રહણ લાગતા જ ચાલુ માસમાં આયોજિત કરાયેલો યુવક મહોત્સવનને રદ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત પદવીદાન સમારોહ પણ રદ કરવામાં આવ્યો છે. રાજકોટમાં પણ કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા […]

કોરોના ગ્રહણઃ અમદાવાદમાં ફ્લાવર શો અને પતંગ મહોત્સવ મોકુફ રાખવાનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન સરકારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ ફ્લાવર શો અને પતંગ મહોત્સવ મોકુફ રાખવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. શહેરમાં જે […]

વાયબ્રન્ટ સમિટના કારણે ગાંધીનગરમાં 11મીથી યોજાનારી LRD ઉમેદવારોની શારીરિક કસોટી મોકુફ

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી તા. 10મીથી 12મી દરમિયાન વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે ગાંધીનગરના મેદાન પર આગામી 10, 11 અને 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી LRD ઉમેદવારોની શારીરિક કસોટીને વાયબ્રન્ટ સમિટના કારણે મોકૂફ રાખવામાં આવી છે. આ ઉમેદવારોની શારીરિક કસોટી હવે 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી વચ્ચે આ મેદાન પર યોજાશે. […]

સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીની ૧૫ જૂનથી શરૂ થતી 30 જેટલી પરીક્ષાઓ મોકૂફ

રાજકોટઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમ છતાં એક પછી એક પરીક્ષાઓ રદ થઈ છે. ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ થયાં પછી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં  15 જૂનથી શરૂ  થનારી 30 પરીક્ષાઓ ઉપર લટકતી તલવાર મંડાઈ હતી. હવે આ પરીક્ષાઓ હાલ તબક્કે મોકૂફ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં […]

ક્રિકેટને લાગ્યું કોરોના ગ્રહણઃ એશિયા કપ ટુર્નામેન્ટ આ વર્ષે નહીં યોજાય

મુંબઈઃ ભારતમાં કોરોના મહામારીને પગલે આઈપીએલને અટકાવામાં આવી હતી. દરમિયાન આગામી જૂન મહિનાથી શ્રીલંકામાં એશિયા કપ ટુર્નામેન્ટનો પ્રારંભ થવાનો હતો. જો કે, શ્રીલંકામાં કોરોનાના કેસ વધતા એશિયા કપ ટુર્નામેન્ટ રદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. એશિયા કપને લઈને છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલી રહી હતી. જેની ઉપર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું […]

UPSC ની પ્રિલિમ્સની પરીક્ષા મોકૂફ, હવે 10 ઓક્ટોબરના રોજ લેવાશે પરીક્ષા

UPSC ની પ્રિલિમ્સની પરીક્ષા થઈ રદ હવે 10 ઓક્ટોબરના રોજ લેવાશે પરીક્ષા કોરોનાના વધતા લેવાયો નિર્ણય દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે..જેને પગલે હવે પરીક્ષાની તારીખો પર ટળી રહી છે. કોરોનાના વધતા કેસને જોતા UPSCએ સૌથી મોટો નિર્ણય લીધો છે. સિવિલ સર્વિસિઝની પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમરી એક્ઝામ ટાળી દેવામાં આવી છે. હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code