1. Home
  2. Tag "Prime Minister"

અમિત શાહનો દાવો,કહ્યું- મોદી 2024ની ચૂંટણી બાદ સતત ત્રીજીવાર બનશે વડાપ્રધાન

દિલ્હી:કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) 2024માં પણ સરકાર બનાવશે અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. ‘ઈન્ડિયા ટુડે કોન્ક્લેવ’માં બોલતા શાહે કહ્યું કે મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરના ત્રણ મહત્વના મુદ્દાઓ, પૂર્વોત્તર અને માઓવાદી સમસ્યાનો મોટાભાગે ઉકેલ આવી […]

રોડ સેફટી -માર્ગ સુરક્ષા માટે વડાપ્રધાનએ આપેલા કોન્સેપ્ટ 4E નું અનુપાલન ખૂબ જરૂરી: ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ સેફટી -માર્ગ સુરક્ષા માટે આપેલા કન્સેપ્ટ ‘4E – એન્ફોર્સમેન્ટ ઓફ લૉ, એન્જીનિયરીંગ ઓફ રોડ, ઈમરજન્સી કેર અને એજ્યુકેશન’નું અનુપાલન ખૂબ જરૂરી છે. તેમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ટ્રાફિકના નિયમોનું પાલન કરી માર્ગ સુરક્ષા માટે પ્રતિબદ્ધ બનવા મુખ્યમંત્રીએ સૌને અપીલ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાહન વ્યવહાર તથા ગૃહરાજ્યમંત્રી […]

વડાપ્રધાનએ કર્તવ્યપથ ખાતે એસ્ટ્રો નાઇટ સ્કાય ટુરિઝમનું આયોજન કરવા માટે નેશનલ સાયન્સ સેન્ટર દિલ્હીના પ્રયાસોને બિરદાવ્યા

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્તવ્યપથ ખાતે એસ્ટ્રો નાઇટ સ્કાય ટુરિઝમનું આયોજન કરવા માટે નેશનલ સાયન્સ સેન્ટર દિલ્હીના પ્રયાસોને બિરદાવ્યા છે. નેશનલ સાયન્સ સેન્ટર દિલ્હીના ટ્વીટનો જવાબ આપતા વડાપ્રધાનએ કહ્યું;”આપણા યુવાનોમાં અવકાશ અને ખગોળશાસ્ત્ર પ્રત્યે જિજ્ઞાસા જગાવવાનો રસપ્રદ પ્રયાસ.”  

બેન્જામિન નેતન્યાહૂએ ઈઝરાયેલના વડાપ્રધાન તરીકે શપથ લીધા,છઠ્ઠી વખત બનાવી સરકાર

દિલ્હી:ઇઝરાયેલના વડાપ્રધાન તરીકે ફરીએકવાર બેન્જામિન નેતન્યાહૂ ચૂંટાઈ આવ્યા છે.તેમને આ પદ માટે  ગુરુવારે જ શપથ લીધા હતા. વડાપ્રધાન પદના શપથ લેતા પહેલા તેમણે કહ્યું હતું કે તેમનો સમગ્ર ભાર આરબ-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા પર રહેશે. આમ,તેમણે ઈઝરાયેલમાં પોતાની છઠ્ઠી વખત સરકાર બનાવી છે. બેન્જામિન નેતન્યાહૂ પીએમ મોદીના ખાસ મિત્ર છે. પ્રોટોકોલથી આગળ વધીને […]

નેપાળ: શેર બહાદુર દેઉબા ફરી એકવાર દેશના વડાપ્રધાન બનશે,પાર્ટીએ લગાવી મહોર

દિલ્હી:નેપાળને તેના નવા વડાપ્રધાન મળી ગયા છે.ફરી એકવાર નેપાળી કોંગ્રેસના શેર બહાદુર દેઉબા દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.બેઠકમાં પાર્ટી દ્વારા તેમના નામ પર મહોર લગાવવામાં આવી છે.હવે નેપાળની ચૂંટણીના પરિણામો ઘણા દિવસો પહેલા જણાવવામાં આવ્યા હતા.નેપાળી કોંગ્રેસ પણ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી.પરંતુ પીએમના ઘણા ઉમેદવારો હોવાને કારણે કોઈ એક નામ પર સહમત […]

ગુજરાત ચૂંટણી: વડાપ્રધાને મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી

અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ચાલી રહેલ મતદાનને ધ્યાનમાં રાખીને મતદારોને મોટી સંખ્યામાં તેમના મતાધિકારનો ઉપયોગ કરવા આહ્વાન કર્યું હતું.”હું ગુજરાત ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન કરનારા તમામ લોકોને, ખાસ કરીને યુવા અને મહિલા મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરું છું,” તેમણે ટ્વિટ કર્યું. વડાપ્રધાને કહ્યું કે તેઓ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે અરુણાચલ અને વારાણસીની મુલાકાત લેશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી  19 નવેમ્બરના રોજ અરુણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. જેમાં સૌપ્રથમ પીએમ મોદી અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં બનેલા ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ પીએમ મોદી ઉત્તર પ્રદેશના વારાણસીમાં ‘કાશી તમિલ સંગમમ’ કાર્યક્રમમાં ભાગ લેશે. ડોની પોલો એર પોર્ટ પર વિવિધ  સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ એરપોર્ટ પર ILS […]

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફને થયો કોરોના,ત્રીજી વખત સંક્રમિત મળી આવ્યા  

દિલ્હી:પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.આ વાતની પુષ્ટિ પાકિસ્તાનના સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબે ટ્વિટર દ્વારા કરી હતી.તેમણે કહ્યું કે, વડાપ્રધાન છેલ્લા બે દિવસથી અસ્વસ્થ અનુભવી રહ્યા હતા.ડોક્ટરોની સલાહ પર તેમની કોરોનાની તપાસ કરવામાં આવી, ત્યારબાદ તેમનામાં સંક્રમણની પુષ્ટિ થઈ.તેમણે લોકોને અપીલ કરી છે કે,તેઓ વડાપ્રધાનના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરે. આ […]

વડાપ્રધાનએ ‘ચિંતન શિબિર’માં રાજ્યોના ગૃહ મંત્રીઓને સંબોધન કર્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ‘ચિંતન શિબિર’ દરમિયાન રાજ્યોના ગૃહ મંત્રીઓને સંબોધન કર્યું હતું. આ શિબિરમાં ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ તહેવારની મોસમ દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઇ રહે તે માટે કાયદો અને વ્યવસ્થામાં જોડાયેલા કર્મચારીઓની તૈયારીઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચિંતન શિબિર સહકારી સંઘવાદનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત પૂરું પાડે છે.વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, બંધારણ મુજબ કાયદો […]

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉદ્દેશ ગુલામીની માનસિકતામાંથી દેશને મુક્ત કરવાનો છેઃ વડાપ્રધાન

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના અડાલજમાં ત્રિમંદિર ખાતે મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સનો શુભારંભ કર્યો હતો. આ મિશન કુલ રૂ. 10,000 કરોડના ખર્ચે હાથ ધરવાની કલ્પના કરવામાં આવી છે. પીએમએ ત્રિમંદિર ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન આશરે રૂ. 4,260 કરોડના મૂલ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો પણ શુભારંભ કર્યો હતો. આ મિશનથી રાજ્યમાં શાળાઓમાં નવા વર્ગખંડો, સ્માર્ટ વર્ગખંડો, કમ્પ્યુટર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code