સુરેન્દ્રનગરમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરનારા 50 મકાનોને સીલ, 2200 મિલકતધારકોને નોટિસ
સુરેન્દ્રનગર, 26 ફેબ્રુઆરી 2026: શહેરમાં ઘણાબધા પ્રોપર્ટીધારકો મ્યુનિને ઘરવેરો ચુકવતા નથી. સમયાંતરે નોટિસ આપવા છતાંયે પ્રોપર્ટી ટેક્સ ભરવામાં આવતો નથી. પહેલા સુરેન્દ્રનગર, વઢવાણ અલગ અલગ નગરપાલિકા હતી, એટલે વેરા વસુલાતમાં પુરતું ધ્યાન અપાયું નહતું. પણ હવે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનતા પ્રોપર્ટી ટેક્સની વસુલાત કડક બનાવવામાં આવી છે. શહેરમાં ૧૨૦ કરોડનો બાકી વેરાની વસૂલાત માટે મહાનગરપાલિકાએ વેરો […]


