1. Home
  2. Tag "rainy weather"

સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ,ખેડૂતોમાં વધી ચિંતા

રાજકોટ: ગુજરાતના સૌરાષ્ટ્રમાં હાલ વરસાદી વાતાવરણ બન્યુ છે. હાલમાં જો વાત કરીએ રાજકોટ શહેરની તો ત્યાં વરસાદી વાતાવરણ બન્યું છે. જાણકારી અનુસાર કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. સાથે સાથે અમેરેલીમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે. વરસાદી વાતાવરણમાં હાલ તો જામનગર, ગીરસોમનાથ, જૂનાગઢ પણ બાકી નથી. જો વાત કરવામાં આવે ખેડૂતોની તો […]

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે કડાણા અને ધરોઈ ડેમ છલકાયો, નર્મદા નદીની જળસપાટી ઘટી

અમદાવાદઃ ભરૂચ ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની જળ સપાટી 26.5 ફૂટ પહોંચી છે. પૂરના પાણી ધીમે ધીમે ઉતરતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હવે તંત્ર સફાઈના કામમાં લાગ્યું છે. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા સુરત અને અમદાવાદથી સફાઈ ટીમો ભરૂચ ખાતે બોલાવાઈ છે. આરોગ્યની ટીમો પણ દરેક ગામો અને શહેરી વિસ્તારોમાં તૈનાત કરાઈ છે. તો આ […]

અમદાવાદમાં વરસાદી વાતાવરણને લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો

અમદાવાદઃ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી સતત વરસાદી વાતાવરણ અને ભેજવાળા હવામાનને લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે.શહેરમાં ઝાડા-ઊલટી અને ટાઇફોઇડના કેસોમાં વધારો થયો છે. છેલ્લા 16 દિવસમાં ઝાડા-ઊલટીના 508 અને ટાઇફોઇડના 219 કેસો નોંધાયા હતા. જ્યારે કમળાના 93 કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 29 અને મેલેરિયાના 14 કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળો […]

વડોદરાઃ વરસાદી માહોલ વચ્ચે નિર્માણધીન ઈમારતની દિવાલ ધરાશાયી, 4 વ્યક્તિ દબાયાં

ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ ઈજાગ્રસ્તોને બહાર કાઢીને હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં અમદાવાદઃ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે, દરમિયાન વડોદરામાં નિર્ણાણધીન ઈમારતની દિવાલ ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. દિવાલના કાટમાળ નીચે લગભગ 4 વ્યક્તિઓ દબાયાં હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા. પ્રાથમિક માહિતી અનુસાર […]

અમદાવાદમાં વરસાદી હવામાનને કારણે વિમાની સેવાને અસર, ત્રણ ફ્લાઈટસ ડાઈવર્ટ, બે કેન્સલ

અમદાવાદઃ શહેરમાં વરસાદી વાતાવરણને લીધે વિમાની સેવાને અસર થઈ હતી. જેમાં ત્રણ ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી, તેમજ બે ફ્લાઈટસ કેન્સલ કરવામાં આવી હતી.જેમાં ઈન્ડિગોની પૂણેથી અમદાવાદ અને લખનઉ -અમદાવાદની ફ્લાઈટ સામેલ છે. જ્યારે જે ફલાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી  તેમાં સવારે દહેરાદૂનથી અમદાવાદ, મુંબઈથી અમદાવાદ અને જયપુરથી અમદાવાદ એમ ત્રણ ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી […]

પાવાગઢમાં વરસાદી વાતાવરણમાં કૂદરતનો અનોખો નજારો, શનિ-રવિની રજામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

ગોધરાઃ  સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારે વહેલી સવારથી જ પ્રવાસીઓ, યાત્રાળુઓ અને દર્શનાર્થી માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. પાવાગઢએ આસ્થા, શક્તિ, શ્રદ્ધા, અને ભક્તિની સાથે, પ્રવાસન ધામ તરીકે વિકસેલા અને વન-ડે પિકનિક પોઇન્ટ તરીકે નજીકના શહેરીજનોનું મનપસંદનું સ્થળ બની ગયું હોવાથી રજાઓ અને વિકેન્ડના સમયે અહીં લાખો દર્શનાર્થીઓ અને યાત્રિકો આ સ્થળની મુલાકાતે આવી […]

ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ વચ્ચે ભારે પવન ફુંકાયો, મકાનોના પતરા ઉડ્યાં,

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવતા જુદા જુદા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. આજે મંગળવારે સવારથી જ કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફુંકાયો હતો. ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાલનપુર અને નડિયાદ જિલ્લા સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તોફાની પવન ફુંકાયો હતો. તેમજ  સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ જિલ્લામાં વરસાદના ઝાંપટાં પડ્યા હતા. ભારે પવનને લીધે […]

વરસાદ જેવા વાતાવરણમાં આ છે લોકોને સૌથી વધુ મનપસંદ નાસ્તો

વરસતા વરસાદમાં લોકોને વધારે પડતા તો દાળવડા અને તેવી વસ્તુઓ વધારે ભાવે છે, ક્યારેક તો લોકો વરસતા વરસાદમાં ચાની પણ મજા માણતા હોય છે પણ આ ઉપરાંત પણ કેટલીક વસ્તુઓ છે જે લોકોને વરસતા વરસાદના સમયે સૌથી વધારે પસંદ આવે છે. સૌથી પહેલા જો વાત કરવામાં આવે કચોરીની તો કચોરી એ રાજસ્થાનમાં લોકપ્રિય અને સ્વાદિષ્ટ […]

ગુજરાતમાં આજથી વરસાદી માહોલ જામશે, અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

અમદાવાદઃ  ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધા બાદ ફરીવાર વરસાદી વાતાવરણ સર્જાયુ છે. હવામાન વિભાગે આજે 2જી ઓગસ્ટને મંગળવારથી અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. જેમાં 10મી ઓગસ્ટ સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં સમયાંતરે વરસાદ પડશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ફરી એકવાર વરસાદી […]

ગાંધીનગરમાં વરસાદી વાતાવરણને લીધે વાયરલ બીમારીના કેસમાં વધારો, તાવના ઘેર ઘેર દર્દીઓ,

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદી વાતાવરણને લીધે તમામ નાના-મોટા શહેરોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતો જાય છે. જેમાં પાટનગર ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ વાયરલ બીમારીના કેસમાં વધારો થયો છે. જિલ્લામાં વરસાદી માહોલની વચ્ચે મચ્છરજન્ય રોગચાળો ધીમે ધીમે માથું ઊંચકી રહ્યો છે. સતત રહેતાં વાદળછાયા વાતાવરણ તેમજ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે સાદો તાવ મેલેરિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code