1. Home
  2. Tag "Rajasthan"

રાજસ્થાનઃ મહિલાઓ માટે મફત બસ મુસાફરીની કરી જાહેરાત

જયપુરઃ રાજસ્થાન સરકારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ માટે એક મોટી જાહેરાત કરી છે. 8 માર્ચે રાજ્ય સરકારે રાજસ્થાનમાં મહિલાઓ માટે રોડવેઝ બસોમાં મફત મુસાફરીની જાહેરાત કરી છે. રોડવેઝના ચેરપર્સન શુભ્રા સિંહના નિર્દેશમા આ જાહેરાત કરવામાં આવી હતી. રોડવેઝના મેનેજિંગ ડિરેક્ટર પુરુષોત્તમ શર્માએ જણાવ્યું હતું કે મફત મુસાફરીની સુવિધા 8 માર્ચની મધ્યરાત્રિથી રાત્રે 11:59 વાગ્યા […]

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળતા ખળભળાટ મચ્યો

જયપુરઃ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ભજનલાલ શર્માને જયપુરના પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ પહેલા પણ મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચૂકી છે. ત્યારે પણ ધમકી દૌસા સેન્ટ્રલ જેલમાંથી જ આપવામાં આવી હતી. આ વખતે પણ એ જ જેલમાં […]

મહાકુંભઃ રાજસ્થાન અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓએ લગાવી પવિત્ર ડુબકી

લખનૌઃ મહાકુંભમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યાં છે અત્યાર સુધીમાં મહાકુંભમાં લગભગ 42 કરોડ શ્રદ્ધાળુઓ આવ્યાં છે અને હજુ પણ મોટી સંખ્યામાં આવી રહ્યાં છે. દરમિયાન રાજસ્થાન અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ મહાકુંભ પહોંચ્યાં હતા. તેમજ બંને નેતાઓએ પવિત્ર ડુબકી લગાવી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પ્રયાગરાજ પહોચ્યાં હતા. જ્યાંથી મહાકુંભમાં […]

રાજસ્થાનઃ અજમેર દરગાહ મામલે દાવો કરનાર હિન્દુ સેનાના રાષ્ટ્રીય પ્રમુખ વિષ્ણુ ગુપ્તા ઉપર ગોળીબાર

અજમેરઃ અજમેર દરગાહમાં મંદિર હોવાનો દાવો કરનારા હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા પર ગોળીબારનો મામલો સામે આવ્યો છે. આજે અજમેરથી દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે વિષ્ણુ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગગવાના લાડપુરા પુલ પાસે બે અજાણ્યા શખ્સોએ હિન્દુ સેનાના રાષ્ટ્રીય પ્રમુખ પર ગોળીબાર કર્યો હતો. જોકે, આ હુમલામાં તેમને ગોળી વાગી ન હતી […]

મુંબઈ: ટોરેસ પોન્ઝી કેસમાં EDના મહારાષ્ટ્ર-રાજસ્થાનમાં દરોડા

મુંબઈઃ ટોરેસ ઇન્વેસ્ટમેન્ટ્સ ‘છેતરપિંડી’ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે મુંબઈ, રાજસ્થાનમાં 10-12 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કેસ રોકાણકારો સાથે છેતરપિંડી સાથે સંબંધિત છે. ફેડરલ એજન્સીએ થોડા સમય પહેલા મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) ની FIR ને ધ્યાનમાં લીધા પછી તપાસ શરૂ કરવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ […]

જયપુર એરપોર્ટ 3.7 કરોડ રૂપિયાના હાઇડ્રોપોનિક ગાંજાના જથ્થા સાથે બે મુસાફરોની ધરપકડ

જયપુરઃ દેશમાં નશાના કાળા કારોબારને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન રાજસ્થાનના જયપુર એરપોર્ટ ઉપરથી 3.7 કરોડની કિંમતના હાઈડ્રોપોનિક ગાંજાના જથ્થા સાથે ડીઆરઆઈએ બે શખ્સોને ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. પ્રાપ્ત […]

પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસની આગાહી

નવી દિલ્હીઃ સમગ્ર ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં ઠંડીનો પ્રકોપ ચાલુ છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના મોટાભાગના ભાગોમાં ધુમ્મસ અને ગાઢ ધુમ્મસ છવાયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળના ઉપ-હિમાલયી પ્રદેશ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 21 જાન્યુઆરી સુધી હવામાન યથાવત રહેશે. હવામાન વિભાગે […]

રાજસ્થાનઃ સાયબર ઠગાઈના નેટવર્કનો પર્દાફાશ, છ શખ્સો ઝડપાયાં

જયપુરઃ રાજસ્થાનમાં સાયબર ઠગ્સને ઝડપી લેવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. જેથી સાયબર ઠગ્સ પોલીસથી બચવા અને ઠગાઈ કરવા માટે નવી-નવી તરકીબો અજમાવી રહ્યાં છે. દરમિયાન ભરતપુરમાં એક જંગલોમાં બેઠા-બેઠા લોકોને નિશાન બનાવી રહ્યાં હતા. દરમિયાન ચોક્કસ માહિતીના આધારે પોલીસે છાપો મારીને છ ઠગોને ઝડપી લીધા હતા. જયારે છ ગુનેગારો ફરાર થઈ ગયા હતા. […]

રાજસ્થાન: ACB એ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચીફ મેનેજરની 8.5 લાખ રૂપિયા સાથે ધરપકડ કરી

જયપુરઃ રાજસ્થાનમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી) એ હનુમાનગઢ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચીફ મેનેજર સંજય શર્માની તપાસ દરમિયાન 8.5 લાખ રૂપિયાની રકમ સાથે ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. બ્યુરોના ડાયરેક્ટર જનરલ ડૉ. રવિ પ્રકાશ મહેરદાએ જણાવ્યું હતું કે ACBના હનુમાનગઢ યુનિટને માહિતી મળી હતી કે સંજય શર્મા નોહર રાવતસર વિસ્તારમાંથી હનુમાનગઢ જઈ રહ્યો છે અને […]

રાજસ્થાનમાં જયપુર-અજમેર હાઈવે પર થયેલા અકસ્માત અંગે પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાજસ્થાનમાં જયપુર-અજમેર હાઈવે પર થયેલા અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત પણ કરી હતી, જ્યારે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ X પર પોસ્ટ કર્યું હતું કે, “રાજસ્થાનના જયપુર-અજમેર હાઇવે પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code