ગુજરાતના 21 રેલવે સ્ટેશનની કરાશે કાયાપલટ, સ્ટેશનોના પુનઃ નિર્માણ માટે 845 કરોડનો ખર્ચ કરાશે
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 508 રેલવે સ્ટેશનોના પુનઃનિર્માણ કાર્યનો શુભારંભ અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે દેશના 508 રેલવે સ્ટેશનોનો 24 હજાર કરોડના ખર્ચે પુનઃનિર્માણનો પ્રારંભ થયો છે, જેમાં ગુજરાતનાં 21 રેલવે સ્ટેશનોનું પણ 845 કરોડના ખર્ચે પુનઃનિર્માણ કરાશે. […]