1. Home
  2. Tag "Sabarmati River"

અમદાવાદમાં સાબરમતી નદી સ્વચ્છતા અભિયાન, 4 દિવસમાં 251 ટન કચરાનો નિકાલ કરાયો

સાબરમતી નદીની 5મી જુન સુધીમાં સંપૂર્ણ સફાઈ થઈ શકે તેવી સ્થિતિ નથી નદીમાં પ્લાસ્ટિકની થેલીઓ, કંતાનો અને બિલ્ડિંગનો વેસ્ટ સામાન બહાર કઢાયો નદીને સ્વચ્છ રાખવામાં શહેરીજનોમાં જાગૃતિનો અભાવ અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીને નર્મદાના પાણીથી ભરીને રિવરફ્રન્ટનો વિકાસ કરવામાં આવ્યો છે. નદી બેકાંઠે ભરાયેલી રહેતી હોવાથી શહેરીજનોને ફરવા માટેનું સ્થળ બની ગયુ છે. દરમિયાન નદી પરના […]

અમદાવાદમાં સાબરમતી નદી સ્વચ્છતા અભિયાનમાં મોટાભાગના કોર્પોરેટરો ન જોડાયા

એએમસીના કમિશનર, ધારાસભ્યો અને મેયર જોડાયા નદીમાંથી પ્લાસ્ટિકનો કચરો, ધજાઓ અને માળાઓ સહિત વસ્તુઓ બહાર કાઢાઈ કાંપ અને કચરો મોટાપ્રમાણમાં હોવાથી નદીની સાફસફાઈમાં સમય લાગશે અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીના કાઠે બન્ને સાઈડ રિવરફ્રન્ટ બનાવીને વાસણા બેરેજ સુધી નર્મદાનું પાણી ભરવામાં આવે છે. જેના લીધે સાબરમતી નદી બન્ને કાંઠે ભરાયેલી રહે છે. નદીમાં પાણી ભરાયેલું રહેતુ […]

અમદાવાદમાં સાબરમતી નદીમાં નહાવા પડેલા 3 બાળકોમાંથી એકનું ડુબી જતા મોત

રિવરફ્રન્ટમાં પાણી ખાલી કર્યા બાદ કેમ્પના હનુમાન પાસે બન્યો બનાવ બનાવની જાણ થતા ફાયરની ટીમ તરવૈયા સાથે પહોંચી બાળકના મૃતદેહને નદીમાંથી બહાર કઢાયો અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીમાં રિવરફ્રન્ટથી વાસણા બેરેજ સુધી ભરાયેલુ પાણી ખાલી કરીને હાલ નદીની સફાઈનું કામ ચાલી રહ્યું છે. નદીમાં પાણી ખાલી કર્યા બાદ નદીના કાંઠા વિસ્તારના ખાડાઓમાં હજુ પાણી ભરાયેલા છે. […]

અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણી ખાલી કરીને સફાઈ કામગીરીનો પ્રારંભ

વાસણા બેરેજના દરવાજાની પણ મરામત કરાશે નદીમાંથી કચરો અને કાંપ દૂર કરાશે આગામી 5મી જુન સુધી કામગીરી ચાલશે અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીમાં નર્મદાનું પાણી ભરીને રિવરફ્રન્ટનો વિકાસ કરવામાં આવ્યો છે, શહેરમાં સાબરમતી નદીમાં વાસણા બેરેજ સુધી નદી બેકાંઠા ભરાયેલી રહે છે. હવે નદીમાં સાફ સફાઈ કરવાની હોવાથી આજથી નદીમાંથી પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે. […]

ગાંધીનગર નજીક સાબરમતી નદીમાં રેતીની ચોરી સામે ખનીજ વિભાગના દરોડા

ખનીજ વિભાગે રેતી ભરેલા બે ડમ્પર સહિત 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, ખનીજ વિભાગના દરોડાથી રેતીચોરોમાં ફફડાટ, ચોર શખસો સામે પોલીસ ફરિયાદ ગાંધીનગરઃ જિલ્લાના શાહપુર ગામની સાબરમતી નદીના પટમાં બેરોકટોક રેતીની ચોરી થતી હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ ખાણ ખનિજ તંત્રની ટીમે શાહપુર નજીક સાબરમતી નદીમાં રેડ પાડીને રેતી ભરેલા બે ડમ્પરો સહિત 80 લાખનો મુદ્દામાલ […]

સાબરમતી નદીમાં માતાજીની મૂર્તિ વિસર્જન કરવા ગયેલી 3 વ્યક્તિ ઉંડા પાણીમાં ગરકાવ

ફાયરબ્રિગેડની ટીમે ત્રણેય મૃતદેહને બહાર કાઢ્યાં પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી ત્રણ વ્યક્તિના ડુબી જવાથી મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ અમદાવાદઃ રાજ્યમાં દશાના પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન મોટી રાત પછી અનેક સ્થળો ઉપર મહિલાઓ દ્વારા માતાજની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં આજે વહેલી સવારે માતાજીની મૂર્તિ […]

અમદાવાદની સાબરમતી નદીમાં ગંદા પાણી છોડતા એકમો સામે ટાસ્કફોર્સ, બીયુ રદ પણ કરાશે

અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી પ્રદૂષિત બની રહી છે. નદીમાં કેટલાક ખાનગી એકમો દ્વારા ગંદૂ પાણી છોડવામાં આવતું હોવાથી ફરિયાદો ઊઠ્યા બાદ અને આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ મ્યુનિને ટકોર કર્યા બાદ મ્યુનિ,કોર્પોરેશનના સત્તાધિશોએ ટાસ્કફોર્સ તેમજ અલગ અલગ પેટ્રોલિંગ સ્વોર્ડ બનાવી છે. તમામ ઔદ્યોગિક એકમોનું ચેકિંગ કરવામાં આવશે. તેમજ રાત્રે સ્ટ્રોમ વોટર લાઈન કે […]

અમદાવાદઃ પરિવારના ચાર સભ્યોએ સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાતનો કર્યો પ્રયાસ

અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પરિવારના ચાર સભ્યોએ મોતની છલાંગ ગલાવીને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સ્થાનિકો અને ફાયરબ્રિગેડના જવાનોએ ચારેયને બતાવી લીધા હતા. જમાઈના ત્રાસથી કંટાળીને પરિવારે અંતિમ પગલુ ભરવાનો પ્રયાસ કર્યાંનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસનો ધમધમાટ તેજ બનાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ભુદરપુરા […]

અમદાવાદઃ સાબરમતી નદીમાંથી મનપાના કર્મચારીની લાશ મળી, પોલીસ તંત્ર દોડતું થયું

અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કર્મચારીની લાશ મળી આવી હતી. આ કર્મચારીએ આત્મહત્યા કરી હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ આરંભી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં સબ ઈન્સ્પેસ્ટર તરીકે ફરજ બજાવતો જયદીપ પટેલ (રહે, પાલડી, અમદાવાદ) નામનો યુવાને મંગળવારે […]

અંબોડ અને ભાટ ટોલનાકા પાસે સાબરમતી નદીમાં ડૂબી જવાના બે બનાવોમાં 4નાં મોત

અમદાવાદઃ ગાંધીનગરના માણસા તાલુકાના અંબોડ મીની પાવાગઢ મંદિર પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં નહાવા પડેલા ત્રણ મિત્રો પૈકી બે જણાનું ડૂબી જવાથી મોત થયા હતા. જ્યારે બીજા બનાવમાં ભાટ ટોલટેક્સ નાકા પાસે નદીમાં નહાવા પડેલા બે યુવાનોના મોત નિપજ્યા હતા.  આ બંને બનાવો અંગે સ્થાનિક પોલીસ  અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code