1. Home
  2. Tag "Sabarmati River"

અમદાવાદના સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, 150 લોકો એકસાથે ભોજનાનો સ્વાદ માણી શકશે

અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટનો સારોએવો વિકાસ થયો છે. બહારગામથી શહેરની મુલાકાતે આવનારા રિવરફ્રન્ટની અવશ્ય મુલાકાત લેતા હોય છે. પ્રવાસીઓ માટે અટલબ્રિજ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. હવે  સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરાંની સુવિધા બે મહિનામાં શહેરીજનોને પ્રાપ્ત થશે. એક સાથે 150 લોકો નોસ્તો કે ભોજન એક સાથે લઈ શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે, અમદાવાદની […]

અમદાવાદમાં સાબરમતી નદીમાં કાયાકિંગનો પ્રારંભ, વોટર સ્પોર્ટ એક્ટિવિટી માટે શહેરીજનો ઉમટી પડ્યાં

અમદાવાદઃ શહેરમાં રિવરફ્રન્ટ, સાબરમતી નદીમાં કાયાકિંગ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં શનિવારે પ્રથમ દિવસે વોટર સ્પોર્ટસ એક્ટિવિટીમાં અનેક શહેરીજનોએ ભાગ લીધો હતો. કાયાકિંગ માટે સવાર, બપોર અને સાંજનાં અલગ-અલગ સમયના સ્લોટ રાખવામાં આવ્યા છે. એક સ્લોટ 50 મિનિટનો નક્કી કરવામાં આવ્યો છે. સવારે 6થી 10, બપોરે 3થી 4 અને સાંજે 4થી 7 વાગ્યા સુધીનાં […]

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પરથી નદીમાં કાયાકિંગની મજા શુક્રવારથી માણી શકાશે

અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં સાબરમતી નદીમાં આગામી શુક્રવારથી કાયાકિંગ સેવા શરૂ કરવામાં આવશે. આમ આમદાવાદના શહેરીજનોને વોટર સ્પોર્ટની એક ભેટ અપાશે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આગામી 31 માર્ચને શુક્રવારથી રિવરફ્રન્ટ ખાતે કાયાકિંગ (નાની રબર કે પ્લાસ્ટિકની […]

ગાંધીનગરમાં ગિફ્ટસિટી નજીક સાબરમતી નદી પર કરોડોના ખર્ચે રિવરફ્રન્ટ બનાવાશે

ગાંધીનગરઃ અમદાવાદમાં સાબરમતી નદી પર રિવરફ્રન્ટને મળેલી સફળતા બાદ રાજકોટ, સુરત સહિતના શહેરોમાં નદીકાંઠે રિવરફન્ટ બનાવવામાં આવી રહ્યા છે. જ્યારે પાટનગર ગાંધીનગરમાં પણ સાહરમતી નદી પર રિવરફ્રન્ટ બનાવવાની નાણા મંત્રીએ બજેટની સ્પીચમાં જાહેરાત કરી હતી. ગાંધીનગરના ગિફ્ટસિટી નજીક રિવરફ્રન્ટ બાંધવા માટે 150 કરોડ નાણાની જોગવાઈ કરી છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ  જળસંપતિ વિભાગની […]

સાબરમતી નદીમાં પ્રદુષણ ફેલાવવા મામલે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી

અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પ્રદુષણને અટકાવવા માટે મનપા તંત્ર તથા સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે, એટલું જ નહીં નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન સાબરમતી નદીમાં વધતા પ્રદુષણને લઈને રાજ્યની વડી અદાલતે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ ગેરકાયદે રીતે હજુ સુધી નદીમાં પ્રદુષણ […]

સાબરમતી નદીના પ્રદુષણ મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી, સરકારને આકરી ટકોર કરી

અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીના પ્રદુષણ મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે, હાઈકોર્ટે આ મુદ્દો સુઓમોટો દાખલ કરીને તંત્રને આકરી ટકોર કરી હતી. તેમજ નોંધ્યું હતું કે, આટલુ ખરાબ અને દુષિત પાણી નહીં ચલાવી લેવાય, સરકારે આ અંગે ગંભીરતાથી પગલા લેવા જોઈએ. હાઈકોર્ટે આ સુઓમોટોની વધુ સુનાવણી 13 જાન્યુઆરી સુધી મુલત્વી રાખવામાં આવી […]

અમદાવાદની સાબરમતી નદીમાં પ્રદૂષણના મામલે રિપોર્ટ રજુ કરવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદઃ શહેરના સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડવા મામલે હાઈકોર્ટમાં સુઓમોટો અરજી થઈ હતી. જેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે કોર્પોરેશનને કોર્ટ કમિશનની નિમણૂક કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. મ્યુનિ. કોર્પોરેશન તરફથી એવી રજુઆત કરવામાં આવી હતી કે, શાંતિગ્રામ રહેણાક વિસ્તાર નજીક પ્રદૂષિત પાણીના નિકાલ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) બનાવવા દરખાસ્ત આવી […]

ગાંધીનગર નજીક સાબરમતી નદીમાં બેરોકટોક થતું ખનન સામે લેકાવાડાના ગ્રામજનોનો વિરોધ

ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેર નજીક સાબરમતી નદીમાં બેરોકટોક ખનન ચાલી રહ્યું છે.જેમાં લેકાવાડા સાબરમતી નદીના પટમાં ગેરકાયદેસર રેત ખનનથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આશ્વર્યની બાબત તો એ છે કે, ખુદ લીઝ ધારકે જ અંદાજીત 85 હજાર મેટ્રિક ટન જેટલું ખોદકામ કરી નાખ્યાં પછી ખાણ ખનિજ વિભાગ દ્વારા નજીવો દંડ આપીને સંતોષ માની લેવામાં […]

સાબરમતી નદી પરનો અટલ બ્રીજ બે કાંઠાને માત્ર જોડતો જ નથી પણ તે નવીનતાભર્યો છેઃ મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  શનિવારે સાંજે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે અટલ ફૂટ ઓવરબ્રિજનું  લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ તેમણે અટલજીના સંસ્મરણો યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતે અટલજીને ખૂબ પ્રેમ આપ્યો છે., અટલજી 1996માં ગાંધીનગરથી ચૂંટણી જીત્યા હતા. આ ફૂટ ઓવરબ્રિજ માત્ર સાબરમતી નદીના કિનારાને જ નથી જોડતો પરંતુ બ્રિજની એક વિશેષતા પણ છે, તેની […]

અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણી ઘટતા રિવરફ્રન્ટનો વોક-વેક-વે લોકો માટે ખૂલ્લો કરાયો

અમદાવાદઃ સાબરમતી નદીના ઉપરવાસમાં વરસાદને લીધે તેમજ ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પૂર આવતા શહેરના રિવરફ્રન્ટ પરનો વોક-વે લોકો માટે બંધ કરવાની ફરજ પડી હતી. અને લોકો અવર-જવર ન કરે તો માટે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. વાસણા ડેમના દરવાજા ખોલાયા બાદ નદીમાં પાણીનું જળસ્તર ઘટી જતાં રિવરફ્રન્ટનો વોક-વે લોકો માટે ખૂલ્લો મુકી દેવામાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code