1. Home
  2. Tag "Sabarmati River"

અમદાવાદઃ સાબરમતી નદીમાંથી મનપાના કર્મચારીની લાશ મળી, પોલીસ તંત્ર દોડતું થયું

અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કર્મચારીની લાશ મળી આવી હતી. આ કર્મચારીએ આત્મહત્યા કરી હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ આરંભી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં સબ ઈન્સ્પેસ્ટર તરીકે ફરજ બજાવતો જયદીપ પટેલ (રહે, પાલડી, અમદાવાદ) નામનો યુવાને મંગળવારે […]

અંબોડ અને ભાટ ટોલનાકા પાસે સાબરમતી નદીમાં ડૂબી જવાના બે બનાવોમાં 4નાં મોત

અમદાવાદઃ ગાંધીનગરના માણસા તાલુકાના અંબોડ મીની પાવાગઢ મંદિર પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં નહાવા પડેલા ત્રણ મિત્રો પૈકી બે જણાનું ડૂબી જવાથી મોત થયા હતા. જ્યારે બીજા બનાવમાં ભાટ ટોલટેક્સ નાકા પાસે નદીમાં નહાવા પડેલા બે યુવાનોના મોત નિપજ્યા હતા.  આ બંને બનાવો અંગે સ્થાનિક પોલીસ  અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. […]

અમદાવાદમાં સાબરમતી નદીમાં ચાલતી કોન્ટ્રાકટરની તમામ બોટ રિવરફ્રન્ટ ઓથોરિટીએ જપ્ત કરી

અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલતી બોટિંગની સેવા હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. બોટ ચલાવતા કોન્ટ્રાક્ટરને નોટિસ આપી બોટીગ સેવા હાલ પૂરતી બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. બોટ ચાલક કોન્ટ્રાક્ટર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ નાણા ન ચુકવતા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં સાબરમતી નદીમાં બોટિંગનો કોન્ટ્રાક્ટ […]

પ્રાંતિજના નજીક સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન કરતાં ડુબી જતાં બે યુવાનોના મોત

પ્રાંતિજઃ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ગલતેશ્વર ખાતે આવેલા સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન કરવા માટે ગયેલા બે યુવાનો નદીમાં ઊંડા પાણીમાં ડૂબી જતાં  મોત નીપજ્યા હતા. બનાવ અંગે પ્રાંતિજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની વિગત એવી જાણવા મળી છે કે, પ્રાંતિજના ગલતેશ્વર ગામ પાસે આવેલી સાબરમતી નદીમાં તાજપુર ગામમાંથી ગણેશ […]

ગાંધીનગરમાં સાબરમતી નદીના બન્ને કિનારે રૂપિયા 634 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવાશે

અમદાવાદઃ શહેરના સાબરમતી નદીના કિનારે બનાવાયેલું  ગિફ્ટસિટીમાં દેશ વિદેશની ઓફિસો ખુલી રહી છે. ત્યારે તેને અનુરૂપ સાબરમતી નદીના પટમાં વિદેશ જેવો લુક આપવા રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. તેના માટે રૂપિયા 634 કરોડની ગ્રાન્ટની જોગવાઇ કરવામાં આવી છે. શાહપુર બ્રિજથી પીડીપીયુ બ્રિજ સુધીના સાબરમતી નદીના બન્ને તરફના નવ કિમીના વિસ્તારના નદીના પટમાં વોક વે સહિતની કામગીરી કરાશે. […]

ધરોઈ ડેમથી અમદાવાદ સુધી સાબરમતી નદી ઉપર સાત જગ્યા ઉપર બેરેજ બનાવાશે

અમદાવાદઃ સાબરમતી નદીને પુન:જીવિત કરીને પાણીના સ્તર વધુ ઊંચા લાવવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ધરોઈ ડેમથી અમદાવાદ સુધી નદી પર વિવિધ સ્થળોએ સાત જગ્યાએ સીરીઝ ઓફ બેરેજ બનાવવાની યોજના અમલી બનાવવામાં આવી છે. બેરેજ તૈયાર થવાથી 210 મિલિયન ક્યુબિક ફૂટ પાણીનો સંગ્રહ થશે જેનાથી 6 થી 7 કિલોમીટર લંબાઈમાં સરોવરનું નિર્માણ થશે. માણસા, ગાંધીનગર […]

ગાંધીનગર-ચિલોડા વચ્ચે સાબરમતી નદી પર રૂપિયા 60 કરોડના ખર્ચે બ્રિજ બનાવાશે

ગાંધીનગરઃ અમદાવાદના સરખેજથી ગાંધીનગર અને ચિલોડા સુધીના નેશનલ હાઈવે પર રોજબરોજ ટ્રાફિકનું ભારણ વધતું જાય છે. જેથી ગાંધીનગર- ચિલોડા હાઇવે પર સાબરમતી નદી પર હાલના બ્રિજને સમાંતર વધુ એક બ્રિજ 60 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવાનું આયોજન માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આગામી બે મહિનામાં આ બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવશે. આ બ્રિજ […]

સાબરમતી નદીમાં પ્રદૂષણ અટકાવવા માટેનો પ્લાન રજુ કરવા AMC અને GPCBને HCનો આદેશ

અમદાવાદઃ શહેરની સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં PIL દાખલ થઈ હતી. હાઇકોર્ટ દ્વારા અગાઉ સુનાવણી દરમિયાન સાબરમતીમાં પ્રદૂષણ રોકવા અને તપાસ અર્થે AMC, GPCB અને CPCBને પણ નિર્દેશો જાહેર કરાયા હતા. દરમિયાન શુક્રવારે સુનાવણીમાં હાઈકોર્ટે એએમસી અને જીપીસીબીને નદીમાં ઠલવાતા પ્રદુષણને રોકવા માટે પ્લાન રજુ કરવાનો આદેશ કર્યો હતો, ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગ્રવાલ […]

સાબરમતી નદીમાં કેટલાક રહિશો અને ઉદ્યોગો દ્વારા પ્રદુષણ કરાતું હોવાનો હાઈકોર્ટમાં અપાયો રિપોર્ટ

અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે હાઇકોર્ટે લીધેલી સુઓમોટો અરજીમાં અદાલત મિત્રએ રિપોર્ટ રજૂ કર્યો હતો. અદાલત મિત્રએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, હજુ પણ રહેણાક વિસ્તારો અને ઉધોગો નદીમાં કચરો ઠાલવે છે. જીપીસીબીએ કોર્પોરેશનને નોટિસ પાઠવી છે. નદીમાં કચરો ઠાલવતી સોસાયટીઓ સામે પગલા લેવા એકટિંગ ચીફ જસ્ટિસ એ.જે. દેસાઇની ખંડપીઠે આદેશ કર્યો હતો. […]

અમદાવાદમાં અષાઢી બીજથી સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરાં શરૂ થઈ જશે

અમદાવાદઃ શહેરના સાબરમતી નદી પર રિવરફ્રન્ટ બનાવ્યા બાદ શહેરીજનો માટે હવે ફરવાનું ડેસ્ટીનેશન બની ગયું છે. એમાંયે અટલબ્રિજનો નજારો માણવા દિવસ દરમિયાન અનેક શહેરીજનો આવતા હોય છે. રિવરફ્રન્ટ પર પ્રવાસીઓને આકર્ષવા માટે અન્ય આકર્ષણો ઊભા કરાયા છે. જેમાં હેલિપેડ સેવાનો પણ સમાવેશ થાય છે. હવે રિવરફ્રન્ટ પર નવું નજરાણું ઉમેરાશે. જેમાં આગામી તા. 20મી જુન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code