1. Home
  2. Tag "Saurashtra-Kutch"

ભર ઉનાળે ગીર પંથક, અમરેલી અને કચ્છ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડુતો ચિંતિત

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં શનિવારે ભર ઉનાળે માવઠું પડતા વાતાવરણાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન વિભાગે 13મી, 14મી અને 15મી એપ્રિલ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. ત્યારે શનિવારે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે કેરી સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યના હવામાન […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ગરમીને લીધે શાળાઓનો સમય સવારનો કરવા શૈક્ષણિક સંઘની માગ

રાજકોટઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. અને  પોરબંદર, ગીર-સોમનાથ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, ઉનાળો વધુ આકરો બની રહ્યો છે. ત્યારે  અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘે  શિક્ષણ સચિવને પત્ર લખીને બપોરની પાળીમાં ચાલતી શાળાઓનો સમય સવારનો કરવાની માગણી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો […]

ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો, સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર

ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. જેથી લોકોને કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. તેમજ પોરબંદર અને ગીરસોમનાથમાં હિટ વેવની પરિસ્થિતિ રહેશે. આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ 25 તારીખ સુધી કચ્છ, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીરસોમનાથ, […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવ, 38 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આગમન સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન બપોરના સમયે લોકો ઓફિસ અને ઘરમાંથી કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉનાળાના આરંભની સાથે જ હિટવેવ નોંધાયાનું જાણવા મળે છે. રાજકોટમાં 39.3, ભુજમાં 39.1, સુરેન્દ્રનગરમાં 38.8, પોરબંદરમાં 37.3, કેશોદમાં 38 અને અમદાવાદમાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. આગામી દિવસોમાં તાપમાનમાં […]

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી વધી, નલિયા સૌથી ઠંડુ નગર

અમદાવાદઃ રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુતમ તાપમાનમાં સરેરાશ એકથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે. કચ્છ જિલ્લાનું નલિયા 8.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો, રાજકોટ અને બનાસકાંઠાના ડીસામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં પાછલા 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થતા આજે વહેલી સવારે કડકડતી ઠંડીનો […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં 1,61 લાખ રેશનકાર્ડ સાયલન્ટ કરી દેવાતા ગરીબ પરિવારોની કફોડી હાલત

રાજકોટઃ ગુજરાતમાં ગરીબોની સંખ્યા ઘટાડવા માટે ગરીબોના રેશનકાર્ડની સંખ્યા ઘટાડવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં ગરીબ પરિવારો કોઈ કારણસર સસ્તા અનાજની દુકાને અનાજ લેવા જઈ શક્યા ન હોય એવા પરિવારોના રેશનકાર્ડ સાયલન્ટ કરી દેવામાં આવ્યા છે. આવા પરિવારોની સંખ્યા 1.61 લાખ છે. એટલે કે દોઢ લાખથી વધુ રેશનકાર્ડ સાયલન્ટ ઝોનમાં મુકી દેવામાં આવ્યા છે. તેથી ગરીબ […]

સૌરાષ્ટ્ર-અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ જામ્યો છે, સતત 3 દિવસના વરસાદ બાદ આજે વરસાદે વિરામ લીધો હતો. દરમિયાન હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ 100 ટકાને પાર થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 100 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યમાં 207 જેટલા જળાશયોમાં 90 ટકા જેટલા પાણીનો સંગ્રહ […]

સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને હવે હદયરોગની સારવાર માટે અમદાવાદ સુધી લાંબુ નહીં થવું પડે, રાજકોટમાં જ મળશે સારવાર

રાજકોટઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદહસ્તે આજરોજ રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં રૂપિયા 10 કરોડના ખર્ચે બનેલ નવીન કેથલેબ – કાર્ડિયોલોજી વિભાગને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ વિભાગની શરૂઆત સાથે સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને હવે હદયરોગની આધુનિક સારવાર  રાજકોટ ખાતે જ મળતી થશે અને અમદાવાદ સુધી આવવાની જરૂર નહિ પડે. રાજ્ય સરકાર અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યમાં સૌ પ્રથમ આવી […]

સૌરાષ્ટ્ર-કચ્છના સૂકા પંથકની પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની: કુંવરજી બાવળીયા

પોરબંદર: પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી તથા પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયાએ કુતિયાણા ખાતે અંદાજે રૂ. 4 કરોડના ખર્ચે બનેલા પંચાયત વિભાગ હસ્તકના પોરબંદર જિલ્લાના તાલુકા પંચાયત કચેરી કુતિયાણાનું તથા અંદાજે રૂ. 32 લાખના ખર્ચે બનેલા મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકના તાલુકા ઘટક કચેરી કુતિયાણાનું લોકાર્પણ કુતિયાણા ખાતે કર્યું […]

ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં કુલ સરેરાશ 79.83 ટકા વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધારે વરસાદ

અમદાવાદઃ રાજ્યના કેટલાક વિસ્તારમાં આજે હળવો વરસાદ વરસ્યો હતો. દરમિયાન અત્યાર સુધીમાં સિઝનનો લગભગ 80 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. તેમજ હજુ પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શકયતાઓ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મેઘરાજા મનમુકીને વરસ્યાં છે. દરમિયાન રાજ્યમાં સૌથી વધારે વરસાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code