1. Home
  2. Tag "saurashtra"

સૌરાષ્ટ્રમાં કપાસના પાકમાં સુકારાનો અને મગફળીના પાકમાં સફેદફૂગના રોગચાળાથી ખેડૂતો ચિંતિત

રાજકોટઃ ચોમાસા દરમિયાન સારા વરસાદને લીધે આ વર્ષે ખરીફ પાકના વાવેતરમાં વધારો થયો હતો. અને ખેડુતો પણ સોળઆની પાકનો ઉતારો લઈ શકાશે તેની આશાએ ખૂશ હતા. ત્યાં જ કપાસ અને મગફળીના પાકમાં રોગચાળાએ ખેડુતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સૌરાષ્ટ્રમાં ખરીફ પાકમાં કપાસનું 1914300 હેકટરમાં અને મગફળીનું 1258800 હેક્ટરમાં વાવેતર થયું છે. હાલ ભાદરવા માસના તડકાના […]

સૌરાષ્ટ્રમાં ભૂકંપનો આંચકો, પાલીતાણા નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું

વહેલી પરોઢે 4.12 કલાકે ધરા ધ્રુજી હતી ભૂકંપને આંચકાને પગલે લોકો ઘરની બહાર દોડી ગયા ભૂકંપમાં કોઈ જાનહાની નહીં થયાનું જાણવા મળે છે અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા નોંધાય છે દરમિયાન આજે વહેલી સવારે સૌરાષ્ટ્રના ભાવનગરમાં ધરા ધ્રુજી હતી. વહેલી પરોઢે આવેલા ભૂકંપની તીવ્રતા રિકટરસ્કેલ ઉપર લગભગ 3.5ની નોંધાઈ છે. તેમજ ભૂકંપનું કેન્દ્રબિનંદુ પાલિતાણા […]

સૌરાષ્ટ્રમાં વીજચોરીમાં ભાવનગર પ્રથમ નંબરે, રાજકોટ બીજાક્રમે, બોટાદમાં સૌથી ઓછી વીજચોરી

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીનું દુષણ વધતું જાય છે. ગામેગામ વીજચોરી થતી હોવાથી લાઈનલોસ વધતો જાય છે. તેના લીધે પીજીવીસીએલ દ્વારા જ્યાં લાઈન લોસ વધુ હોય તેવા વિસ્તારોમાં દરોડા પડાવામાં આવતા હોય છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની (પીજીવીસીએલ) દ્વારા એપ્રિલથી જુલાઈ દરમિયાન ચાર મહિનામાં કુલ રૂ. 82 કરોડની વીજ ચોરી પકડવામાં આવી છે. છેલ્લા ચાર મહિનામાં કુલ […]

વિશ્વ સિંહ દિવસ : સૌરાષ્ટ્રના 9 જિલ્લાના 30 હજાર ચો. કિ.મી.માં 674થી વધારે વનરાજોનો વસવાટ

અમદાવાદઃ એશિયાઇ સિંહ ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી રીતે વિહરતા જોવા મળે છે. ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ વન વિભાગ, ગુજરાત રાજ્યની અથાગ મહેનત અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસોથી એશિયાઇ સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળેલ છે. જુન 2020ની ગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા વધીને 674 થયેલ છે. વસ્તીમાં વધારો થતા તેમના રહેણાંક વિસ્તારમાં પણ […]

દક્ષિણ ગુજરાત-સૌરાષ્‍ટ્રમાં ભારે વરસાદની આગાહી, રાજ્યમાં સિઝનનો કુલ 72.57 ટકા વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં હાલ મેઘરાજાનું જોર ઘડ્યું છે. દરમિયાન આજે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં મેઘરાજાએ વિરામ લીધો હતો. દરમિયાન હવામાન નિષ્ણાતોએ આગામી તા. 27થી 5મી ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એટલું જ નહીં રાજ્યના અન્ય વિસ્તારમાં હળવો વરસાદની શકયતાઓ વ્યક્ત કરાઈ છે. જ્યારે રાજ્યમાં સિઝનનો કુલ, 72.57 ટકા […]

સૌરાષ્ટ્રમાં મગફળીનું 12.53 લાખ હેક્ટરમાં વાવેતર, હવે મેઘરાજા ખમૈયા નહીં કરે તો નુકસાનની ભીતિ

અમદાવાદઃ ગુજરાતમાં ભીમ અગિયારસ બાદ અષાઢ મહિનાના આગમન પૂર્વે જ મેઘરાજાની પધરામણી થતાં અને છેલ્લા દોઢ મહિના દરમિયાન સરેરાશ સારોએવો વરસાદ પડ્યો છે. આ વખતે ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં મગફળીના વાવેતરમાં વધારો થયો છે. કૃષિ વિભાગના આંકડા પ્રમાણે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 12.53 લાખ હેક્ટરમા મગફળીનું વાવેતર થયું છે. ગુજરાતમાં આ વર્ષે મેઘરાજાના સમયસરના આગમનને લીધે […]

સૌરાષ્ટ્રઃ 95 ગામના ખેડૂતોને સિંચાઈ અને 98 હજાર લોકોને પીવા માટે હવે મળશે નર્મદાના નીર

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 અને 28 જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. પોતાની આ ગુજરાત યાત્રા દરમિયાન વડાપ્રધાન અનેક વિકાસકાર્યોની સાથે સૌરાષ્ટ્રના લોકોને જીવાદોરી સમાન SAUNI યોજના સંબંધિત એક મોટી ભેટ આપશે. જેથી આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના 95 ગામના લોકોને પીવા અને ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાના પાણી મળશે. ગુજરાત સરકારે SAUNI એટલે કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ […]

હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ : સૌરાષ્ટ્રના લોકોને એરબસ A-380, બોઇંગ 777 જેવા મોટા વિમાનોની સેવાઓ મળશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 અને 28 જુલાઈ 2023ના રોજ ગુજરાતની બે દિવસીય યાત્રા પર છે. તેઓ 27મી જુલાઈ 2023ના રોજ ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ – હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. આ માટે હાલ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તેમજ એરપોર્ટ ઓથોરિટી દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.  7 ઓક્ટોબર 2017ના રોજ વડાપ્રધાનએ જ ચોટીલા […]

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના જળાશયોમાં નવા પાણીની વ્યાપક આવક, નર્મદા ડેમની સપાટી 128.51 મીટરે પહોંચી

અમદાવાદઃ સૌરાષ્ટ્ર ગુજરાતમાં સતત વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ રહી છે. રાજકોટનો આજી-1 ડેમ, ધોરાજીનો ભાદર-2 અને ન્યારી-1 ડેમ ઓવરફ્લો થયો છે. જેથી નીચાણવાળા વિસ્તારના લોકોને સાબદા રહેવા માટે તાકીદ કરવા આવી છે. બીજી તરફ ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં જળ સપાટી 128.51 મીટરે પહોંચી છે. નર્મદા […]

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન દ્વારકામાં ગણતરીના કલાકોમાં જ નવ ઈંચ જેટલો વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાયાં છે. હવામાન વિભાગે સુરતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code