ગોહિલવાડમાં 6,600 હેકટરમાં કરાયું તલનું વાવેતર, ગત વર્ષ કરતા વાવેતરમાં 1200 હેકટરનો વધારો
ભાવનગરઃ ગોહિલવાડમાં ગત ચોમાસા દરમિયાન સારો વરસાદ પડ્યો હતોય તેની આ વખતે ઉનાળામાં પણ સિંચાઈના પાણી પુરતા મળી રહે તેમ હોવાથી ઉનાળું વાવેતરમાં ગત વર્ષની તુલનાએ વધારો થયો છે. ઉનાળાની ગરમીનો હવે આરંભ થઈ રહ્યો છે, ત્યારે ગોહિલવાડ પંથકમાં અત્યાર સુધીમાં તલનું વાવેતર 6,600 હેકટરમાં નોંધાયું છે. જે ગત વર્ષના વાવેતરથી 1,200 હેકટર વધુ છે. […]