1. Home
  2. Tag "south gujarat"

દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દરિયાકિનારા પર ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર ભારે પવન સાથે ધૂળની હળવી આંધીની આગાહી હવામાન વિભાગે કરી છે. નવસારી શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દીવસથી ભારે પવન વહી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અન્વયે આગામી 2 જૂન સુધી દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર ભારે પવન સાથે ધુળની આંધીની આગાહી કરેલ છે. […]

ગુજરાતમાં લોકોને ગરમીથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા છે. ગઈકાલે અમરેલી સૌથી ગરમ શહેર બન્યું છે. અમરેલીમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો રાજકોટમાં 40.9, ડાંગમાં 40.6, સુરેન્દ્રનગરમાં 40.3,  ભુજમાં 39.8, છોટાઉદેપુરમાં 39.6, ગાંધીનગરમાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.બીજી […]

દક્ષિણ ગુજરાતઃ ઉનાળામાં લોકોને નહીં નડે પાણીની સમસ્યા, ઉકાઈમાં 49 ટકા પાણીનો જથ્થો

અમદાવાદઃ રાજ્યમાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. તો બીજી તરફ અન્ય જિલ્લાઓમાં પાણીની સમસ્યાઓ ઉભી થવા પામી છે. દક્ષિણ ગુજરાતથી મોટા રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં હાલ પણ 49% જેટલો લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જે આવનારા  એક વર્ષ સુધી આ વિસ્તારની પીવાના પાણીની જરૂરિયાત સંતોષવા […]

દક્ષિણ ગુજરાતમાં સુગર મિલોએ શેરડીના ટનદીઠ ઓછા ભાવ જાહેર કરતા ખેડૂતોએ કર્યો વિરોધ

સુરત: દક્ષિણ ગુજરાતની સુગર મિલો દ્વારા 1લી એપ્રિલથી શેરડીના ટન દીઠ ભાવ નક્કી કરાયા છે. જે ભાવ અપુરતા હોવાથી ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જેથી માંગરોળ તાલુકાના ખેડૂતોએ મામલતદારને આવેદન પત્ર આપી સુગર મિલો ભાવ મુદે ફેર વિચારણા કરે એવી માંગ કરવામાં આવી છે. એક તરફ મોંઘવારી વધી છે અને બીજી તરફ સુગર મિલો […]

કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારમાં હળવો વરસાદ

છોટાઉદેપુર અને તાપીના અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદ ડાંગ જિલ્લામાં આકાશમાં છવાયાં વાદળો વાતાવરણમાં આવેલા પલટાને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયાં અમદાવાદઃ ઉનાળાના આરંભ સાથે જ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. તાપી સહિતના કેટલાક વિસ્તારમાં આકાશમાં વાદળો છવાયાં હતા. […]

દક્ષિણ ગુજરાતઃ વીર નર્મદ યુનિવર્સિટીમાં પરીક્ષાને લગતા નિયમો વધુ કડક બનાવાયાં

અમદાવાદઃ સુરતની વીર નર્મદ યુનિવર્સિટીની એક્સર્ટનલ પરીક્ષા શરૂ થઈ ગઈ છે. ત્યારે પરીક્ષાને લગતા નિયમો કડક બનાવી દેવામાં આવ્યા છે. જે મુજબ કોઈ પણ વિદ્યાર્થી ઉત્તરવહીમાં ચલણી નોટો મૂકી શકશે નહીં તેમજ અભદ્ર લખાણ પણ લખી શકશે નહીં. આમ કરનાર વિદ્યાર્થીએ માનસિક ફિટનેસનું સર્ટિફિકેટ આપવું પડશે. જો કોઈ વિદ્યાર્થી ઉત્તરવહીમાં નાણાં મૂકશે તો તેને રૂપિયા […]

ગીરની જેમ દક્ષિણ ગુજરાતમાં પણ આંબાઓ પર આમ્રમંજરી ન આવી, કેરીના ઉત્પાદનને ફટકો

વલસાડઃ આ વખતે કેરીના પાક માટે પ્રતિકૂળ વાતાવરણને કારણે આંબાઓ પર આમ્રમંજરી યાને કે મોર પુરતા આવ્યા નથી. ગીરના તલાળાથી લઈને ઊના પંથકમાં આવેલી આંબાવાડીઓમાં પણ પુરતી સંખ્યામાં આમ્રમંજરીઓ જોવા મળતી હોવાથી જુનાગઢના કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોની સલાહ પણ લેવામાં આવી હતી. આવી સ્થિતિ દક્ષિણ ગુજરાતમાં વલસાડ લઈને છેક નવસારી સુધીની આવી જ સ્થિતિ જોવા મળી […]

સુરતના પોલીસ કમિશનર તેમજ સાઉથ રેન્જના IGની જગ્યા ખાલી, સરકાર નિર્ણય લઈ શકતી નથી

સુરતઃ શહેરમાં પોલીસ કમિશનર અજય કૂમાર તોમર વય મર્યાદાને કારણે નિવૃત થયા બાદ તેમના સ્થાને કોઈનીય હજુ સુધી નિમણૂંક કરવામાં આવી નથી. તદઉપરાંત છેલ્લા ઘણા સમયથી દક્ષિણ ગુજરાતના આઈજીની પણ જગ્યા ખાલી રહી છે અને ત્યાં પણ ઇન્ચાર્જથી કારભાર ચલાવાઇ રહ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા આ મહત્વની જગ્યા પર કાર્યદક્ષ અધિકારીઓની સત્વરે નિમણુંક […]

દક્ષિણ ગુજરાતમાં આંબાઓ પર મોર ન બેસતા અને સુકારાને લીધે કેસર કેરીના પાક પર અસર પડશે

નવસારી: સૌરાષ્ટ્રના ગીરની જેમ દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડથી લઈને નવસારી સુધી અનેક આંબાવાડીઓ આવેલી છે. અને કેસર કેરીનું સારૂએવું ઉત્પાદન થાય છે. શિયાળાની ઋતુમાં એટલે કે માગસર મહિનાથી આંબાઓ પર મોર બેસી જાય છે. એટલે કે આંબાઓ પર આંમ્રમંજરીઓ જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે વિપરિત હવામાનને કારણે તેમજ સુકારા નામના રોગને કારણે આંબાઓ […]

દક્ષિણ ગુજરાતના સુરતમાં ધરા ધ્રુજી, 2.6ની તીવ્રતા

સુરતથી 20 કિમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકામાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરતમાં સોમવારે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેથી લોકોમાં ભય ફેલાયો હતો. જો કે, ભૂકંપના આંતકાની તિવ્રતા ઓછી હોવાથી સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ ગુજરાતના સુરતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code