1. Home
  2. Tag "Students"

અદાણી વિદ્યામંદિર ખાતે ખૂલ્યા ચંદ્રયાન-3 ના વણઉકલ્યા રહસ્યો!, ISRO ના ડાયરેક્ટર સાથે વિદ્યાર્થીઓની જ્ઞાનગોષ્ઠિ 

ભારતના ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. અવકાશ વિજ્ઞાનમાં સંશોધન કરતી દેશની સર્વોચ્ચ સંસ્થા ઈસરો દ્વારા તેને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર ખાતે ઈસરોના ડિરેક્ટર નિલેશ દેસાઈએ મુલાકાત લીધી હતી. તેમણે બાળકોના સ્પેસ સાયન્સ વિશેના વણઉકલ્યા કોયડાઓ ઉકેલી ઉજ્વળ કારકિર્દી બનાવવા પ્રેરિત કર્યા હતા.     મંગળવારે SAC/ISRO– અમદાવાદના ડિરેક્ટર […]

એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ હાઈડ્રોજન એનર્જીથી ચાલતી બોટનું નિર્માણ કર્યું

બેંગ્લોરઃ તમિલનાડુના કોઈમ્બતુરમાં કુમાર ગુરુ કોલેજ ઓફ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ શાનદાર કામગીરી કરી છે. સમગ્ર વિશ્વમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે, આવી સ્થિતિમાં તમિલનાડુની આ એન્જિનિયરિંગ કોલેજના 10 વિદ્યાર્થીઓએ મળીને હાઈડ્રોજન એનર્જીથી ચાલતી બોટનું નિર્માણ કર્યું છે. ભારતમાં બનેલી આ પ્રકારની પ્રથમ બોટ છે. ભારતની આ એકમાત્ર ટીમ છે જે […]

CBSE એ 10મા ધોરણનું પરિણામ જાહેર કર્યું,93.12 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા

દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 10મા ધોરણનું પરિણામ જાહેર કર્યું છે. ધોરણ 10માં કુલ 93.12 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષાઓ આપી છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેમના પરિણામો ચકાસી શકે છે. બોર્ડે અગાઉ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું હતું. વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) […]

CBSE ધોરણ 12માનું પરિણામ જાહેર,વિદ્યાર્થીનીઓએ મારી બાજી,આ વેબસાઇટ્સ પર કરો ચેક

દિલ્હી : CBSE વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ શુક્રવારે ધોરણ 12 ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું અને આ વખતે 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં 5.38 ટકા ઓછા છે. અધિકારીઓએ જણાવ્યું કે બોર્ડે વિદ્યાર્થીઓને તેમના માર્કસના આધારે પ્રથમ, દ્વિતીય અને ત્રીજો વર્ગ આપવાની પ્રક્રિયાને […]

વિદ્યાર્થીઓએ સત્યનું આચરણ અને ધર્મનું પાલન કરવું જોઈએ : આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ ભારત રત્ન શ્રી ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતીએ આયોજિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આઠમા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા અને આર્ષ વિદ્યામંદિર, રાજકોટના પૂજ્ય સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ વિદ્યાર્થીઓને પદક અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. યુ .જી.સી. દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને કેટેગરી-1 યુનિવર્સિટી જાહેર […]

અદાણી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ રોબોટિક્સમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા

અમદાવાદ, 11 એપ્રિલ 2023: અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ (AIIE) એ સાત મહિનાની અસાધારણ સફરમાં ચાર વિદ્યાર્થીઓ, કુશલ મહેતા, તાત્યા કારિયા, જીશા નાઇક અને મોહમ્મદ અર્શ વહોરાએ e-Yantra રોબોટિક્સ સ્પર્ધામાં પ્રવેશ મેળવ્યો હતો. e-Yantra એ IIT બોમ્બે દ્વારા આયોજિત અને શિક્ષણ મંત્રાલય દ્વારા પ્રાયોજિત રોબોટિક્સ આઉટરીચ પ્રોગ્રામ છે. વિદ્યાર્થીઓએ ટેકનિકલ અને સોફ્ટ કૌશલ્યોને ઉત્તમ બનાવતા […]

વડોદરાની M S યુનિવર્સિટીએ 75 દિવસે પણ પરિણામ જાહેર ન કરતા વિદ્યાર્થીઓએ કર્યા દેખાવો

વડોદરાઃ ગુજરાતની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની એમ.એસ યુનિવર્સિટી દ્વારા 10 એપ્રિલથી એટીકેટીની પરીક્ષા શરૂ થતી હોવા છતાં યુનિવર્સિટીએ ફર્સ્ટ યરના રિઝલ્ટ જાહેર કર્યા ન હોવાથી ઝડપથી રિઝલ્ટ જાહેર કરવાની માગ સાથે વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા  યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે  હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવીને હેડ ઓફિસને તાળાબંધી કરી હતી, જેથી યુનિવર્સિટી સત્તાધીશો દોડી આવ્યા હતા […]

નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 6થી 8માં વિદ્યાર્થીઓને 10 દિવસ દફતર લીધા વિના શાળાએ આવવું પડશે

ગાંધીનગરઃ  ગુજરાતમાં આગામી જૂન-2023થી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષમાં ધો.6થી ધો.8માં ઈત્તર પ્રવૃત્તિ સાથે જ વિવિધ જીવન કૌશલ્યોનો વિકાસ કરવાના હેતુથી વિદ્યાર્થીઓને પ્રવૃત્તિમય શિક્ષણના ભાગરૂપે બે સત્રમાં થઇને 10 દિવસ બેગલેસ અભ્યાસનો પ્રયોગ કરવામાં આવશે. સર્વશિક્ષા અભિયાનનાં ભાર વગરના ભણતરની સંકલ્પની સામે આજે પણ પ્રાથમિક શાળાના બાળકોની સ્કૂલ બેગનો ભાર વધુ જોવા મળે છે. એટલે […]

રાહુલ ગાંધીએ બ્રિટેનમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદમાં મોદી સરકારની ઉજ્જવલા અને જન ધન યોજનાની પ્રશંસા કરી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બ્રિટેનના પ્રવાસે છે રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીની બિઝનેશ સ્કુલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ સરકાર લોકતાંત્રિક સંસ્થોને કમજોર બનાવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. રાહુલ ગાંધીને મોદી સરકારની સારી નીતિઓ બાબતે પૂછવામાં આવ્યું હતું. દરમિયાન તેમણે  ઉજ્જવલા […]

એક ભારત શ્રેષ્ઠ ભારત: ‘યુવા સંગમ’ કાર્યક્રમ હેઠળ અસામના વિદ્યાર્થીઓ-યુવાનો ગુજરાતની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત (EBSB) પહેલ હેઠળ શિક્ષણ મંત્રાલયની આગેવાની હેઠળના ‘યુવા સંગમ’ કાર્યક્રમના ભાગ રૂપે, 18 વિદ્યાર્થીઓ અને કેમ્પસ સિવાયના યુવાનો આસામના અધિકારીઓ સાથે 24 ફેબ્રુઆરી અને 02 માર્ચ, 2023 દરમિયાન ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લેશે. તેઓ પાંચ વ્યાપક ક્ષેત્રો – પર્યટન (ટુરિઝમ), પરંપરા (ટ્રેડિશન), પ્રગતિ (ડેવલપમેન્ટ), પ્રોદ્યોગિકી (ટેક્નોલોજી) […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code