1. Home
  2. Tag "Surendranagar District"

સુરેન્દ્રનગર જિલ્લાના 540 ગામોમાં હવે ક્યુઆર કોડથી ઓનલાઈન વેરો ભરી શકાશે

સુરેન્દ્રનગરઃ આજના મોબાઈલ અને ઈન્ટરનેટના જમાનામાં હવે શહેરો જ નહીં પણ ગામડાંના લોકો પણ નવી ટેકનોલોજી અપનાવતા થયા છે.  વીજળીથી લઈને ગ્રામ પંચાયતોના વેરોની બિલો લાઈનમાં ઊભા રહીને ભરવા જતા હતા, તે ભૂતકાળ બની ગયો છે. હવે ગામડાંના લોકો પણ પોતાના મોબાઈલ ફોનથી ઓનલાઈન ગુગલ કે ફોન પેથી બિલો ભરે છે. ત્યારે ગ્રામ પંચાયતો પણ […]

સુરેન્દ્રનગર જિલ્લાની 113 ગ્રામ પંચાયતો પાસે વીજ બિલ ભરવાના પણ નાણા નથી

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ઘણીબધી ગ્રામ પંચાયતોની આર્થિક હાલત એટલીબધી ડામાડોળ બની ગઈ છે. કે, કે વીજળી બિલ પણ ભરી શકવાના નાણા નથી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની 113 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. જિલ્લાની 113 ગ્રામ પંચાયતો પાસે છેલ્લા 6 માસથી  રૂ. 5,91,233 બાકી વીજબીલની રકમ નીકળે છે. જેના કારણે આવી પંચાયતો સામે પીજીવીસીએલએ નોટીસ સહિતની કાર્યવાહી પણ […]

સુરેન્દ્રનગર જિલ્લાના રેશનિંગના 537 દુકાનદારો લડતના માર્ગે, સપ્ટેમ્બરનો પુરવઠો નહીં ઉપાડે

સુરેન્દ્રનગરઃ જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોને કમીશન સહિત વિવિધ પ્રશ્ને પડતી મુશ્કેલીઓ અંગે વારંવાર રજૂઆતો કર્યા બાદ પણ નિરાકરણ આવ્યું નથી.તેથી સસ્તા અનાજની દુકાનદારો હવે લડાયક મૂડમાં છે. અને જો માગણીઓ નહીં સ્વીકારાય તો સપ્ટેમ્બર મહિનાનો અનાજનો જથ્થો નહીં ઉપાડવાનો નિર્ણય જિલ્લાના 537 દુકાનદારે જાહેર કરી દીધો છે. સપ્ટેમ્બરમાં સાતમ-આઠમ સહિતના તહેવારો આવે છે ત્યારે 10.43 […]

સુરેન્દ્રનગર જિલ્લામાં 5 ડેમ તળિયા ઝાટક, 3 ડેમમાં માત્ર 3થી 8 ટકા જેટલું જ પાણી

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં કાળઝાળ ગરમીને લીધે ઘણા ગામડાંમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. હાલ સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ નર્મદાના પાણીને લીધે ભરાયેલો છે. જ્યારે બાકીના ડેમોમાં તળિયા દેખાવવા લાગ્યા છે. એટલે કે  18 ડેમોમાં માત્ર 18 ટકા જેટલા પાણીને સ્ટોક જ ઉપલબ્ધ છે. જેમાં 5 ડેમો તો તળિયાઝાટક છે. અને ત્રણ ડેમોમાં તો માત્ર 8 ટકા […]

સુરેન્દ્રનગર જિલ્લાની અડધો ડઝન પાલિકાઓના રૂ. 8685 લાખના વીજ બિલોના લેણા બાકી,

સુરેન્દ્રનગરઃ શહેરની વઢવાણ-સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા તેમજ જિલ્લાની પાંચ નગરપાલિકા સહિત કૂલ 6 નગરપાલિકાઓ પર વીજતંત્ર યાને પીજીવીસીએલનું લાખો રૂપિયાનું કરજ ચડી ગયું છે.  પ્રોપર્ટી ટેક્સ ઉઘરાવવામાં લાપરવાહી દાખવનારી નગરપાલિકાના સત્તાધિશો હવે સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે. જ્યારે રાજ્ય સરકારે પણ ગ્રાન્ટમાંથી બાકીવીજ બીલની રકમ કાપી લઈને સીધી પીજીવીસીએલમાં જમા કરાવવાની સુચના આપવામાં આવી […]

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજચોરી સામે દરોડા, 98 ચોરીના કેસ પકડાતા 28 લાખનો દંડ કરાયો

સુરેન્દ્રનગરઃ રાજ્યભરમાં વીજળી ચોરી સામે સરકારની માલિકીની ચારેય વીજ કંપનીઓએ ઝૂંબેશ હાથ ધરી છે. જેમાં સરેન્દ્રનગર  જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા વીજચોરી ડામવા કાર્યવાહી હાથ ધરી હતી. વીજ ચેકિંગ સ્કવોર્ડની  34 ટીમોએ ધ્રાંગધ્રા, પાટડી, દસાડા, બાવળી, રાજસીતાપુર વિસ્તારમાં ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં 655 કનેકશન તપાસમાં 98માં વીજચોરી જણાતા 28 લાખનો દંડ ફટકારાયો હતો. જિલ્લામાં વીજ ચોરીનું […]

સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈની સુવિધા વધતા જીરૂનું 17289 અને ધાણાનું 25905 હેકટરમાં વાવેતર

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં મોટાભાગના વિસ્તારોને નર્મદાના કેનાલ થકી સિંચાઈનો લાભ મળતો હોવાથી હવે ખેડુતો અન્ય પાક તરફ વળ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ઉત્તમ ગુણવતાના કપાસની દેશ વિદેશમાં પણ માગ છે. ત્યારે ખાસ કરીને શિયાળુ પાકમાં ઝાલાવાડ પંથક જીરૂના પાક માટે જાણીતો છે. પરંતુ આ વર્ષે શિયાળુ વાવેતરની પેટર્ન બદલાઇ છે. કારણ કે દર વર્ષે જિલ્લામાં જીરૂ અને […]

સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં માત્ર બે મહિના ચાલે તેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ગત ચોમાસા દરમિયાન સારોએવો વરસાદ પડવાથી મોટાભાગના જળાશયો છલોછલ ભરાઈ ગયા હતા. કેટલાક જળાશયો સૌની યોજનામાં નર્મદાના નીરથી ભરવામાં આવે છે. પરંતુ કેટલાક નાના ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના મોટાભાગના ગામોમાં નર્મદાનું પાણી પાઈપલાઈન દ્વારા આપવામાં આવતું હોવાથી ઉનાળા દરમિયાન પીવાના પાણીની સમસ્યા ઊભી નહીં થાય, પરંતુ સિંચાઈના પ્રશ્ને ખેડુતોના […]

ઝાલાવાડ પંથકમાં કપાસનું મબલખ ઉત્પાદન, જિલ્લાના આઠ યાર્ડ્સમાં કપાસની ધૂમ આવક

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંછકમાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું સારૂ એવું ઉત્પાદન થયું છે. જેમાં કપાસનું રેકોર્ડબ્રેક ઉત્પાદ થયું છે.  સુરેન્દ્રનગર જિલ્લો સમગ્ર દેશમાં કપાસના ઉત્પાદનમાં સારી નામના ધરાવે છે. અને જિલ્લામાં કપાસનું સૌથી વધુ વાવેતર થાય છે. વર્તમાન સમયે નવા કપાસની આવક ચાલુ થઇ ગઇ છે. ત્યારે દિવાળી બાદ મંગળવારથી […]

ઝાલાવાડ પંથકમાં સમયાંતરે પડતા વરસાદને લીધે કપાસના તૈયાર થયેલા પાકને નુકશાન

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં આ વખતે કપાસનું રેકોર્ડબ્રેક વાવેતર થયું હતું. અને શરૂઆતથી માફકસરના વરસાદને લીધે કપાસનો પાક સારોએવો ફાલ્યો છે. જેના લીધે ખેડુતો પણ ખૂશખૂશાલ હન્યા હતા. ત્યાં છેલ્લા ચાર-પાંચ દિવસથી વરસાદના સમયાંતરે વરસાદના ભારે ઝાપટાં પડી રહ્યા હોવાથી કપાસના તૈયાર થયેલા પાકને નુકશાન થઈ રહ્યું છે. ખેડુતો હવે મેઘરાજાને વિદાય માટે વિનવી રહ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code