1. Home
  2. Tag "tamil nadu"

તમિલનાડુઃ લગ્નમાં મૃત પિતાનું મીણનું પુતળુ જોઈ કન્યા થઈ ભાવુક

બેંગ્લોરઃ પિતા-પુત્રનો સંબંધ દુનિયાનો સૌથી અલગ હોય છે પિતા અને પુત્રી માટે બંને એકબીજા માટે વિશેષ હોય છે. દરમિયાન પિતા-પુત્રીના પ્રેમનો ભાવનાત્મક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તમિલનાડુમાં એક યુવતીના લગ્ન હતા. પરંતુ પિતાનું કોરોના કાળમાં અવસાન થયું હોવાથી યુવતી દુઃખી હતી. જો કે, પરિવારજનોએ યુવતીને એક સુંદર સરપ્રાઈઝ આપતા તેની ચહેરા ઉપર […]

તમિલનાડુઃ ટેરર ફંડીંગ મામલે એનઆઈએના વિવિધ સ્થળો ઉપર દરોડા

બેંગ્લોરઃ ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓને નાબુદ કરવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન તમિલનાડુમાં ટેરર ફંડીંગ મામલે નેશનલ ઈન્કવાયરી એજન્સી એટલે કે એનઆઈએ દ્વારા વિવિધ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યાં હતા. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ની ટીમે તમીલનાડુ અને પોંડીચેરીના અનેક વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા આતંકી ગતિવિધિ મામલે પાડ્યા હોવાનું પ્રાથમિક […]

તમિલનાડુમાં રૂ. 31,400 કરોડથી વધુના 11 પ્રોજેક્ટ્સ PM મોદી રાષ્ટ્રને અર્પણ કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મે 2022ના રોજ હૈદ્રાબાદ અને ચેન્નાઈની મુલાકાત લેશે. બપોરે લગભગ 2 વાગ્યે, પ્રધાનમંત્રી ISB હૈદ્રાબાદનાં 20 વર્ષ પૂરાં થવાની ઉજવણીમાં ભાગ લેશે અને 2022ના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (PGP) વર્ગના પદવીદાન સમારોહને સંબોધશે. સાંજે લગભગ 5:45 વાગ્યે, વડાપ્રધાન  ચેન્નાઈના JLN ઇન્ડોર સ્ટેડિયમમાં 31,400 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 11 પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ […]

તમિલનાડુઃ વીજ કરંટથી 11ના મોત અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત

નવી દિલ્હીઃ તમિલનાડુમાં એક મંદિરમાં શોભાયાત્રા દરમિયાન વીજકરંટ લાગવાથી 11 વ્યક્તિઓના મોત થયાં હતા. આ દૂર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરીને મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ મૃતકોના પરિવારજનોને રૂ. બે-બે લાખની સહાયની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ઈજાગ્રસ્તોને સારવાર માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 50 હજાર રૂપિયા આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર તંજાવુર […]

તમિલનાડુઃ મંદિરની રથયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના,વીજ કરંટ લાગવાથી બે બાળકો સહીત 10ના મોત 

 મંદિરની રથયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના વીજ કરંટ લાગવાથી બે બાળકો સહીત 10ના મોત પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્ય કર્યું શરુ ચેન્નાઈ:તમિલનાડુના તંજાવુરમાં કાલીમેડુ સ્થિત એક મંદિરમાં 10 લોકોને વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યા છે.આ અકસ્માતમાં અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.માહિતી મળતાં જ પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું […]

તમિલનાડુનો વિદ્યાર્થી રશિયન આક્રમણ સામે લડવા માટે યુક્રેનની સેનામાં જોડાયો

નવી દિલ્હીઃ  તમિલનાડુના કોઈમ્બતુરનો એક 21 વર્ષીય વિદ્યાર્થી રશિયા સામે લડવા માટે યુક્રેનિયન લશ્કરી દળોમાં જોડાયો છે. તેણે ભારતીય સેનામાં જોડાવા માટે અરજી કરી હતી. વિદ્યાર્થી વર્ષ 2018માં અભ્યાસ માટે યુક્રેન ગયો હતો અને જુલાઈ 2022માં તેનો અભ્યાસ પૂર્ણ થયો હતો તમિલનાડુના કોઈમ્બતુર જિલ્લાનો 21 વર્ષીય વિદ્યાર્થી સૈનિકેશ રવિચંદ્રન રશિયા સામે યુદ્ધ માં યુક્રેનિયન લશ્કરી […]

તમિલનાડુઃ કોર્પોરેટરની ચૂંટણીમાં એક ઉમેદવારે સોનાના નામે મતદારોમાં તાંબાના સિક્કાનું કર્યું વિતરણ !

બેંગ્લોરઃ તમિલનાડુમાં મતદારોને આકર્ષવા માટે રોકડ તથા વિવિધ ગ્રીફ્ટ આપવાની પરંપરા હોવાનું ચર્ચાય છે. અનેક રાજકીય પક્ષોના ઉમેદવારો મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે લાલચ આપે છે. અંબુરમાં એક અપક્ષ ઉમેદવારે સોનાના સિક્કા મતદારોમાં વહેંચ્યાં હતા. જો કે, મતદારો સામે સોનાના સિક્કાની સચ્ચાઈ સામે આવતા ચોંકી ઉઠ્યાં હતા. તેમજ અપક્ષ ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. […]

તામિલનાડુમાં 11 નવી સરકારી મેડિકલ કોલેજોનું PM મોદીએ વર્ચ્યુઅલી ઉદ્વાટન કર્યું

પીએમ મોદીએ તામિલનાડુમાં 11 નવી સરકારી મેડિકલ કોલેજોનું ઉદ્વાટન કર્યું તે ઉપરાંત સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલના નવા કેમ્પસનું પણ ઉદ્વાટન કર્યું કોવિડ-19 રોગચાળાએ આપણને આરોગ્ય ક્ષેત્રના મહત્વ વિશે શીખવ્યું: PM મોદી નવી દિલ્હી: તામિલનાડુમાં નવી 11 સરકારી મેડિકલ કોલેજો અને ચેન્નાઇમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ તામિલના નવા કેમ્પસનું પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્વાટન કર્યું […]

તમિલનાડુમાં ફટાકડાની ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગી, ચાર શ્રમજીવીના મોત

બેંગ્લોરઃ તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં શિવકાશી નજીક મેટ્ટુપટ્ટી ખાતે એક ખાનગી ફટાકડાની ફેક્ટરીમાં શનિવારે થયેલા વિસ્ફોટમાં ચાર શ્રમજીવીઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે આ બનાવમાં અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ફટાકડાની ફેક્ટરીમાં આજે સવારે આગ ફાટી નીકળી હતી, જેના કારણે શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા, તેમ પોલીસે જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર શિવાકારી […]

તમિલનાડુમાં ભારે વરસાદઃ વિજળી પડતા 3 વ્યક્તિઓના મોત

બેંગ્લોરઃ તમિલનાડુમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ ચેન્નઈમાં વીજળી પડવાની ઘટનામાં 3 વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. દરમિયાન ભારે વરસાદને પગલે ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. તમિલનાડુના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code