કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી સામે ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન
ગાંધીનગરઃ ગુજરાત સરકારે સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકો યાને વિદ્યાસહાયકોને બદલે જ્ઞાન સહાયક તરીકે 11 મહિનાના કરાર આધારિત શિક્ષકોની ભરતી શરૂ કરી છે. આ ભરતીને કારણે ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારોનું શિક્ષક બનવાનું સપનું રોળાઈ ગયું છે. ઘણાબધા ઉમેદવારો ભરતી માટેની નિયત ઉંમર પણ વટાવી જવાની તૈયારીમાં છે. ત્યારે જ્ઞાન સહાયકોની કરાર આધારિત નિમણૂંકો રદ […]