રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ત્રિપુરાની બે દિવસીય મુલાકાતે,અનેક વિકાસ યોજનાઓનું કરશે ઉદ્દઘાટન
દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ત્રિપુરાની બે દિવસીય મુલાકાતે છે.જ્યાં તેઓ અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્દઘાટન કરશે.અધિકારીઓએ જણાવ્યું કે,રાષ્ટ્રપતિ બુધવારે સવારે 11.15 વાગ્યે મહારાજા બીર બિક્રમ એરપોર્ટ પર પહોંચવાના છે.રાષ્ટ્રપતિ બન્યા બાદ મુર્મુની ત્રિપુરાની આ પ્રથમ મુલાકાત હશે. તેમણે કહ્યું કે,આ સમયગાળા દરમિયાન મુર્મુ અગરતલા સુધી ગુવાહાટી-કોલકાતા એક્સપ્રેસ ટ્રેન તથા ખોંગસાંગ (મણિપુર) સુધી નવી વિસ્ટાડોમ બોગી સાથે […]