1. Home
  2. Tag "two dead"

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક ખાનગી બસ પલટી જતાં બેનાં મોત,

અમદાવાદઃ રાજ્ય માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડીયાદ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ જતાં બસમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર જનશાળી પાટિયા નજીક બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં બેનાં મોત

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં લીંમડીના જનશાળી પાટિયા નજીક લકઝરી બસ અનેડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. આ અકસ્માતમાં 20થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ […]

દહેગામના લિહોડા ગામે દારૂ પીધા બાદ બેનાં મોત, 4 સારવાર હેઠળ, પોલીસે લઠ્ઠાકાંડની વાતને નકારી

ગાંધીનગરઃ જિલ્લાના દહેગામ તાલુકાના લિહોડા ગામમાં દેશી દારૂ પીવાના કારણે બે લોકોના મોત થયા છે. જ્યારે ચાર જેટલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસના અધિકારીઓ સહિતનો કાફલો દોડી ગયો હતો. અને કથિત લઠ્ઠાકાંડને લીધે રાજકીય માહોલ પણ ગરમાયો હતો. જો કે જિલ્લા એસપીએ લઠ્ઠાકાંડ હોવાનો ઈનકાર કર્યો હતો, આ […]

ખેરાળુના ચોટિયા શાળાના વિદ્યાર્થીઓની પ્રવાસી બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, બેના મોત

અમદાવાદઃ ગુજરાતમાં મહેસાણા જિલ્લાના ખેરાળુ તાલુકાના ચોટિયાની શાળાના વિદ્યાર્થીઓ રાજસ્થાનના જોધપુર અને જેસલમેરના શૈક્ષણિક પ્રવાસે ખાસ બસમાં રવાના થયા હતા. દરમિયાન વિદ્યાર્થીઓની બસને પાલી જિલ્લાના સુમેરપુર નજીક એક ભયાનક અકસ્માત નડ્યો હતો. હાઈવે પર ડામર ભરેલા રોડ સાઈડ પર ઊભેલા ટ્રક પાછળ ધડાકા સાથે બસ અથડાતા બસમાં પ્રવાસ કરી રહેલા સ્કુલ સ્ટાફના બે સભ્યોના મોત […]

ભાવનગર સિહોર હાઈવે પર રાજપરા ગામ પાસે ડમ્પરે બાઈકને ટક્કર મારતા બેના મોત

ભાવનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે ભાવનગર-સિહોર હાઈવે પર રાજપરા ગામ પાસે પુરફાટ ઝડપે આવેલા ડમ્પરે બાઈકને ટક્કર મારતા બાઈક પર સવાર બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. આ અકસ્માત બાદ ડમ્પર સાથે તેનો ચાલક પલાયન થઈ ગયો હતો. અકસ્માતના બનાવની જાણ થતાં સિહોર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અકસ્માતના બનાવની […]

લીંબડી હાઈવે પર કોઈ અજાણ્યા વાહને કારને ટક્કર મારતા કારચાલક સહિત બેનાં મોત

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં લીંબડીના મોડલ સ્કુલ નજીક  હાઈવે પર કોઈ અજાણ્યા વાહને કારને ટક્કર મારતા કારમાં મુસાફરી કરી રહેલા બે વ્યક્તિના  મોત નિપજ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.  હીટ એન્ડ રનના આ બનાવમાં પોલીસે નાસી ગયેલા વાહનની શોધખોળ આદરી છે. આ અકસ્માતને કારણે […]

અમીરગઢ નજીક હાઈવે પર રાત્રે હીટ એન્ડ રન, એક્ટિવાચાલક સહિત બેના મોત

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતુ જાય છે. જેમાં હીટ એન્ડ રનના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ અંબાજી જતા પદયાત્રીને કચડીને કોઈ અજાણ્યુ વાહન પલાયન થઈ ગયુ હતું. આ બનાવ બાદ અમીરગઢ નજીક હાઈવે પર એક્ટિવા સ્કૂટર પર જતા બે યુવાનોના કોઈ અજાણ્યા વાહની અડફેટે મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતાં […]

ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બહુમાળી ઈમારત ધરાશાયી, બેના મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના ફતેહપુર ખાના વિસ્તારમાં સવારે એક બહુમાળી ઈમારત ધરાશાયી થતાં બે લોકોના મોત થયા હતા અને 10 અન્ય ઘાયલ થયા હતા. કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા. બારાબંકી જિલ્લાના ફતેહપુર ખાના વિસ્તારમાં ઈમારત ધરાશાયી […]

ગુજરાતમાં ગણતરીના કલાકોમાં રાજકોટ અને વડોદરામાં હાર્ટ એટેકથી બે વ્યકિતના મૃત્યુ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી યુવાનોમાં હાર્ટએટેકના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન રાજ્યમાં ગણતરીના કલાકોમાં બે યુવાનોના હાર્ટએટેકથી મોત થયા હતા. રાજકોટમાં મનપાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું. જ્યારે વડોદરામાં એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીનું હ્રદયરોગના હુમલામાં મૃત્યું થયું હતું. રાજ્યમાં હાર્ટ એટેકના બનાવોમાં થયેલા વધારાને પગલે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી […]

ધોરાજીમાં મોહરમના તાજિયા વીજ લાઈનને અડી જતાં 26 લોકોને લાગ્યો વીજળી કરંટ, બેનાં મોત

રાજકોટઃ જિલ્લાના ધોરાજી શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા મહોરમના તાજીયા જુલુસનું આયોજન કરાયું હતું ત્યારે શહેરના રસુલપરામાં તાજિયાના જુલૂસમાં તાજિયા વીજલાઈન સાથે અડી જતાં 26 લોકોને વીજકરંટ લાગ્યો હતો, જેમાં દાઝેલા 26 લોકોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.જેમાં બે વ્યક્તિનાં મોત નીપજ્યા હતા. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 24 લોકોમાંથી કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code