1. Home
  2. Tag "visnagar"

વિસનગરમાં ભાજપના નગરસેવકે ટ્રેન નીચે પડતુ મુકી કરી આત્મહત્યા

મહેસાણા, 8 જુન 2026 : BJP corporator commits suicide by jumping under train  જિલ્લાના વિસનગરમાં ભાજપના વોર્ડ નંબર-1ના નગરસેવક દીપક મોદીએ આજે સવારે ટ્રેન નીચે પડતું મુકીને આત્મહત્યા કરતા શહેરમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી. આ બનાવની જાણ થતાં રેલવે પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને દીપકભાઈના પરિવારજનો અને શહેર ભાજપના કાર્યકર્તાઓ પણ […]

વિસનગરમાં નવી સરકારી કોમર્સ અને લો કોલેજમાં જીકાસ દ્વારા પ્રવેશ અપાશે

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બે સરકારી કોલેજોનો પ્રારંભ, સરકારી કોલેજ હોવાથી વિદ્યાર્થીઓ સામાન્ય ફીમાં અભ્યાસ કરી શકશે, મંત્રી ઋષિકેશ પટેલના પ્રયાસોથી વિસનગરને બે સરકારી કોલેજો મળી પાટણઃ મહેસાણા જિલ્લાના વિસનગરમાં એક સાથે બે સરકારી કોલેજો શરૂ કરવામાં આવી છે. જેમાં એક સરકારી કોમર્સ કોલેજ અને બીજી સરકારી કોલેજ લો કોલેજ છે. આ બન્ને કોલેજો […]

વિસનગરના કંસારાકૂઈ ગામે પાટોત્સવના જમણવાર બાદ 67 લોકોને ફુડપોઈઝનિંગ

જમણવાર બાદ ઝાડા-ઊલટી અને પેટમાં દુઃખાવાના કેસ નોંધાયા 67 દર્દીઓને પ્રા. આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાઈ આરોગ્ય વિભાગે ફુડને સેમ્પલ લઈને તપાસ હાથ ધરી વિસનગરઃ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કંસારાકુઇ ગામમાં મહાકાળી માતાજીના પાટોત્સવમાં સાંજના જમણવાર પછી 67 લોકોને ઝાડા ઊલટી અને પેટમાં દુખાવા લાગતા ફુડ પોઈઝનની અસર હોવાને લીધે ત્વરિત સારવાર શરૂ કરવામાં આવી હતી. […]

વિસનગરની એસપી યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ યોજાયો, 1804 પદવી એનાયત કરાઈ

મહેસાણાઃ વિસનગરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીનો 7 મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વિવિધ વિદ્યાશાખાઓમાં ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી સહિતમાં ઉત્તીર્ણ થયેલા 1804 વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી. તો આ પ્રસંગે 33 સુવર્ણચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. પી.એમ. ઉદાણીએ સ્વાગત પ્રવચન કરી યુનિવર્સિટીની […]

વિસનગરના તરભ ગામ નજીક ઈકો કાર અને જીપ વચ્ચે અકસ્માત સર્જાતા બેનાં મોત, ત્રણને ઈજા

મહેસાણાઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વિસનગરના તરભ ગામ પાસે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકો કાર અને તુફાન જીપ વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો […]

વિસનગરમાં પરંપરાગત રીતે ખાસડા યુદ્ધથી ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ, 150 વર્ષથી આવતી આવે છે પરંપરા

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં આજે સવારથી જ ધૂળેટી પર્વની રંગો સાથે ઉજવણી કરવામાં આવી હતી. જો કે, ઉત્તર ગુજરાતના મહેસાણા નજીક આવેલા વિસનગરમાં વર્ષોથી કંઈક અલગ રીતે જ ઉજવણી કરવામાં આવે છે. અહીં પરંપરાગત રીતે ધૂળેટી પર્વ નિમિત્તે લોકો એકબીજાને ખાસડા એટલે ચપ્પલ મારીને પર્વની ઉજવણી કરે છે. વિસનગરમાં આ પરંપરા લગભગ 150થી પણ વધારે વર્ષથી […]

વિસનગરમાં મુખ્યમંત્રીએ 85 જેટલા વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું

ગાંધીનગરઃ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસાણા જિલ્લાના વિસનગર એ.પી.એમ.સી. ગ્રાઉન્ડ ખાતેથી રૂ. 109 કરોડના 85 જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોનું ભૂમિપૂજન, ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આશરે 20 જેટલા વિકાસના કાર્યોનું લોકાર્પણ અને 43 જેટલા વિકાસના નવા પ્રકલ્પોનું ખાતમુર્હુત કરાયું હતું. આ ઉપરાંત વિસનગર તાલુકાના વિવિધ વિભાગના આશરે […]

વિસનગરમાં ધૂળેટીના દિને ખેલાતું ખાસડાં યુદ્ધ, જુત્તા-ચપ્પલ એકબીજા પર ફેંકવાની પરંપરા

મહેસાણા: રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં હોળી અને ધૂળેટીના પર્વની અનોખી રીતે ઊજવણી થતા હોય છે. ત્યારે મહેસાણાના વિસનગરમાં ધુળેટી નિમિત્તે ખાસડા યુદ્ધ ખેલાય છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં લોકો એકબીજા પર ચપ્પલ અને જુતા ફેંકે છે. સમય બદલાતા આ પદ્ધતિમાં પણ થોડો બદલાવ આવ્યો છે. હવે ખાસડાની જગ્યાએ  શાકભાજીએ સ્થાન લીધું છે. વિસનગરમાં આ […]

વિસનગરમાં હારના ડરે ઋષિકેશ પટેલે ઊંઝાથી ટિકિટ માગતા ભાજપના સ્થાનિક કાર્યકર્તાનો વિરોધ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એકાદ મહિનો બાકી રહ્યો છે. ભાજપ સહિત તમામ પક્ષોએ ઉમેદવારોની પસંદગીની પ્રકિયા શરૂ કરી દીધી છે. ભાજપમાં તો ટિકિટવાંચ્છુઓનો રાફડો ફાટ્યા છે. ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલે ઊંઝા સીટ પરથી ટિકિટ માંગતા ઊંઝાના ભાજપાના કાર્યકર્તાઓમાં વિરોધ ઊભો થયો છે. મહેસાણા જિલ્લો રાજકીયરીતે મહત્વનો ગણાય છે. અને […]

વિસનગરના સવાલા ગામે લગ્ન પ્રસંગે ભોજન લીધા બાદ 1200 લોકોને ફુડ પોઈઝનિંગ

મહેસાણાઃ  જિલ્લાના વિસનગર તાલુકાના સવાલા ગામે રાત્રિ દરમિયાન યોજાયેલા લગ્ન સમારોહમાં પીરસાયેલું ભોજન આરોગવાથી 1000થી વધુ લોકોને  ફૂડ-પોઇઝનિંગની અસર થતાં દોડધામ મચી ગઈ હતી. ફુડ પોઈઝિંગના અસરગ્રસ્તોને વિસનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં  આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ વિસનગર હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, જ્યાં દર્દીઓના હાલચાલ પૂછ્યા હતા. અને જરૂરી મદદની ખાતરી આપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code