1. Home
  2. Tag "WATER PROBLEM"

ગાંધીનગરમાં સેકટર-1થી 30 અને સાત ગામોમાં પુરતા પ્રેશરથી પાણી ન મળતા રહિશોને પડતી મુશ્કેલી

ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરના કેટલાક વિસ્તારોમાં પુરા ફોર્સથી પાણી આવતું નહોવાની ફરિયાદો ઊઠી છે. શહેરના સેક્ટર-1થી 30 અને મર્જ કરાયેલા સાત ગામમાં પાણી આપવા માટે દરરોજની 59 એમએલડી પાણીની જરૂરીયાત ઉભી થાય છે. જ્યારે તેની સામે પાણી પુરવઠા બોર્ડ દ્વારા માત્ર 46 એમએલડી પાણી આપવામાં આવે છે. આથી પાણીનો પુરવઠો જ છ એમએલડી જેટલો […]

લીંબડીના અંકેવાળિયામાં પીવાના પાણીની સમસ્યા ન ઉકેલાતા મહિલાઓએ હાઈવે કર્યો ચક્કાજામ

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકના મોટાભાગના ગામડાંમાં નર્મદાના નીરને લીધે પીવાના પાણીની  સમસ્યા ભૂતકાળ બની ગઈ છે. મોટાભાગના ગામોમાં પાઈપ લાઈન દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પરંતુ યાંત્રિક ક્ષતિ તંત્રની નિષ્ફળતાને કારણે જિલ્લાના અંકેવાળિયા સહિત અનેક ગામો પીવાના પીણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આથી અંકેવાળિયા ગામની મહિલાઓએ પાણીના પ્રશ્ને લીંબડી -સુરેન્દ્રનગર હાઈવે  […]

સાંતલપુરના છાણસરા ગામમાં નળ છે, પણ પાણી નથી, મહિલાઓનો માથે બેડા લઈને રઝળપાટ

પાટણઃ  જિલ્લાના સાંતલપુર તાલુકાના છાણસરા ગામે પીવાના પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. ગામની અંદાજીત કુલ વસતી બે હજાર આસપાસ છે .પશુધન એક હજાર છે. તળાવમાં પાણી છે, તે દૂષિત છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા માત્ર દિવસનું અડધો કલાક જ અપાય છે, જે પાણી પુરતું નથી. તેમજ ગામના કેટલાક ઘરો એવા છે. કે, નળ […]

ભાવનગરના સિહોરમાં પાણીની સમસ્યા, કેટલાક વિસ્તારોમાં 10 દિવસે કરાતું પાણીનું વિતરણ

ભાવનગરઃ જિલ્લાના ઘણાબધા ગામડાં અને નાના શહેરોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. જેમાં તાલુકા મથક એવા સિહોર શહેરમાં તો 10 દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે, લોકો પીવાના પાણીની હાડમારીનો સામનો કરી રહ્યા છે.  શહેરનું ગૌતમેશ્વર તળાવ ખાલી છે. જ્યારે શહેરી વિસ્તારના મોટાભાગના બોરમાં પાણી ડૂકી ગયા છે. ઉનાળો પોતાના અસલ મિજાજમાં આવી ગયો […]

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં મ્યુનિ.ના ઈજનેરી વિભાગના વાંકે પાણીની સમસ્યા સર્જાઈ

અમદાવાદઃ શહેરના તમામ વિસ્તારોમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પીવાનું પાણી પાઈવલાઈન દ્વારા પુરૂ પાડવામાં આવે છે, સામાન્ય રીતે ઉનાળામાં પાણીની વપરાશ વધતી હોય છે. ત્યારે શહેરના ખાડિયા વિસ્તારમાં મ્યુનિ.ના ઈજનેર વિભાગની લાપરવાહીને કારણે લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવા પડી રહ્યો છે. એએમસીના ઇજનેર વિભાગ અને કોન્ટ્રાકટરોની લાલિયાવાડીના કારણે ખાડિયા વિસ્તારના લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. […]

રાજકોટમાં નર્મદાના પાણીથી ડેમ તો ભરી દેવાયા છતાં પાણીની સમસ્યા, વોર્ડ નં.11ના લોકોએ કર્યો વિરોધ

રાજકોટઃ શહેરના કેટલાક વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભથી જ પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. જો કે, આજી-1 અને 2 તેમજ ન્યારી જળાશયોમાં પાણીનો પુરતો જથ્થો છે. પરંતુ પાણી વિતરણ વ્યવસ્થામાં ખામીને કારણે ઘણાબધા વિસ્તારોમાં પુરા ફોર્સથી પાણી મળતું નથી. જ્યારે ઘણા વિસ્તારોમાં તો ટેન્કરથી પાણી મળી રહ્યું છે. જેમાં વોર્ડ-11 અને આજુબાજુની સોસાયટીના લોકોએ પીવાના પાણીના […]

કચ્છના નાના રણમાં તંત્રના પાપે 2000 જેટલા અગરિયા પરિવારો પાણીની સમસ્યા વેઠી રહ્યા છે

સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડા, પાટડી સહિતના રણ વિસ્તારોમાં અનેક અગરિયા પરિવારો કાળી મજુરી કરીને ગુજરાન ચલાવે છે. કાળઝાળ ગરમીમાં પણ અગરિયાઓ રણમાં ઝૂંપડા બાંધીને વસવાટ કરતા હોય છે. આવા અગરિયા પરિવારો માટે સરકાર દ્વારા ટેન્કરોથી પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા ટેન્કરથી પાણી પહોચાડવા માટે કોન્ટ્રાક્ટ અપાયો છે. […]

લીંબડીના પાણશીણા ગામે તંત્રના વાંકે પાણીની સમસ્યા, પાઈપલાઈન લિકેજનું સમારકામ કરાતું નથી

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના લીંબડી તાલુકાના પાણશીણા ગામમાં  છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. ગામમાં 15 દિવસે પાણી વિતરણ થઈ રહ્યું છે. 15 દિવસે વિતરણ થતાં ગ્રામજનોને પાણી માટે રીતસરના વલખાં મારવાનો વારો આવ્યો છે. સાત હજારથી વધુ વસ્તીના ગામમાં લોકો નાછૂટકે વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે.  ટોકરાળા ગામ પાસે પાણીની લાઈન […]

રાજકોટના ધોરાજીમાં ઉનાળાના આગમન ટાણે તંત્રની નિષ્કાળજીને લીધે પાણીની સમસ્યા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઉનાળો શરૂ થાય એટલે પાણીની રામાયણ સર્જાતી હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગામેગામ નર્મદાનું પાણી અપાતું હોવાથી ઘણી રાહત થઈ છે, પરંતુ તંત્રના વાંકે પાણીની સમસ્યા ઊભી થતી હોય છે. ધોરાજી શહેરમાં ઉનાળોના પ્રારંભે જ પાણીની સમસ્યા ઊભી થઈ છે. ધોરાજી શહેરની બાજુમાં ફોફળ અને ભાદર ડેમ આવેલા છે જેમાં પાણીનો જથ્થો પણ […]

ચોટિલા તાલુકાના 43 ગામોમાં પાણીની સમસ્યા, ગ્રામજનોઓ પાણીની મટકી સાથે કરી રજુઆત

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં ચોમાસા દરમિયાન સારો વરસાદ પડ્યો હતો પણ અન્ય તાલુકાની સરખામણીએ ચોટિલા તાલુકામાં ઓછો વરસાદ પડ્યો હતો. ચોટિલા તાલુકાના 43 ગામોમાં ભર શિયાળે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. ત્યારે 43થી વધુ ગામોના અગ્રણીઓ  દ્વારા મટકી સાથે મામલતદારને  આવેદન પત્ર આપી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. સરકાર નલ સે જલ યોજનાનો દાવો કરે છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code