અમદાવાદના ખાડિયા વિસ્તારમાં મ્યુનિ.ના ઈજનેરી વિભાગના વાંકે પાણીની સમસ્યા સર્જાઈ
અમદાવાદઃ શહેરના તમામ વિસ્તારોમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પીવાનું પાણી પાઈવલાઈન દ્વારા પુરૂ પાડવામાં આવે છે, સામાન્ય રીતે ઉનાળામાં પાણીની વપરાશ વધતી હોય છે. ત્યારે શહેરના ખાડિયા વિસ્તારમાં મ્યુનિ.ના ઈજનેર વિભાગની લાપરવાહીને કારણે લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવા પડી રહ્યો છે. એએમસીના ઇજનેર વિભાગ અને કોન્ટ્રાકટરોની લાલિયાવાડીના કારણે ખાડિયા વિસ્તારના લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. […]