1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ટાર્ગેટ કિલીંગની ઘટના – 4 નાગરિકોના મોત, 6 થી વધુ લોકો ઈજાગ્રસ્ચ
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ટાર્ગેટ કિલીંગની ઘટના – 4 નાગરિકોના મોત, 6 થી વધુ લોકો ઈજાગ્રસ્ચ

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ટાર્ગેટ કિલીંગની ઘટના – 4 નાગરિકોના મોત, 6 થી વધુ લોકો ઈજાગ્રસ્ચ

0
Social Share
  • રાજૌરીમાં આતંકી હુમલાની ઘટના
  • ફાયરિંગમાં 4 નાગરિકોના થયા મોત
  • અનેક લોકો ઘાયલ થયાની માહિતી

શ્રીનગર- જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા જાણે સામાન્ય બાબત બનતી જઈ રહી છે,આ સાથે જ ફાયરિંગની ઘટનાઓ પણ અહી અવારનવાર બનતી હોય છે ત્યારે વિતેલી રાતે જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ-કાશ્મીરના રાજૌરી સ્થિત ડાંગરી ગામમાં આતંકી દ્રારા આ ફાયરિંગ કરવામાં  આવ્યું હોવાની માહિતી મળી રહી છે. નવા વર્ષના પહેલા જ દિવસે  આતંકવાદી ઓએ નિર્દોષ લોકોને નિશાન બનાવીને ત્રણ મકાનો પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં ત્રણ લોકોના મોત થયા છે અને સાત લોકો ઘાયલ થયા છે.અજાણ્યા અપરાધીઓ દ્વારા ફાયરિંગની ઘટના રાજૌરીથી 7 થી 8 કિમી દૂર ડુંગરી ગામમાં બનવા પામી છે.

ઘટના ઉપલા ડુંગરી ગામની છે. લગભગ 50 મીટરના અંતરે ત્રણ અલગ-અલગ મકાનોમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં 4 નાગરિકોના મોત થયા હતા. જ્યારે અન્ય ચાર ઘાયલ થયા હતા.

હુમલાની માહિતી મળતા જ સ્થળ પર પહોંચેલા સુરક્ષાકર્મીઓએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને આતંકીની શોધખોળ કરવામાં આવી રહી છે.જો કે આ ફાયરિંગ કોઁણે અને શઆ માટે કર્યું તે અંગે હાલ કોઈ માહિતી પ્રાપ્ત થઈ રહી નથી.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code