1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ટાર્ગેટ કિલીંગની ઘટના – 4 નાગરિકોના મોત, 6 થી વધુ લોકો ઈજાગ્રસ્ચ
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ટાર્ગેટ કિલીંગની ઘટના – 4 નાગરિકોના મોત, 6 થી વધુ લોકો ઈજાગ્રસ્ચ

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ટાર્ગેટ કિલીંગની ઘટના – 4 નાગરિકોના મોત, 6 થી વધુ લોકો ઈજાગ્રસ્ચ

0
Social Share
  • રાજૌરીમાં આતંકી હુમલાની ઘટના
  • ફાયરિંગમાં 4 નાગરિકોના થયા મોત
  • અનેક લોકો ઘાયલ થયાની માહિતી

શ્રીનગર- જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા જાણે સામાન્ય બાબત બનતી જઈ રહી છે,આ સાથે જ ફાયરિંગની ઘટનાઓ પણ અહી અવારનવાર બનતી હોય છે ત્યારે વિતેલી રાતે જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ-કાશ્મીરના રાજૌરી સ્થિત ડાંગરી ગામમાં આતંકી દ્રારા આ ફાયરિંગ કરવામાં  આવ્યું હોવાની માહિતી મળી રહી છે. નવા વર્ષના પહેલા જ દિવસે  આતંકવાદી ઓએ નિર્દોષ લોકોને નિશાન બનાવીને ત્રણ મકાનો પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં ત્રણ લોકોના મોત થયા છે અને સાત લોકો ઘાયલ થયા છે.અજાણ્યા અપરાધીઓ દ્વારા ફાયરિંગની ઘટના રાજૌરીથી 7 થી 8 કિમી દૂર ડુંગરી ગામમાં બનવા પામી છે.

ઘટના ઉપલા ડુંગરી ગામની છે. લગભગ 50 મીટરના અંતરે ત્રણ અલગ-અલગ મકાનોમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં 4 નાગરિકોના મોત થયા હતા. જ્યારે અન્ય ચાર ઘાયલ થયા હતા.

હુમલાની માહિતી મળતા જ સ્થળ પર પહોંચેલા સુરક્ષાકર્મીઓએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને આતંકીની શોધખોળ કરવામાં આવી રહી છે.જો કે આ ફાયરિંગ કોઁણે અને શઆ માટે કર્યું તે અંગે હાલ કોઈ માહિતી પ્રાપ્ત થઈ રહી નથી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code