1. Home
  2. ગુજરાતી
  3. બ્રિટનના પ્રઘાનમંત્રી જી 20 સમિટનો ભાગ બનવા દિલ્હી પહોંચ્યા
બ્રિટનના પ્રઘાનમંત્રી જી 20 સમિટનો ભાગ બનવા દિલ્હી પહોંચ્યા

બ્રિટનના પ્રઘાનમંત્રી જી 20 સમિટનો ભાગ બનવા દિલ્હી પહોંચ્યા

0
Social Share

દિલ્હીઃ- ભારતની રાજઘાની દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરના રોજ જી 2દ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિતેલા દિવસથી જ વિદેશી નેતાઓ ભારતના પ્રવાસે આવી રહ્યા છે આ સંદર્ભે હવે બ્રિટનના પ્રઘાનમંત્રી આજે દિલ્હી આવી પહોંચ્યા છે.

જી 20 માટે વૈશ્વિક નેતાઓ ભારત પહોંચવા લાગ્યા છે. G20 જૂથમાં આફ્રિકન યુનિયનનો પણ સમાવેશ થઈ શકે છે તેવી વાતો ચાલી રહી છે. જ્યારે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ માઈકલને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે મને નથી લાગતું કે આ G20 વિશ્વની તમામ સમસ્યાઓ બે દિવસમાં ઉકેલી દેશે.

જાણકારી પ્રમાણે જી-20 સંમેલનમાં ભાગ લેવા માટે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક દિલ્હી પહોંચી ગયા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ ઋષિ સુનકનું ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતે નવી દિલ્હીમાં આગમન પર સ્વાગત કર્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ શિખર સંમેલનની બાજુમાં ઋષિ સુનક સાથે દ્વિપક્ષીય વાતચીત કરવાના છે.

આજની શરૂઆતમાં, ઋષિ સુનકે કહ્યું હતું કે G20 નેતાઓ સાથે સમિટમાં ભાગ લેવા માટે તેમની નવી દિલ્હીની મુલાકાત સ્પષ્ટપણે ખાસ હતી. નવી દિલ્હી જતા પહેલા પત્રકારો સાથે વાત કરતા, 43 વર્ષીય બ્રિટિશ પીએમએ કહ્યું કે તેઓ ભારતમાં પાછા આવીને ઉત્સાહિત છે. તેણે તેને “એક દેશ જે મને ખૂબ નજીક અને પ્રિય છે” કહ્યો. તેમની ભારત મુલાકાત દરમિયાન તેમની પત્ની અને ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પુત્રી પણ તેમની સાથે હતી.“હું સ્પષ્ટ ધ્યાન સાથે જી20 સમિટમાં જઈ રહ્યો છું,” ઋષિ સુનકે ભારતની ત્રણ દિવસની મુલાકાત લેતા ટ્વીટ  પણ કર્યું છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code