1. Home
  2. ગુજરાતી
  3. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ

0
Social Share

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. દરમિયાન આજે બંને દેશ વચ્ચે પ્રથમ ટી-20 મેચ વેલિંગ્ટનના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવવાની હતી જો કે, ભારે વરસાદને પગલે પ્રથમ મેચ ધોવાઈ હતી. હવે 20મી ડિસેમ્બરના રોજ માઉન્ટ માઉન્ગાનુઈમાં રમાશે.

ભારે વરસાદના પગલે પ્રથમ ટી-20 મેચમાં ટોસ પણ થયો ન હતો. કટ ઓફ ટાઈમ પહેલા જ એમ્પાયર્સ દ્વારા મેચ રદનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બંને ટીમના કેપ્ટને હાથ મિલાવીને મેચ રદ કરવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું. બીજી ટી-20 મેચ તા. 20મી નવેમ્બરના રોજ રમાશે. તે બાદ નેપિયરમાં તા. 22 નવેમ્બરે ત્રીજી અને અંતિમ ટી-20 મેચ રમાશે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ વન-ડે મેચ રમાશે. તા. 25મી નવેમ્બરે ઓકલેન્ડ, બીજી વન-ડે 27મી નવેમ્બરના રોજ હેમિલ્ટન અને ત્રીજી વન-ડે 30મી નવેમ્બરના રોજ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. ટી-20 અને વન-ડે સિરીઝમાં જીતનો બંને ટીમે દાવો કર્યો હતો. ટી-20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં પાકિસ્તાનની સામે ન્યૂઝીલેન્ડનો અને ઈંગ્લેન્ડની સામે ભારતનો પરાજય થયો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code