1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ખાનગી બસો પર પ્રવેશબંધીના પોલીસના જાહેરનામાંને હાઈકોર્ટે યોગ્ય ઠેરવ્યું
અમદાવાદમાં ખાનગી બસો પર પ્રવેશબંધીના પોલીસના જાહેરનામાંને હાઈકોર્ટે યોગ્ય ઠેરવ્યું

અમદાવાદમાં ખાનગી બસો પર પ્રવેશબંધીના પોલીસના જાહેરનામાંને હાઈકોર્ટે યોગ્ય ઠેરવ્યું

0
Social Share

અમદાવાદઃ  શહેરમાં વસતીમાં વધારા સાથે વહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. જેના લીધે શહેરના રસ્તાઓ પર ટ્રાફિકનું નિયમન કરવું ટ્રાફિક પોલીસ માટે પડકારરૂપ બન્યું છે. શહેરમાં ખાનગી બસ, ટ્રક સહિતના મોટા વાહનોને પ્રવેશ માટે પ્રતિબંધ છે. અને શહેર પોલીસ કમિશનર દ્વારા આ અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. જેની સામે ખાનગી ટ્રાવેલ્સના સંચાલકોએ ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરી હતી. અને પોલીસ કમિશનરનું જાહેરનામું રદ કરવાની માગણી કરી હતી. હાઈકોર્ટે પોલીસ કમિશનરના જાહેરનામાંને યોગ્ય ઠેરવ્યું હતુ.

અમદાવાદ શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થતાં ટ્રાફિક નિયમનની સમસ્યા વિકટ બનતા પોલીસ કમિશનરે સવારના 8 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ખાનગી બસો સહિત ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. ખાનગી બસોના પ્રવેશ બંધીનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે હાઈકોર્ટે પોલીસ કમિશ્નરના જાહેરનામાને માન્ય રાખતાં હવે શહેરમાં ખાનગી બસોના પ્રવેશ પર પ્રવેશબંધી લાગી જશે. થોડા સમય પહેલાં જ શહેર પોલીસ કમિશ્નરે રાત્રીના સમયે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે નહીં તે માટે ખાનગી બસો પર પ્રવેશબંધી જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. જેને ટ્રાવેલ્સ એજન્સીઓએ હાઈકોર્ટમાં પડકાર્યું હતું.

અમદાવાદ પોલીસ કમિશ્નરના જાહેરનામા બાદ ખાનગી બસોને શહેરમાં સવારે આઠથી રાત્રે 10 વાગ્યા સુધી પ્રવેશ પર પાબંધી લગાવી હતી. પોલીસ કમિશ્નરના આ જાહેરનામાને ખાનગી ટ્રાવેલ્સ એજન્સીઓએ હાઈકોર્ટમાં પડકાર્યું હતું. ટ્રાવેલ્સ એજન્સીઓના સંચાલકોએ ધંધા રોજગારનો ઉલ્લેખ કરીને જાહેરનામું રદ કરવા કોર્ટ સમક્ષ અરજ ગુજારી હતી.  ખાનગી ટ્રાવેલ્સ એજન્સીઓએ કરેલી રિટની સુનાવણી દરમિયાન કોર્ટે પોલીસ કમિશ્નરનું જાહેરનામું કાયદાથી વિપરીત નહીં હોવાનું નોંધ્યું હતું અને જાહેરનામાને માન્ય રાખ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે. કે, તાજેતરમાં અમદાવાદ પોલીસ કમિશ્નર અને DCP સફિન હસને ટ્રાવેલ્સ એસોસિએશન સાથે બેઠક કરી હતી. ત્યાર બાદ નિર્ણય લેવાયો હતો કે નવા જાહેરનામામાં રાત્રે 10થી સવારે આઠ વાગ્યા સુધી ટ્રાવેલ્સની બસોને શહેરમાં પ્રવેશવાની મંજુરી છે. આ અગાઉ રાત્રે 11 થી સવારે 7 વાગ્યા સુધી પ્રવેશ કરવાની મંજુરી હતી. થોડા સમય અગાઉ અમદાવાદમાં ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા બસને શહેરમાં રાત્રે 9.30થી સવારે 8 વાગ્યા સુધી અને બપોરે 1થી 4 પ્રવેશવા દેવાની મંજૂરી આપવા માંગ કરાઈ રહી છે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code