Site icon Revoi.in

અમરાઈવાડીમાં જર્જરીત ઈમારતની ગેલરી ધરાશાયી થઈ, 3 વ્યક્તિ ઘાયલ

Social Share

અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સંત વિનોબાનગર-સુખરામનગર ખાતે બ્લોક નંબર 17ની ગેલરી તુટી પડી હોવાનું જાણવા મળે છે. આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળે છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બ્લોક નંબર 17 ના આશરે 8 મકાનોમાં રહેતા 40 જેટલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી.

આ બનાવને પગલે હાલ વિસ્તારમાં ભયનો માહોલ છે, પરંતુ બચાવ દળની ઝડપી કામગીરીથી સ્થિતિ કાબૂમાં હોવાનું મનાય છે. સ્થાનિક લોકો અને પ્રશાસન મળીને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા પ્રયત્નશીલ છે.

Exit mobile version